Money9 Gujarati: આકાંક્ષા UPIથી તેના એક મિત્રને પહેલીવાર પૈસા મોકલી રહી હતી… ઉતાવળમાં તેણે એપ પર તેનો ફોન નંબર નાખ્યો અને પૈસા મોકલ્યા… બાદમાં મિત્રએ કહ્યું કે તેને તો પૈસા મળ્યા નથી… જ્યારે તેણીએ તપાસ કરી અને જોયું તો ફોન નંબરનો છેલ્લો અંક ખોટો આપી દીધો હતો.. મતલબ જે 5 હજાર રૂપિયા મોકલ્યા,, તે મિત્રના બદલે અજાણ્યા નંબર પર જતા રહ્યા… આકાંક્ષા ચિંતિત થઈ ગઈ… તે મિત્રને પણ મદદ ન કરી શકી અને પોતે જ ફસાઈ ગઈ…
UPIની પોપ્યુલારિટી તેના ઉપયોગની સરળતા અને ઝડપી ટ્રાન્ઝેક્શનને કારણે વધી રહી છે… પરંતુ એક સમસ્યા એ છે કે ઘણી વખત લોકો ખોટા નંબર પર પૈસા મોકલી દે છે… ઉતાવળ અને બેદરકારીને કારણે આવું થઈ રહ્યું છે… અને જ્યારે આવું થાય છે, ત્યારે લોકો ડરી જાય છે… અને મોટું આર્થિક નુકસાન પણ સહન કરે છે… જેવું આકાંક્ષા સાથે થયું…
જો આકાંક્ષાની જેમ તમારી સાથે પણ આવું થાય, તો ચિંતા કરશો નહીં… તમે આ પૈસા પાછા મેળવી શકો છો… આનો અર્થ એ છે કે જો તમે PhonePe, Paytm, GooglePay અને અન્ય UPI એપ્સ દ્વારા ભૂલથી કોઈને પૈસા મોકલ્યા હોય તો,,તમે તેને રિવર્સ કરી શકો છો… એ જ રીતે, જો તમારા UPI એકાઉન્ટમાંથી કોઈ અનઑથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન થયું હોય, તો તમે તેને પણ રિવર્સ કરી શકો છો…
નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI)એ આ સમસ્યાને ઉકેલવા માટે “UPI Auto-Reversal” સિસ્ટમ લાગુ કરી છે… તમે ચોક્કસ સંજોગોમાં UPI ટ્રાન્ઝેક્શન રિવર્સ કરવાની વિનંતી કરી શકો છો… ખાસ સંજોગોમાં, જેમ કે જો તમે ખોટા UPI ID અથવા ફોન નંબર પર પૈસા મોકલી દીધા હોય તો તમે રિવર્સલ માટે રિક્વેસ્ટ કરી શકો છો… અથવા જો તમારા UPI ID પરથી કોઈ અનઑથોરાઈઝ્ડ ટ્રાન્ઝેક્શન થયું હોય,,તો તરત જ બેંક અથવા UPI સર્વિસ પ્રોવાઈડરને જાણ કરવી ફરજિયાત છે. આટલું કર્યા પછી જ તમે પૈસા પાછા મેળવી શકશો…
રિઝર્વ બેંકની ગાઈડલાઈન પ્રમાણે,, તમારે પહેલા પેમેન્ટ સિસ્ટમ એપ એટલે કે Google Pay, PhonePe અથવા Paytm પર ફરિયાદ નોંધાવવી પડશે… તમે તેમના કસ્ટમર સપોર્ટથી સંપર્ક કરી શકો છો… તમે NPCIની સાઈટ પર પણ ફરિયાદ નોંધાવી શકો છો. NPCI સાઇટ npci.org.in પર ડિસ્પ્યુટ રિડ્રેસલ મિકેનિઝમ ટેબ પર ક્લિક કરો… જ્યાં Complaint સેક્શનમાં ઓનલાઈન ફોર્મ દેખાશે… જો ફરિયાદનું નિરાકરણ ન થાય, તો તમે બેંકિંગ ઓમ્બડ્સમેનનો સંપર્ક કરી શકો છો…
જ્યારે તમે UPI પેમેન્ટ એપનો સંપર્ક કરો છો… તમારે ટ્રાન્ઝેક્શનની તમામ માહિતી પૂરી પાડવી પડશે… જેમ કે ટ્રાન્ઝેક્શન રેફરન્સ, ટ્રાન્ઝેક્શન ડેટા અને એમાઉન્ટ… કસ્ટમર સપોર્ટ તમને ટ્રાન્ઝેક્શન રિવર્સ કરવામાં મદદ કરશે… જેટલી જલ્દી કરી શકો તેટલું ટ્રાન્ઝેક્શન રિપોર્ટ કરવું જરૂરી છે.. કેટલીક બેંકો અને UPI સર્વિસ પ્રોવાઈડર્સે આ પ્રકારની રિક્વેસ્ટ માટે ટાઈમ લિમિટ નક્કી કરી રાખી છે..
જો ટ્રાન્ઝેક્શન રિવર્સલ માટેના માપદંડો પૂર્ણ થાય છે,, અને બેંક અથવા UPI સર્વિસ પ્રોવાઈડર તમારી ફરિયાદને મંજૂર કરે છે… તો UPI ઑટો-રિવર્સલ પ્રક્રિયા શરૂ થઈ જશે… આમાં થોડો સમય લાગી શકે છે…અને તે વિવિધ સર્વિસ પ્રોવાઈડર અને તેમની પૉલિસી પર આધારિત છે..
UPI Auto-Reversal પ્રક્રિયા પૂર્ણ થઈ ગયા પછી તમને બેંક અથવા UPI સર્વિસ પ્રોવાઈડર તરફથી કન્ફોર્મેશન મળશે… જો રિવર્સલ સફળ થશે, તો પૈસા તમારા બેંક ખાતામાં પરત કરવામાં આવશે.. આ ઉપરાંત, તમે બેંકની નજીકની શાખામાં પણ જઈ શકો છો… ત્યાં ટ્રાન્ઝેક્શન સંબંધિત તમામ પુરાવા લઈને જાવ… એકવાર બેંકને ખોટા ટ્રાન્ઝેક્શનની તમામ વિગતો મળી જશે… પછી તેઓ તમને રિફંડ અપાવવા માટે ચાર્જબેક શરૂ કરી દેશે.પરંતુ એ વાત ધ્યાનમાં રાખો,, કે આ પ્રક્રિયામાં 45 દિવસ જેટલો સમય લાગી શકે છે… તમને પૈસા મેળવવામાં કેટલો સમય લાગશે,, તે તમારા પ્રૂફ અને ટ્રાન્ઝેક્શન સાથે જોડાયેલી ડિટેલ્સની એક્યુરેસી એટલે કે ચોકસાઈ પર આધારિત છે..
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો