Money9: GM એટલે જિનેટિકલી મોડિફાઇડ સરસવનો વિરોધ હકીકતથી જોજનો દૂર લાગી રહ્યો છે. GM ખાદ્ય તેલની આરોગ્ય પર અસર થાય છે તેવો તર્ક આપવામાં આવી રહ્યો છે તેને જો સાચો પણ માનીએ તો અત્યાર સુધી ઘણાં ભારતીયોનું આરોગ્ય ખરાબ થઇ ચૂક્યું હોત કારણ કે ભારતીયો લાંબા સમયથી GM પાકથી તૈયાર થયેલા ખાદ્યતેલનો ઉપયોગ કરી રહ્યાં છે.
ઓક્ટોબરમાં ખાદ્યતેલની આયાત
ઓક્ટોબરમાં સમાપ્ત થયેલા ઓઇલ વર્ષ 2021-22 દરમિયાન દેશમાં 140 લાખ ટનથી વધુ ખાદ્યતેલની આયાત થઇ છે. આયાત થયેલા આ ખાદ્યતેલમાં 41 લાખ ટનથી વધુ સોયાબીન તેલ છે. અને ભારતમાં જે દેશોમાંથી સોયાબીન તેલની આયાત થઇ રહી છે તેમાંથી મોટાભાગના દેશ GM સોયાબીનનું જ ઉત્પાદન કરે છે. નવેમ્બર 2021થી ઓક્ટોબર 2022 દરમિયાન ભારતમાં આયાત થયેલા 41.71 લાખ ટન સોયાબીન તેલમાં 25 લાખ ટનથી વધુ તેલ આર્જેન્ટિનાથી ઇમ્પોર્ટ થયું છે. 12 લાખ ટનથી વધુ બ્રાઝિલથી અને દોઢ લાખ ટનથી વધુ તેલ અમેરિકાથી આવ્યું છે. આ ત્રણેય દેશોમાં તૈયાર થતું સોયાબિન જિનેટિકલી મોડિફાઇડ છે.અને તેમાંથી બનતું તેલ ભારતમાં આયાત થાય છે. જે ઘણાં વર્ષોથી થઇ રહ્યું છે. એટલે ભારતમાં આયાતી GM ખાદ્યતેલનો કોઇ વાંધો નથી પરંતુ સ્થાનિક સ્તરે GM સરસવનો વિરોધ થઇ રહ્યો છે.
GM કપાસની ખેતી
આયાતી GM તેલ તો છોડો, દેશમાં 2002થી GM કપાસની ખેતી થઇ રહી છે. અને તે GM કપાસના બિયારણથી તૈયાર થતા તેલનો ઉપયોગ લાંબા સમયથી થઇ રહ્યો છે. તેલ બાદ જે ઓઇલ કેક બચે છે તેનો ઉપયોગ પશુ આહારમાં થાય છે. અને આ પશુઓનું દૂધ ભારતીયોના ભોજનનો મુખ્ય સ્ત્રોત છે.
GM ખેતીના વિરોધમાં તર્ક એવો આપવામાં આવે છે કે તેના સેવનથી આરોગ્યને નુકસાન પહોંચે છે. પરંતુ લાંબા સમયથી દુનિયાના ઘણાં દેશોમાં આ પ્રકારની ખેતી થઇ રહી છે. અને આ દેશોમાં હજુ સુધી કોઇ આરોગ્ય સંબંધી ફરિયાદો જોવા નથી મળી. બીજી બાજુ આ દેશોનું ઉદાહરણ આપીને ભારતમાં GM ખેતીનો વિરોધ થઇ રહ્યો છે. કપાસના કેસમાં તો GM સીડ્સનો ઉપયોગ ભારતમાં મોટી સક્સેસ સ્ટોરી બની ગઇ છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો