Home >
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે છેલ્લા 10 વર્ષોમાં દેશની અર્થવ્યવસ્થાની સ્થિતિ સુધરી હોવાનો ઉલ્લેખ કરતાં કહ્યું હતું કે સરકાર વર્ષ 2014 પહેલાના 'ગેરવહિવટ' વિશે શ્વેતપત્ર લાવશે.
નાણામંત્રી નિર્મલા સીતારમણે આજે લોકસભામાં નાણાકીય વર્ષ 2024-25નું વચગાળાનું બજેટ રજૂ કર્યું. બજેટમાં તેમણે મહિલાઓ માટે અનેક મોટી યોજનાઓની જાહેરાતો કરી. સરકારે લખપતિ દીદી યોજનાનું લક્ષ્ય 2 કરોડથી વધારીને 3 કરોડ કરવાનો નિર્ણય કર્યો છે.
Budget 2024: સરકારે કરેલી જાહેરાતની તમારા પર કેવી અસર પડશે તે સમજીએ.
PM કિસાન સન્માન નિધિ યોજનામાં સરકારે કોઈ ફેરફાર નથી કર્યો. ખેડૂતોને આ વખતના બજેટમાં એટલા માટે પણ અપેક્ષાઓ હતી કારણ કે આ ચૂંટણી બજેટ છે અને સરકાર ખેડૂત મતદારોને આકર્ષવા માટે પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ મળેલી રકમમાં વધારો કરી શકે છે
સાઈબર સિક્યૉરિટી માટે લગભગ બમણું બજેટ
સરકારે પાડોશી દેશ માટે બજેટ વધાર્યું
નાણાકીય વર્ષ 2024-25 માટે ખાદ્ય સબસિડી માટેનો અંદાજિત ખર્ચ 2.05 લાખ કરોડ રૂપિયાનો છે, જે વર્તમાન નાણાકીય વર્ષના 2.12 લાખ કરોડના ખર્ચ કરતાં ઓછો છે.
સરકારે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં 50,000 કરોડ રૂપિયાના વિનિવેશનું લક્ષ્ય નક્કી કર્યું છે.
નાણાકીય વર્ષ 2024-2025માં મૂડીખર્ચ 11.1 ટકા વધીને Rs 11.11 લાખ કરોડ જ્યારે ટેક્સની આવક 11.4 ટકા વધીને Rs 38.31 લાખ કરોડ થવાની ધારણા છે.
નાણાપ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે તેમની બજેટ સ્પીચમાં રહ્યું કે સરકારે ડાયરેક્ટ ટેક્સ મામલે જૂના વિવાદિત ટેક્સ ડિમાન્ડ કેસમાં લોકોને રાહત આપવાનો પ્રસ્તાવ મૂક્યો છે. આ ટેક્સ અંતર્ગત નાણાકીય વર્ષ 2009-10 સુધી 25,000 રૂપિયા અને 2010-11 સુધી 10,000 રૂપિયા સુધીની વિવાદિત ટેક્સ ડિમાન્ડમાંથી લોકોને રાહત આપવામાં આવશે.