Money9 Gujarati:
સરકારે 6 ફેબ્રુઆરી, 2024થી સસ્તા ચોખાનું વેચાણ શરૂ કર્યું છે. ભારત બ્રાન્ડ હેઠળ બજારમાં રજૂ કરાયેલા આ ચોખાને સરકાર માત્ર 29 રૂપિયાના ભાવે વેચી રહી છે. આ ચોખા 5 કિલો અને 10 કિલોના પેકિંગમાં ઉપલબ્ધ છે. છેલ્લાં 1 વર્ષમાં ચોખાની છૂટક કિંમતમાં 15 ટકા વધારો થયો છે ત્યારે સરકાર દ્વારા સસ્તા ભાવે ચોખાનું વેચાણ શરૂ થવાથી સામાન્ય માણસને ખાદ્ય મોંઘવારીમાં રાહત મળશે. ખાદ્યમંત્રી પીયૂષ ગોયલે 6 ફેબ્રુઆરીએ ‘Bharat Rice’ લૉન્ચ કર્યા હતા.
Centre launches sale of Bharat Rice at an MRP of Rs. 29/kg in 5Kg and 10Kg packs
‘Bharat’ Rice available at physical and mobile outlets of Kendriya Bhandar, National Agricultural Cooperative Marketing Federation of India (@nafedindia) and National Cooperative Consumers'… pic.twitter.com/p0CjnZveIs
— PIB India (@PIB_India) February 6, 2024
ફૂડ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (FCI) બે સહકારી મંડળીઓ, નેશનલ એગ્રીકલ્ચરલ કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઈન્ડિયા લિમિટેડ (NAFED) અને નેશનલ કોઓપરેટિવ કન્ઝ્યુમર ફેડરેશન ઓફ ઈન્ડિયા (NCCF) તેમજ કેન્દ્રીય ભંડારને 5 લાખ ટન ચોખાનું વિતરણ કરશે.
આ એજન્સીઓ ચોખાને 5 કિલો અને 10 કિલોમાં પેક કરશે અને તેને “ભારત” બ્રાન્ડ હેઠળ તેમના આઉટલેટ્સ દ્વારા છૂટક વેચાણ કરશે. ઈ-કોમર્સ પ્લેટફોર્મ દ્વારા પણ ચોખાનું વેચાણ કરવામાં આવશે. ઓપન માર્કેટ સેલ સ્કીમ (OMSS) દ્વારા જથ્થાબંધ ખરીદી કરનારાઓ તરફથી FCIને મોળો પ્રતિસાદ મળ્યો છે. આથી, સરકાર ચોખાનું એટલા જ ભાવે છૂટક વેચાણ કરી રહી છે.
સરકારને આશા છે કે તેને “ભારત રાઈસ” માટે સારો પ્રતિસાદ મળશે. ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે “ભારત આટા” બ્રાન્ડ હેઠળ ઘઉંનો લોટ વેચવાનું શરૂ કર્યું હતું અને તેને જબરજસ્ત પ્રતિસાદ મળ્યો છે. સરકારી એજન્સીઓ દ્વારા, સરકારી ભારત આટા 27.50 રૂપિયા પ્રતિ કિલો અને “ભારત ચણા” 60 રૂપિયા પ્રતિ કિલોના ભાવે વેચવામાં આવે છે.
2023-24માં નિકાસ પર પ્રતિબંધ અને બમ્પર ઉત્પાદન હોવા છતાં, છૂટક કિંમતો હજુ પણ નિયંત્રણમાં નથી. સરકારે સંગ્રહખોરીને રોકવા માટે રિટેલર્સ, હોલસેલર્સ, પ્રોસેસર્સ અને મોટી રિટેલ ચેનને તેમના સ્ટોક્સ જાહેર કરવા પણ જણાવ્યું છે.
નિષ્ણાતો કહે છે કે, સરકાર 80 કરોડ ગરીબ રેશનકાર્ડ ધારકોને મફત રાશન આપી રહી છે ત્યારે FCI ચોખા મોંઘા ન હોઈ શકે કારણ કે FCI પાસે ભરપૂર સ્ટોક છે અને તે OMSS દ્વારા અનાજ વેચે છે. તેથી, ફુગાવો સંભવતઃ ચોખાની બિન-FCI જાતોમાંથી આવે છે, જેનો ગરીબો દ્વારા ઓછો ઉપયોગ કરવામાં આવે છે અને તે ફુગાવા વિશે સાચું ચિત્ર આપતું નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો