હવે ચણાના ભાવમાં તેજી
તુવેર અને અડદના ભાવમાં ભારે વધારાના ટ્રેન્ડ બાદ ચણાના ભાવમાં પણ તેજી આવી છે. જુલાઈની શરૂઆતની સરખામણીએ અત્યાર સુધીમાં ચણાના ભાવમાં લગભગ 20 ટકાનો વધારો થયો છે. કેન્દ્ર સરકારે 2022-23ની સીઝન દરમિયાન 135.43 લાખ ટન ચણાના રેકોર્ડ ઉત્પાદનનો અંદાજ મૂક્યો છે, જેને ધ્યાનમાં રાખીને વેપારીઓ તેની કિંમતમાં આ વધારાને અસામાન્ય ગણાવી રહ્યા છે. બેન્ચમાર્ક ઈન્દોર માર્કેટયાર્ડમાં ચણાનો ભાવ 30 જૂનના રોજ રૂ.4785 પ્રતિ ક્વિન્ટલ હતો, જે 4 ઓગસ્ટે અત્યંત ઊંચા સ્તરે પહોંચ્યા પછી 17 ઓગસ્ટના રોજ ધીમે ધીમે રૂ.5595 પ્રતિ ક્વિન્ટલ થયો હતો.
શાકભાજી સસ્તી ક્યારે થશે
આવતા મહિને શાકભાજીના ભાવ ઘટી શકે છે…. પરંતુ ક્રૂડ ઓઈલના કારણે ચિંતા વધી રહી છે… સરકારને આશા છે કે બજારમાં નવા પાક આવવાથી આવતા મહિનાથી શાકભાજીના ભાવ ઘટવા લાગશે. … ..જો કે, નાણા મંત્રાલય ક્રૂડ ઓઈલના વધતા ભાવને લઈને ચિંતિત છે…આંશિક રીતે શાકભાજીના કારણે હાલ મોંઘવારી દર ઊંચાઇ પર છે…પરંતુ મોંઘુ ક્રૂડ ઓઈલ મોંઘુ થવા અને રૂપિયો નબળો પડવાથી દેશમાં આયાતી મોંઘવારી બેકાબૂ થઇ શકે છે.
બિલ બતાવો, ઇનામ મેળવો
લોકોમાં બિલ લેવાની આદતને પ્રોત્સાહન આપવા માટે સરકાર લાવી રહી છે ખાસ સ્કીમ…મારું બિલ, મારો અધિકાર…આ યોજના હેઠળ છૂટક કે જથ્થાબંધ દુકાનદાર પાસેથી મેળવેલા બિલને એપ પર ડાઉનલોડ કરવાનું રહેશે. … આમ કરનારા ગ્રાહકોને રૂ. 10 લાખથી રૂ. 1 કરોડ સુધીના પુરસ્કારો મળશે…. એપ પર અપલોડ કરવામાં આવેલા ઇન્વોઇસમાં વિક્રેતાનો GSTIN, ઇનવોઇસ નંબર, ચૂકવેલી રકમ અને ટેક્સની રકમનો ઉલ્લેખ હોવો જરૂરી છે. ગ્રાહકો ન્યૂનતમ રૂ.200નું બિલ અપલોડ કરી શકે છે…. એક વ્યક્તિ મહિનામાં વધુમાં વધુ 25 બિલ અપલોડ કરી શકશે.
આ બેંકની લોન પર પ્રોસેસિંગ ફી ઝીરો
યુનિયન બેંક ઓફ ઈન્ડિયા તેના ગ્રાહકો માટે સારા સમાચાર લઈને આવ્યું છે. બેંક ટુ-વ્હીલર લોન, ઓટો લોન અને હોમ લોન માટે પ્રોસેસિંગ ફી પર 100 ટકા ડિસ્કાઉન્ટ આપી રહી છે. એટલે કે હવે કન્ઝ્યુમર લોન લેનારાને કોઇ પ્રોસેસિંગ ફી નહીં ચૂકવવી પડે. આ ઓફર 15 નવેમ્બર સુધી ઉપલબ્ધ રહેશે. બેંક ઓફ મહારાષ્ટ્રે પણ હોમ અને કાર લોન પરના વ્યાજ દરમાં 20 બેસિસ પોઈન્ટનો ઘટાડો કર્યો છે… બેંક પણ ગ્રાહકોને પ્રોસેસિંગ ફીમાંથી મુક્તિ આપી રહી છે… બેંક ઓફ મહારાષ્ટ્ર 8.5 ટકાના દરે હોમ લોન ઓફર કરી રહી છે. ..
આ બેંકે ડિપોઝિટ રેટ વધાર્યા
આરબીએલ બેંકે બચત ખાતા પરના વ્યાજ દરોમાં વધારો કરવાની જાહેરાત કરી છે… આરબીએલ બેંકે એનઆરઓ અને એનઆરઆઈ સહિતના બચત ખાતા પરના વ્યાજ દરમાં અડધા ટકાનો વધારો કર્યો છે… નવા વ્યાજ દરો 21 ઓગસ્ટથી અમલમાં આવ્યા છે….ડેઇલી બેલેન્સવાળા સેવિંગ્સ એકાઉન્ટ્સ પર 1 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર 4.25 ટકા વ્યાજ આપવામાં આવશે…. 10 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર બેંક 5.5 ટકાના દરે વ્યાજ ચૂકવશે… 25 લાખ રૂપિયા સુધીની ડિપોઝિટ પર બેંક 6 ટકા વ્યાજ ઓફર કરી રહી છે.
24 કલાક હેલ્પડેસ્ક
એસબીઆઈ લાઈફ ઈન્સ્યોરન્સે 24 કલાક સાતેય દિવસ કામ કરતું હેલ્પડેસ્ક શરૂ કર્યું છે… આ સેન્ટર ગ્રાહકોને વેચાણ પહેલાં અને પછીની સેવા પૂરી પાડશે… એસબીઆઈ લાઈફ આમ કરનારી પ્રથમ ભારતીય ખાનગી જીવન વીમા કંપની બની ગઈ છે…. કસ્ટમર કેર સપોર્ટ સેન્ટર 365 દિવસ હાલના અને સંભવિત નવા ગ્રાહકોની દરેક પ્રકારની શક્ય મદદ કરશે…પ્રશિક્ષિત કર્મચારી વીમા સાથે સંબંધિત તમામ પ્રશ્નોના જવાબ આપશે. કસ્ટમર કેર સેન્ટર ગ્રાહકોને ટેક્નિકલ સપોર્ટ પણ આપશે…
મોંઘા મકાન, મોંઘી કારની માંગ વધી
એક તરફ દેશમાં સસ્તા ઘરો અને નાની કારની માંગ સતત ઘટી રહી છે તો બીજી તરફ લક્ઝરી હાઉસ અને મોંઘા વાહનોની માંગમાં ઘણો વધારો નોંધાયો છે…આ વર્ષે જાન્યુઆરીથી જૂન દરમિયાન લકઝરી ઘરોની ડિમાંડમાં 130 ટકાનો વધારો થયો છે. હૈદરાબાદમાં તો આ માંગ 14 ગણી વધી છે….દિલ્હી એનસીઆરમાં માંગ 3 થી 4 ગણી વધુ નોંધાઈ છે… બીજી તરફ મોંઘી કારની માંગને જોતા કાર કંપનીઓએ પણ ઉત્પાદનને લઈને રણનીતિ બદલી છે… હવે કાર કંપનીઓ મોટાભાગે રૂ. 10 થી 20 લાખની કારના ઉત્પાદન પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો