Money9: ઘણીવાર મુકેશ જેવા લોન લેનારા લોકો કોઇ કારણોસર પેમેન્ટ નથી કરી શકતા. આ એક-એક પેમેન્ટ ધીમે ધીમે લોનની જાળ બની જાય છે જેમાંથી બહાર નીકળવાનું મુશ્કેલ બની જાય છે. લોનના ચક્કરમાંથી કેવી રીતે બહાર નીકળી શકાય તેની પર જતા પહેલાં આવો વાત કરીએ ભારતીયોના ખર્ચ કરવાની રીતો પર.. કારણ કે આડેધડ ખર્ચ કરવો એ લોનની જાળમાં ફસાવાની પહેલી સીડી છે.
લોનને લઇને હાલમાં જ ભારતીયોની ભૂખ વધી છે. ખાસ કરીને ક્રેડિટ કાર્ડ અને પર્સનલ લોન જેવી અનસિક્યોર્ડ લોનના કિસ્સામાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના આંકડા અનુસાર ભારતીયોએ જૂન 2023માં ક્રેડિટ કાર્ડ દ્વારા ઓનલાઇન અંદાજે 88,379.85 કરોડ રૂપિયાનો ખર્ચ કર્યો. તો ડેબિટ કાર્ડ દ્વારા કુલ 17,012.92 કરોડ રૂપિયાની લેવડદેવડ થઇ. જે દર્શાવે છે કે લોન લઇને ખર્ચ કરવાની આદત વધી છે.
ક્રેડિટ કાર્ડ કે પર્સનલ લોન લઇને ખર્ચ કરવાનું નાણાકીય દ્રષ્ટિએ નુકસાનકારક છે. ડોક્યુમેન્ટ વગર તરત પૈસા મળવા અને ઓછી મંથલી EMI જેવી ચીજો જોઇને લોકો આને સહેલો સોદો સમજી લે છે. પરંતુ પૈસા ચુકવવામાં એકવાર પણ વિલંબ થાય તો તમે ભારે વ્યાજ અને દંડના ચક્કરમાં ફસાઇ જાઓ છો. ક્રેડિટ કાર્ડનું ટાઇમલી પેમેન્ટ ન કરવા પર 3 થી 4 ટકા મહિના એટલે કે 36 થી 48 ટકા વાર્ષિક વ્યાજ છે. જેનો સીધો અર્થ એ થયો કે દર 100 રૂપિયા પર 48 રૂપિયા વ્યાજ આપવું પડી શકે છે.
લોનની જાળમાંથી બહાર નીકળવામાં ક્રેડિટ કાઉન્સેલિંગ પ્લેટફોર્મ તમારી મદદ કરી શકે છે. જેની શરૂઆત બેંક ઓફ ઇન્ડિયાએ વર્ષ 2006માં અભય ક્રેડિટ કાઉન્સેલિંગ સેન્ટર સ્થાપિત કરીને કરી હતી. વર્ષ 2007માં ICICI બેંકે દિશા સેન્ટર સ્થાપિત કર્યા હતા. આ લોકો કોઇપણ પ્રકારની ફી નહોતા લેતા હતા. જો કે, હવે આ સેન્ટર કામ નથી કરી રહ્યા. અને હવે FREED, SingleDebt, RectifyCredit અને Settle Loan જેવા ઘણાં ખાનગી ક્રેડિટ કાઉન્સેલિંગ પ્લેટફોર્મ શરૂ થઇ ગયા છે.
‘ક્રેડિટ કાઉન્સેલિંગ કંપનીઓ લોનથી આઝાદી અપાવવાની વાત કરે છે, આ સાંભળવું ભલે સારુ લાગે પરંતુ તેની પાસે જતા પહેલા તમારે સાવધાની રાખવાની જરૂર છે. કારણ કે આવા પ્લેટફોર્મ્સના નિયંત્રણ માટે રિઝર્વ બેંકના કોઇ નિયમ નથી. એટલું જ નહીં, મોટાભાગના પ્લેટફોર્મ લોનથી મુક્તિ અપાવતા પહેલા ફી લે છે. એવું પણ હોઇ શકે છે કે તમારી પાસેથી ફી લઇ લીધી અને લોન સેટલ જ ન થઇ હોય. આવા સંજોગોમાં તમે દેવાની વધારે ખરાબ જાળમાં ફસાઇ શકો છો.
ક્રેડિટ કાઉન્સિલર દેવામાં ફસાયેલા વ્યક્તિની નાણાકીય મુશ્કેલીઓ જાણ્યા બાદ તેમની કમાણી અને ખર્ચનો હિસાબ-કિતાબ બનાવે છે. જેથી એ ખબર પડે કે વ્યક્તિ અસલમાં કેટલા પૈસા ચુકવી શકે છે. પછી વ્યક્તિને ખર્ચ ઘટાડીને થોડાક પૈસા બચાવવાની સલાહ આપવામાં આવે છે. આ પૈસાને એક અલગ એકાઉન્ટમાં જમા કરવામાં આવે છે જે દેવું ચુકવવાના કામમાં આવે છે. ઉંચા વ્યાજવાળી લોન કે ક્રેડિટ કાર્ડના બિલને પહેલા ચુકવવાની કોશિશ કરવામાં આવે છે. કાઉન્સિલર તમારા તરફથી બેંકમાંથી લોનનો વ્યાજ દર ઘટાડીને પેનલ્ટી અને બીજા ચાર્જ દૂર કરવાની વાત કરે છે. તમારી પર્સનલ લોન અને ક્રેડિટ કાર્ડ લોન માટે પોતાના લેંડિંગ પાર્ટનરથી વાત કરે છે જે તમારી લોન ચૂકવે છે. પછી તમારે મંથલી બેઝિસ પર ઓછા વ્યાજની સાથે પૈસા ચુકવવાના હોય છે. એટલું જ નહીં લોન ન ચૂકવી શકવાથી ખરાબ થયેલા ક્રેડિટ સ્કોરને સુધારવાનું પણ કામ કરે છે જેથી આગળ નવી લોન મળી શકે. ઘણાં પ્લેટફોર્મ રિકવરી એજન્ટના ફોન કોલ અને હેરાનગતિનો સામનો કરવાનો દાવો પણ કરે છે.
પ્રાઇવેટ કાઉન્સેલિંગ પ્લેટફોર્મ લોનથી બહાર નીકળવા માટે ચાર્જ વસૂલ કરે છે જેમ કે FREED 649 થી 1,299 રૂપિયાની મંથલી પ્લેટફોર્મ ફી લે છે. લોન ભરપાઇથી બચેલા પૈસા પર 10 ટકા એડિશનલ ફી પણ લે છે. FREED લોન કોસ્ટને 45 ટકા સુધી ઘટાડવાનો દાવો કરે છે. Single Debt બે મહિનાના ખર્ચ કરવા યોગ્ય ઇનકમ સેટઅપ ફી તરીકે લે છે, તો રેક્ટિફાય ક્રેડિટનો બેઝ ચાર્જ 5000 રૂપિયા છે.
મુકેશની જેમ તમે પણ લોનની જાળમાં ફસાઇ ગયા તો ક્રેડિટ કાઉન્સિલર પસંદ કરતી વખતે તમારે સાવચેતીપૂર્વક પગલા ભરવા પડશે. ક્રેડિટ કાઉન્સેલરની પાસે જતા પહેલા તેમની ક્રેડિટ અને રેપ્યુટેશન અંગે જરૂર સર્ચ કરો. એવા લોકો સાથે વાત કરો જેમણે આમના દ્વારા લોન સેટલ કરી હોય. લોકોના જુના અનુભવને જાણ્યા વગર તેમની મદદ લેવી સુરક્ષિત નથી.
ક્રેડિટ કાઉન્સિલિંગ કંપનીઓ પોતાની વેબસાઇટ પર રિવ્યૂ પણ નાંખે છે. પરંતુ તે વાંચીને ભરોસો ન કરો. તમારે એવા લોકોને શોધવા જોઇએ તેમણે આ કંપનીઓની સર્વિસ લીધી હોય. જેમને લોન ઘટાડવામાં તેમની મદદ મળી હોય..એવા લોકો સાથે વાત કરો. પરંતુ જો તમે લોનની જાળમાં ફસાઇ ગયા છો તો જાણી લો કે તમારે શું નથી કરવાનું. કોલ એવોઇડ કરવા માટે ફોન નંબર અને મકાન ન બદલો. લોન એજન્ટનો ફોન ઉઠાવવાનું બંધ ન કરો. જરૂર જવાબ આપો..તમારી મુશ્કેલી જણાવો. લોનને ભગવાન ભરોસે ન છોડો અને બેંક સાથે લોનની EMI ઘટાડવા અને ટેન્યોર વધારવા, રિફાઇનાન્સિંગ માટે વાત કરો. જો લોન એજન્ટ કોઇપણ જાતની ઉદ્ધતાઇ કરે, ખોટી ભાષાનો ઉપયોગ કરે કે ખોટા સમયે ફોન કરે તો તેની ફરિયાદ તમારે બેંક સમક્ષ કરવી જોઇએ..અને જો બેંક તમારી ફરિયાદ ન સાંભળે તો રિઝર્વ બેંકમાં તેની ફરિયાદ જરૂર કરો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો