MONEY9: અદાણી એન્ટરપ્રાઈઝ નિફ્ટી 50 ઈન્ડેક્સમાં સ્થાન મેળવશે. તે શ્રી સિમેન્ટને સ્થાને આવશે. અદાણી એન્ટરપ્રાઇઝનો 30 સપ્ટેમ્બર, 2022 ના રોજથી નિફ્ટી 50 ઈન્ડેક્સમાં સમાવેશ કરવામાં આવશે. શું તમે જાણો છો કે નિફ્ટી 50 ઈન્ડેક્સમાં કઇ કંપનીને સ્થાન મળે છે? વેલ, નિફ્ટી 50 ઇન્ડેક્સમાં તેવી કંપનીનો સમાવેશ થાય છે જેના શેર ફ્યુચર અને ઓપ્શન્સ કોન્ટ્રાક્ટ હેઠળ ટ્રેડ થાય છે. અને અદાણી એન્ટરપ્રાઇઝિસ આવો જ એક સ્ટોક હતો.
આગળ અમારી પાસે એવા તમામ રોકાણકારો માટે સમાચાર છે જેઓ ઓછા જોખમ સાથે ઓછા વોલાટાઇલ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન્સમાં રોકાણ કરવાનું પસંદ કરે છે. Axis AMC એ સિલ્વર ETF અને સિલ્વર ફંડ ઑફ ફંડ લૉન્ચ કર્યું છે. બંને NFOના સબ્સ્ક્રિપ્શન્સ સપ્ટેમ્બર 15, 2022ના રોજ બંધ થશે. એક્સિસ સિલ્વર ETFમાં તમે 500 રૂપિયાના ન્યૂનતમ રોકાણ સાથે પ્રારંભ કરી શકો છો. અને એક્સિસ સિલ્વર FOFમાં તમે લઘુતમ 5,000 રૂપિયા સાથે રોકાણ કરી શકો છે.
Whatsapp એ જુલાઈ, 2022 સુધીના 5 મહિનામાં 1 કરોડ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. Whatsapp એ હેટ સ્પીચ, ખોટી માહિતી અને ફેક ન્યૂઝના આધારે આ તમામ એકાઉન્ટ્સ પર પ્રતિબંધ મૂક્યો છે. IT મંત્રાલયે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર કન્ટેન્ટને નિયંત્રિત કરવા માટે ઘણાં પગલાં લીધાં છે. IT મંત્રાલય સોશિયલ મીડિયા યુઝર્સ માટે એક કાનૂની પ્લેટફોર્મ લાવવાની યોજના બનાવી રહ્યું છે જ્યાં તેઓ કોઈપણ ભેદભાવપૂર્ણ કન્ટેન્ટ સામે ફરિયાદ નોંધાવી શકે. સાથે સાથે યુઝર્સ પણ અપીલ કરી શકશે કે જો તેઓ તેમના વિડિયો અથવા પોસ્ટને કોઈપણ માન્ય કારણ વગર દૂર કરવામાં આવ્યા હોય.
સરકારે સામાન્ય માણસ અને દેશના મોટા કોર્પોરેટ પાસેથી સમાન રકમના ટેક્સ વસૂલવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. FY23 ના અંદાજપત્રીય અંદાજમાં, સરકારે રૂ. 14.20 ટ્રિલિયનના ડાયરેક્ટ ટેક્સ કલેક્શનનો લક્ષ્યાંક રાખ્યો છે. આમાંથી, તેણે કોર્પોરેટ પાસેથી રૂ. 7.2 ટ્રિલિયન અને વ્યક્તિગત કરદાતાઓ પાસેથી રૂ. 7 ટ્રિલિયન એકત્રિત કરવાનો અંદાજ મૂક્યો છે. અત્યાર સુધી, ચાલુ નાણાકીય વર્ષમાં, સરકારે રૂ. 4.8 ટ્રિલિયન ડાયરેક્ટ ટેક્સ એકત્રિત કર્યો છે. જે ગયા વર્ષના સમાન ગાળામાં એકત્રિત કરાયેલા કરતા 33 ટકા વધુ છે.
સરકારે કરચોરોની ફરતે ગાળિયો કસ્યો છે. હવેથી GST અધિકારીએ એવા કરચોર સામે કોર્ટમાં કેસ કરી શકશે જેમણે રૂ. 5 કરોડથી વધુની કરચોરી કરી છે અથવા ઇનપુટ ટેક્સ ક્રેડિટનો ખોટી રીતે લાભ લીધો છે. જોકે, કર ચોરી કરવાની આદત ધરાવતા કરચોર કે તપાસ દરમિયાન જેમની ધરપકડ કરવામાં આવી છે તેવા લોકો સામે આ મર્યાદા લાગુ નહીં પડે. સરકાર આવા કરચોરોને પકડવા માટે DIGIT તરીકે ઓળખાતા ડેટાબેઝનો ઉપયોગ કરશે.
સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમીના તાજેતરના ડેટા અનુસાર ઓગસ્ટ, 2022માં 20 લાખ લોકોએ તેમની નોકરી ગુમાવી છે. આ પહેલા જૂન, 2022માં 1.30 કરોડ લોકોએ તેમની નોકરી ગુમાવી હતી. જેને પગલે દેશનો બેરોજગારી દર 8.3 ટકાના એક વર્ષના ઉચ્ચ સ્તરે પહોંચી ગયો છે. ઇકોનોમિક થિંક-ટેન્કના ડિરેક્ટર મહેશ વ્યાસે કહ્યું છે કે દેશમાં ચાલી રહેલી ચોમાસાની સિઝનને કારણે ઘણા લોકોએ તેમની નોકરી ગુમાવી છે. તેમનું કહેવું છે કે આમાંની મોટાભાગની નોકરીઓ ખેતીને લગતી હતી. દર વર્ષે ચોમાસા દરમિયાન એવું બને છે કે ખેડૂતો કંઈપણ ખેતી કરી શકતા નથી અને તેઓ નિષ્ક્રિય બેસી રહે છે. દેશના બેરોજગારીના આંકડા આપતા વ્યાસે જણાવ્યું હતું કે ગ્રામીણ ભારત કરતાં શહેરી ભારતમાં બેરોજગારીનો દર વધુ છે.
હવે ઇન્ડિયન બેન્કે પણ MCLR દર વધાર્યા છે. બેન્કે MCLR બેન્ચમાર્ક ધિરાણ દરને 0.10 ટકા થી વધારીને 7.75 ટકા કર્યો છે. મોટાભાગની રિટેલ લોન બેંકોના એક વર્ષના MCLR સાથે જોડાયેલી હોય છે. તેથી, હોમ લોન, કાર લોન, વ્યક્તિગત લોન જેવી વિવિધ પ્રકારની લોન શનિવારથી તમને મોંઘી પડશે. હાલમાં, ઇન્ડિયન બેંકની હોમ લોન ઓછામાં ઓછા 7.90 ટકાના વ્યાજ દરથી શરૂ થાય છે.
છેલ્લા બે નાણાકીય વર્ષમાં, બીમા લોકપાલે પોલિસીધારકો દ્વારા દાખલ કરવામાં આવેલી 70,000થી વધુ ફરિયાદોનું નિરાકરણ કર્યું છે. હાલમાં, દેશમાં 17 વીમા લોકપાલ કેન્દ્રો છે. જો તમને તમારી વીમા કંપની સામે તકરાર હોય અને તમે લોકપાલમાં ફરિયાદ કરી હોય તેમ છતાં બીમા લોકપાલ એક વર્ષમાં તમારી ફરિયાદનું નિવારણ ના લાવે તો તમે ફરિયાદ દાખલ કર્યાના એક વર્ષની અંદર ભારત સરકારના બીમા લોકપાલનો સંપર્ક કરી શકો છો.
આગળ, અમારી પાસે એવા લોકો માટે સમાચાર છે જેઓ હવાઇ મુસાફરી કરવાનું પસંદ કરે છે. જો તમારી એર ઈન્ડિયાની ફ્લાઈટમાં વિલંબ થાય તો તમે ફલાઇટ બદલી શકો છો. તમને એરલાઇન તરફથી અગાઉથી જ એક સંદેશ મળશે કે તમારી ફ્લાઇટ ફરીથી શેડ્યૂલ કરવામાં આવી છે અથવા વિલંબિત થઈ છે. તમે ઈમરજન્સી દરમિયાન બીજી ફ્લાઈટ બદલી અને પસંદ પણ કરી શકો છો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો