Money9: સમાચારોના લંચ બોક્સમાં વાંચો અત્યાર સુધીના મહત્વના સમાચાર
વ્હોટ્સએપે કર્યું નવું ફિચર લોન્ચ
સોશિયલ મીડિયા એપ વ્હોટ્સએપે નવું ફિચર લોન્ચ કર્યું છે. આ નવા ફિચરને ચેનલ્સ નામ આપવામાં આવ્યું છે. આ સુવિધાની મદદથી મોટા ગ્રુપમાં મેસેજને બ્રોડકાસ્ટ કરી શકાશે. આ ફિચર કોલેજ, સંસ્થાઓ અને કંપનીઓ માટે ઉપયોગી સાબિત થશે. કંપનીએ કહ્યું કે લોકો અને સંગઠનો તરફથી વ્હોટ્સએપમાં મહત્વપૂર્ણ અપડેટ મેળવવાની આ નવી રીત છે.
ડિજિટલ કરન્સી QRને UPIસાથે જોડાશે
રિઝર્વ બેંક ડિજિટલ કરન્સીના ક્યૂઆરને યુપીઆઇ પેમેન્ટ સિસ્ટમ સાથે જોડવાની યોજના પર કામ કરી રહી છે. આરબીઆઇના ડેપ્યુટી ગર્વનર ટી.રવિશંકરે કહ્યું કે કેન્દ્રીય બેંકે આ મહિનાના અંત સુધી ઇ રૂપિયાને સીબીડીસીના વપરાશકર્તાઓની સંખ્યાને 10 લાખ સુધી પહોંચાડવાની યોજના બનાવી છે. તેનાથી બજારમાં રૂપિયાનું ચલણ ઝડપથી વધશે.
HDFC બેંકે ગ્રાહકોને આપ્યો ઝટકો
HDFC બેંકે તેના ગ્રાહકોને ઝટકો આપ્યો છે. બેંકે માર્જિનલ કોસ્ટ ઓફ ફંડ્સ બેઝ્ડ લેંડિંગ રેટમાં વધારો કર્યો છે. બેંકે બધી મુદતના MCLRમાં 5થી લઇને 15 બેઝિસ પોઇન્ટની વૃદ્ધિ કરી છે. નવા દરો 7 જૂનથી લાગુ થઇ ચૂક્યા છે. HDFC બેંકે એક વર્ષના MCLRને વધારીને 9.05 ટકા કર્યો છે. MCLR વધ્યા બાદ કસ્ટમર્સ માટે હોમ લોન, પર્સનલ લોન અને ઓટો લોન લેવાનું મોંઘું થઇ જશે. બેંક ગ્રાહકો માટે હોમલોનની EMIમાં વૃદ્ધિ થશે. ઓટો લોન અને પર્સનલ લોન લેવી હવે વધારે મોંઘી થશે.
શું 500ની નોટ બંધ થશે?
આરબીઆઇ ગર્વનરે 500 અને 1000 રૂપિયાની નોટ પર આપ્યું મોટું નિવેદન.. RBI ગર્વનર શક્તિકાંત દાસે 500 રૂપિયાની નોટ પાછી ખેંચવાનો ઇન્કાર કર્યો છે. RBI ગર્વનરે 1,000 રૂપિયાની નોટ પાછી લાવવાની વાતો માત્ર અફવા ગણાવી છે. અત્યાર સુધીમાં 1 લાખ 80 હજાર કરોડ રૂપિયાની મૂલ્યની 2000ની નોટ RBIની પાસે પાછી આવી ચુકી છે. 2000ની 85 ટકા નોટ બેંક ખાતામાં જમા થઇ ચુકી છે તો 15 ટકા નોટોને એક્સચેન્જ કરવામાં આવી છે. 31 માર્ચ સુધી 3.62 લાખ કરોડ રૂપિયાની 2000ની નોટો ચલણમાં હતી. 2000ની નોટ બદલવાની અંતિમ તારીખ 30 સપ્ટેમ્બર 2023 છે.
સહકારી બેંક NPAને રાઇટ ઓફ કરી શકશે
સહકારી બેંક પણ જલદી NPAની રકમને રાઇટ ઓફ કરી શકશે. બેંક ડિફોલ્ટર્સ સાથે ચૂકવણીની સમજૂતી કરી શકશે. રિઝર્વ બેંકે સ્ટ્રેસ્ડ એસેટ્સ માટે રિઝોલ્યુશન ફ્રેમવર્કનો વ્યાપ વિસ્તારવાનું નક્કી કર્યું છે..સહકારી બેંક અને સમીતિઓ NPSનું સામાધાન કરવા માટે સેટલમેન્ટ એગ્રીમેન્ટ કરી શકશે. RBI આની પર વ્યાપક દિશા-નિર્દેશ જલદી જાહેર કરશે. અત્યાર સુધી NPAના સામાધાનની મંજૂરી ફક્ત કોમર્શિયલ બેંકો અને પસંદગીની NBFCને જ હતી. સહકારી બેંક યોગ્ય પ્રક્રિયાની કમીના કારણે દબાણમાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો