Money9: ભારતીય રિઝર્વ બેંકે (RBI) ગુરુવારે બેંકો અને અન્ય નાણાકીય સંસ્થાઓને એ સુનિશ્ચિત કરવા કહ્યું કે વિદેશ ઉપરાંત સ્થાનિક સ્તરે ઇલેક્ટ્રિક સ્વરુપે પૈસા મોકલનારા અને પ્રાપ્ત કરનારા બન્ને અંગે પૂરી સૂચના રજિસ્ટર થવી જોઇએ. આરબીઆઇએ ‘પોતાના ગ્રાહને જાણો’ (know your kyc) સંબંધિત વ્યાપક નિર્દેશમાં ઓનલાઇન લેવડદેવડ સંબંધિત કેટલાક નવા મુદ્દાને સામેલ કર્યા છે. આ નિર્દેશ નાણાકીય કાર્યબળ એફએટીએફની ભલામણોને અનુરૂપ છે.
રિઝર્વ બેંકના નવા નિર્દેશ અનુસાર, બેંકોએ વિદેશમાં ઓનલાઇન પૈસા મોકલવામાં મોકલનાર અને પ્રાપ્તકર્તા બન્ને અંગે સચોટ, સંપૂર્ણ અને સાર્થક જાણકારી આપવી પડશે. આ સિવાય, ડોમેસ્ટિક ઓનલાઈન રેમિટન્સના કિસ્સામાં, જો રેમિટ કરનાર નિયમન કરાયેલ એન્ટિટીનો એકાઉન્ટ ધારક હોય તો પણ આ જ જોગવાઈ લાગુ પડશે. જો કે, આ સૂચનાઓ ક્રેડિટ કાર્ડ્સ, ડેબિટ કાર્ડ્સ અથવા પ્રી-પેઇડ પેમેન્ટ સોલ્યુશન્સ (PPI) દ્વારા કરવામાં આવેલી ખરીદીઓ માટેના ઑનલાઇન વ્યવહારો પર લાગુ પડતી નથી.
મહત્વનું છે કે આ અગાઉ ડિસેમ્બર 2022માં આરબીઆઇ ગર્વનર શક્તિકાંત દાસે કહ્યું હતું કે ગ્રાહકોને પોતાની ડિટેલ અપડેટ કરવા માટે બેંક જવાની જરૂર નથી. ગર્વનરે એક સંવાદદાતા સમ્મેલનને સંબોધિત કરતા કહ્યું કે સરનામામાં ફરેફાર ઉપરાંત ઓનલાઇન કેવાયસી કરી શકો છો. આરબીઆઇના કેવાયસી દિશા-નિર્દેશ અનુસાર, બેંકોએ સમયાંતરે પોતાના ખાતાધારકના ગ્રાહક ઓળખ દસ્તાવેજોને અપડેટ કરવાની જરૂર હોય છે.
આરબીઆઇએ એક ઓફિશિયલ નિવેદનમાં કહ્યું કે બેંકોએ પોતાના રેકોર્ડને અપડેટ કરવા અને પ્રાસંગિક રાખવા માટે સમયાંતરે સમીક્ષા કરવી અનિવાર્ય છે, એટલે કેટલાક કિસ્સામાં એક નવી કેવાયસી/દસ્તાવેજીકરણ કરવું પડી શકે છે. ઓફિસિયલ રીતે વેલિડ દસ્તાવેજોની યાદી પ્રસ્તુત કરવા માટે (પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર સંખ્યા હોવાનું પ્રમાણપત્ર, મતદાતા ઓળખકાર્ડ, નરેગા દ્વારા જોબ કાર્ડ અને રાષ્ટ્રીય જનસંખ્યા રજિસ્ટર દ્વારા જાહેરા પત્ર) કે જ્યાં કેવાયસીની વેલિડિટી પહેલા સબમિટકરવામાં આવેલા દસ્તાવેજ સમાપ્ત થઇ શકે છે. આવા કિસ્સામાં બેંકોએ કેવાયસી દસ્તાવેજો/ગ્રાહક દ્વારા પ્રસ્તુત સેલ્ફ-ડિક્લેરેશનની પાવતી પ્રદાન કરવાની આવશ્યકતા હોય છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો