Money9: તમે ઘણીવાર સાંભળ્યું હશે કે કોઇની 3 લોન ચાલી રહી છે તો કોઇની 4 લોન. આવા સંજોગોમાં રાજીવની જેમ તમારા મનમાં પણ એ સવાલ જરૂર આવતો હશે કે શું કોઇ વ્યક્તિ ગમેતેટલી લોન લઇ શકે? લોન લેવાની કોઇ લિમિટ છે કે નહીં? આટલી લોન આપતા પહેલા બેંક શું જુએ છે? અમે આપને આ સવાલનો જવાબ આપીશું.
તમે પહેલીવાર લોન લો કે બીજી કે ત્રીજી વાર..જ્યારે અને જેટલી વાર પણ લોન માટે અપ્લાય કરશો ત્યારે બેંક સૌથી પહેલા તમારી લોન એલિજિબિલિટી જરૂર ચેક કરશે. એલિજિબિલિટીનો અર્થ એ કે બેંક એ જુએ છે કે તમે જેટલી લોન લેવા માંગો છો તેટલી રકમ લેવા માટે તમે લાયક છો કે નહીં..બેંક તમારી કમાણી, ખર્ચ, જોબ સ્ટેબિલિટી, ઉંમર, ક્રેડિટ સ્કોર, હાલની લોન અને રીપેમેન્ટ કેપિસિટી એટલે કે ખર્ચ ચુકવવાની ક્ષમતાના આધારે એલિજિબિલિટી ચેક કરે છે. આ માપદંડો પર ખરા ઉતર્યા તો તમારી લોન મંજૂર થઇ જશે. પછી ભલે તે પહેલી લોન હોય કે બીજી કે ત્રીજી..એલિજિબિલિટી ચેક કરતી વખતે જો બેંકને લાગે કે તમે બે લોન નહીં ચૂકવી શકો તો તે લોન એપ્લિકેશન રિજેક્ટ કરી શકે છે.
લોનના કેસમાં બેંક માટે પ્રથમ મહત્વનો માપદંડ તમારી કમાણી છે. લોન ચુકવવાની તમારી ક્ષમતા એ વાત પર નિર્ભર કરે છે કે તમે જેટલું કમાઓ છો..જેટલી વધુ કમાણી હશે, લોન મળવાની સંભાવના એટલી જ વધી જશે. લોન માટે અરજી કરતી વખતે તમારી પાસેથી ઓછામાં ઓછા 6 મહિનાનું બેંક એકાઉન્ટ સ્ટેટમેન્ટ અને પે-સ્લિપ માંગવામાં આવે છે. જેના દ્વારા તમારી કમાણી, ખર્ચ અને લોન ચૂકવવાની ક્ષમતા પારખવામાં આવે છે.
માનવામાં આવે છે કે લોન લેનારો વ્યક્તિ પોતાની પૂરી કમાણી લોન ભરવામાં નથી આપી શકતો. તેને ઘર ખર્ચ, પોતાના ખર્ચ, જો પહેલેથી કોઇ લોન છે તો તેની EMI અને જીવનના બીજા લક્ષ્યો માટે યોગ્ય રકમ ખર્ચ કરવી પડે છે. આ ખર્ચાઓને અલગ કરવા માટે જે રકમ બચે છે તે તેની લોન ચુકવવાની ક્ષમતા છે. લોન ચુકવવાની ક્ષમતા માટે બેંક FOIR, એટલે કે ફિકસ્ડ ઓબ્લિગેશન ટૂ ઇનકમ રેશિયો કે DTI, એટલે ડેટ-ટૂ-ઇનકમ રેશિયોનો ઉપયોગ કરે છે.
FOIR એટલે કે ફોયર કાઢવાની ફોર્મ્યુલા હોય છે. ડોટલ ડેટને મંથલી ઇનકમ વડે ભાગવામાં આવે છે અને તેનો 100 વડે ગુણાકાર કરવામાં આવે છે. ટોટલ ડેટનો અર્થ એક મહિનાના બધા ખર્ચ સાથે છે.. તેમાં હાલની લોનની EMI કે ક્રેડિટ કાર્ડનું પેમેન્ટ પણ સામેલ હોય છે.
હવે તેને ઉદાહરણથી સમજીએ..માની લો કે ગિરીશની કમાણી 100 રૂપિયા છે. તેમાં 50 રૂપિયા ઘર ખર્ચ સહિત અન્ય ખર્ચ છે. તો તેનો ફોયર થયો 50%. ગિરીશની પાસે એક હોમ લોન પણ છે. જેના માટે તે દર મહિને 20 રૂપિયા ખર્ચ કરે છે. એટલે કે તેનો કુલ ખર્ચ એટલે કે ટોટલ ડેટ થયું 70..જેને 100 વડે ભાગીશું અને 100 વડે ગુણાકાર કરતાં આવશે 70 ટકા જે ગીરિશનો ફોયર હશે. આનો અર્થ એ થયો કે ગિરીશની નવી લોન રીપેમેન્ટની ક્ષમતા 30 ટકા એટલે કે 30 રૂપિયા છે. આ જ હિસાબે બેંક લોન એલિજિબિલિટી ચેક કરે છે. તમારી કમાણીમાં નાણાકીય જવાબદારીનો બોજ જેટલો ઓછો હોય તેટલું સારુ કારણ કે લોન મળવાના ચાન્સ વધી જાય છે. ફોયર 40 થી 50 ટકાની વચ્ચે હોવું જોઇએ. તેનો અર્થ એ કે તમારો કુલ મંથલી ખર્ચ કમાણીના 50 ટકાથી વધુ ન હોવો જોઇએ.
બેંક ઇનકમ, ખર્ચ, જુની લોનની EMI અને રિપેમેન્ટ કેપેસિટી ઉપરાંત ઉંમર, ક્રેડિટ સ્કોર, જોબ સ્ટેબિલિટી જેવા ફેકટર્સ પર પણ ધ્યાન આપે છે. જુની લોન EMIનું સમયસર પેમેન્ટ કરવાથી ક્રેડિટ સ્કોર સારો રહે છે. સાથે જ બેંકની નજરમાં તમારી નાણાકીય શાખ વધે છે. તે એ દર્શાવે છે કે લોન ચુકવવાને લઇને તમે કેટલા ગંભીર છો, જેનાથી બેંકનો તમારી પર ભરોસો વધે છે.
હોમ લોનના કિસ્સામાં ચીજો થોડી અલગ છે. ભલે તમારી ઇનકમ અને રીપેમેન્ટ કેપેસિટી વધુ લોન લેવાની મંજૂરી આપે. પરંતુ ખરીદવામાં આવનાર પ્રોપર્ટીની કિંમત ઘટવાથી એ જરૂરી નથી કે તમને વધુ રકમની લોન મળે. હોમ લોનમાં પ્રોપર્ટી ગિરવે તરીકે કામ આવે છે. બેંક પ્રોપર્ટીની કિંમતના એક નિશ્ચિત ટકા જ લોન તરીકે આપી શકે છે. જેને લોન-ટૂ વેલ્યૂ રેશિયો એટલે કે LTV રેશિયો કહે છે.
રિઝર્વ બેંક તરફથી LTV રેશિયોને લઇને કેટલાક નિયમો છે. 30 લાખ રૂપિયા સુધીની પ્રોપર્ટી માટે મહત્તમ LTV રેશિયો 90 ટકા હશે. એટલે કે લોન તરીકે વધુમાં વધુ 27 લાખ રૂપિયા જ મળી શકે છે. આ રીતે 30 લાખ રૂપિયાથી ઉપર અને 75 લાખ સુધીની પ્રોપર્ટી પર 80 ટકા અને 75 લાખ રૂપિયાથી ઉપરની પ્રોપર્ટી પર મહત્તમ LTV રેશિયો 75 ટકા છે.
રાજીવની જેમ તમે પણ સમજી ગયા હશો કે કોઇ વ્યક્તિ કેટલી લોન લઇ શકે છે, જેની કોઇ મર્યાદા નથી. જો 2 થી 3 લોન ચૂકવવામાં સક્ષમ છે તો લોન લઇ શકે છે. પછી તે લોન હોમ લોન હોય કે પર્સનલ લોન..જો તમારી કમાણી એટલી વધુ છે કે તમે અનેક લોનની EMI સમયસર ભરી શકો છો તો લોન લઇ શકો છો. જો કે લોન લેતી વખતે એક વાત જરૂર ધ્યાનમાં રાખો. કે તે તમારી હાલની ઇનકમ અને ફ્યૂચરની સેવિંગ્સ ક્યાંક સમાપ્ત ન કરી નાંખે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો