Money9: શુક્લાજીએ તરત પૈસા મોકલાવી દીધા અને તેમને બેંકે લોન માફીનું સર્ટિફિકેટ પણ આપી દીધું. પરંતુ આ સર્ટિફિકેટ તેમના કોઇ કામનું ન હતું. કારણ કે તે કોલર, લોન વેવર સ્કીમ અને સર્ટિફિકેટ બધુ જ નકલી હતું. શુક્લા હવે પસ્તાઇ રહ્યાં છે. લોન તો માફ ન થઇ ઉલટાનું પૈસા ગુમાવવા પડ્યા. હકીકતમાં બેંક આ રીતે ક્યારેય લોન માફ નથી કરતી. શુક્લાજીની સાથે સાયબર ઠગાઇ થઇ અને આ રીતની ઠગાઇને બેંક લોન વેવર ફ્રોડ કહે છે.
આ રીતે લોન માફ કરવા અંગેની એડ પણ આવી રહી છે. પ્રિન્ટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એડમાં આવી લોન માફ કરવાની ઓફર આપવામાં આવી રહી છે. છેતરપિંડીના આ વધતા જતા કિસ્સાઓથી ચિંતિત ભારતીય રિઝર્વ બેંકે લોકોને આવી ભ્રામક જાહેરાતો વિશે ચેતવણી આપી છે. રિઝર્વ બેંકે કહ્યું છે કે તેના ધ્યાન પર આવ્યું છે કે કેટલીક એન્ટિટીઝ સર્વિસ લીગલ ફી લઇને કોઇપણ જાતની ઓથોરિટી વગર લોન વેવર સર્ટિફિકેટ ઇશ્યૂ કરી રહી છે. આ પ્રકારની પ્રવૃત્તિથી નાણાકીય સંસ્થાઓની સ્થિરતા અને થાપણદારોના હિતોને નુકસાન પહોંચે છે. રિઝર્વ બેંકે લોકોને અપીલ કરી છે કે તે આવી નકલી અને ભ્રામક જાહેરાતોનો શિકાર ન બને અને કાનૂની એજન્સીઓને આવી ઘટનાઓ અંગે ફરિયાદ કરે.
હકીકતમાં, આ નકલી એન્ટિટી અને સાયબર ઠગ લોકોને ફોન કરીને તેમને લોન માફ કરવાના ખોટા સપના બતાવે છે. તેમની જાળમાં માત્ર લોકો જ નહીં નાના વેપારીઓ પણ ફસાઈ રહ્યા છે. આ સાયબર ઠગ પોતાને બેંકના પ્રતિનિધિ કહે છે.. તેઓ કહે છે કે બેંકની નવી સ્કીમ આવી છે.. તમને નથી ખબર? સરકાર આવું કરી રહી છે.. પૂછે છે કે તમારી કેટલાની લોન છે? તેઓ કહે છે કે અમને તે લોન માફ કરાવી દઇશું. હવે તમારા આધાર અને PANની વિગતો આપો.. તમારે કુલ લોનમાંથી માત્ર 30, 40 કે 50 હજાર રૂપિયા ચૂકવવાના રહેશે.. બાકીની લોન માફ કરવામાં આવશે. બેંક તમને લોન માફીનું સર્ટિફિકેટ પણ આપશે.
આ અંગે ઈન્ડિયન બેન્કિંગ એસોસિએશનના વરિષ્ઠ સલાહકાર બકિશ નારાયણ મિશ્રા કહે છે કે છેતરપિંડી કરનારા હંમેશા લોકોને ભ્રમિત કરતા રહે છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારના લોકો તેનો ભોગ બને છે. વચેટિયા અથવા નકલી એજન્ટો લોકોને કહે છે કે તેઓ તેમને લોન અપાવી દેશે, લોન માફ કરાવી આપશે, પૈસા ડબલ કરી આપશે વગેરે. તેઓ પોતાને બેંક અથવા NBFCના એજન્ટ અથવા પ્રતિનિધિ ગણાવીને લોકોનો સંપર્ક કરીને તેમને ગેરમાર્ગે દોરે છે. તેથી, જો આવો કોઇ ફોન આવે અથવા તો કોઇ અન્ય રીતે તમારો સંપર્ક કરે, તો તમારે બેંકમાં જવું જોઈએ. બેંકને પૂછો કે શું ખરેખર આવી કોઈ સ્કીમ છે? કોઈ બહારની વ્યક્તિની વાત ન સાંભળવી જોઈએ. સતત સાયબર ફ્રોડ થઇ રહ્યા છે. અમારા માટે લોકોને જાગૃત કરવા જરુરી છે. એવા લોકો જેમને લોનને લગતી કોઈ સમસ્યા હોય, તેમણે તેના સેટલમેન્ટ, રિસ્ટ્રક્ચરિંગ વગેરે સંબંધિત કામ માટે એકવાર બેંકમાં જવું જોઈએ, બેંક સાથે વાત કરવામાં કોઈ સમસ્યા નથી. આ તમારો અધિકાર છે.
ભારતમાં બેંકો હંમેશા લોન આપવામાં મોખરે રહી છે. બેંકો ઉપરાંત, લોકો NBFCs એટલે કે નોન-બેંકિંગ નાણાકીય કંપનીઓ પાસેથી પણ લોન લે છે. બેંકો કોમર્શિયલ અને પર્સનલ બંને કામો માટે લોન આપે છે અને લોન આપતા પહેલા યોગ્ય પ્રક્રિયા અપનાવવામાં આવે છે. નાણાકીય વર્ષ 2021-22માં ભારતીય બેંકોએ 34 લાખ કરોડ રૂપિયાની રિટેલ લોનનું વિતરણ કર્યું હતું. ફેબ્રુઆરી 2023 સુધી બેંકોની બાકી પર્સનલ લોન 40 લાખ કરોડ રૂપિયા હતી. ફેબ્રુઆરી 2022 ની તુલનામાં, તેમાં 20 ટકાથી વધુની વૃદ્ધિ થઇ છે. એટલે કે લેવામાં આવેલી લોન અને બાકી લોન બંનેમાં સતત વૃદ્ધિ થઇ રહી છે. આ જ કારણ છે કે જેમની લોન બાકી છે, અને તે પણ મોટી લોન, તેઓ આ પ્રકારની લાલચમાં આવી જાય છે અને લોન માફીના નામે છેતરાય છે.
એટલે આવી લોન માફીના ચક્કરમાં ન ફસાઓ. આવો કોઇ કોલ આવે તો બુદ્ધિ વાપરીને વિચારો કે તમારી લાખોની લોન બેંક કેવી રીતે માફ કરે? જો બેંક આ રીતે લોન માફ કરશે તો તે પોતે બંધ થઇ જશે. લોન રાઇટ ઓફ પણ ત્યારે જ થાય છે જ્યારે સરકાર તેની જાહેરાત કરે છે. સામાન્ય રીતે ચૂંટણી સમયે આવું થતું હોય છે. પરંતુ ત્યારે પણ સરકાર જે લોન માફ કરવાની જાહેરાત કરે છે. તે લોનના બદલામાં બેંકોને ભરપાઇ કરવામાં આવી છે. એટલે જાગૃત બનો એટલે કે જાતે જાગતા રહો. આવા ફ્રોડ કોલ્સથી અને આવા નકલી બેંકર્સથી સાવધાન રહો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો