ઘટી શકે છે શાકભાજીના ભાવ
RBI ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે સપ્ટેમ્બર સુધીમાં શાકભાજીના ભાવમાં મોટો ઘટાડો થઈ શકે છે. એક કાર્યક્રમમાં આરબીઆઈ ગવર્નરે કહ્યું કે સરકારે યોગ્ય સમયે હસ્તક્ષેપ કર્યો છે. જેના કારણે દેશમાં અનાજની કોઈ અછત નથી અને યોગ્ય પુરવઠાને કારણે કિંમતને અંકુશમાં રાખવામાં મદદ મળી છે. આ સાથે તેમણે કહ્યું કે, જો કે મોંઘવારીનો દર હજુ પણ અપેક્ષા કરતા વધારે છે, પરંતુ છેલ્લા કેટલાક મહિનામાં એવા સંકેતો જોવા મળી રહ્યા છે કે આગામી દિવસોમાં મોંઘવારીમાંથી રાહત મળે તેવી અપેક્ષા છે.
દવાઓ મોંઘી થઇ
છેલ્લા 5 વર્ષમાં દેશમાં તબીબી ખર્ચ બમણાથી પણ વધુ વધી ગયો છે… આ ઉપરાંત, કોરોના રોગચાળા પછી આરોગ્ય વીમો પણ મોંઘો થઈ ગયો છે… જે સામાન્ય બીમારીઓ માટે હોસ્પિટલમાં દાખલ થવાની જરૂર પડે છે, તેની સારવારનો ખર્ચ પાંચ વર્ષમાં બમણાથી વધુ થઈ ગયો છે. પોલિસીબાઝારના જણાવ્યા અનુસાર ચેપી રોગો માટે દવાની સરેરાશ કિંમત 2018માં રૂ. 24,569 થી વધીને 2022માં રૂ. 64,135 થઈ ગઈ છે…શ્વાસ સાથે સંકળાયેલી બીમારીઓ માટે ક્લેમ કરનારાની સંખ્યામાં પણ વધારો જોવા મળી રહ્યો છે.
ચોખાનો નિકાસ પ્રતિબંધ વધી શકે
નોન-બાસમતી સેલા ચોખાની નિકાસ પર ડ્યુટી પ્રતિબંધ વધી શકે છે. આ ઉપરાંત સરકાર પરિસ્થિતિના આધારે બાસમતી ચોખાની જાત માટે મિનિમમ એક્સપોર્ટ પ્રાઇસ એટલે કે MEP લગાવી શકે છે. મીડિયા અહેવાલો અનુસાર, સરકાર બિન-બાસમતી સેલા ચોખાની નિકાસ પર 20 ટકા ડ્યુટી લગાવવાની યોજના બનાવી રહી છે. જ્યારે બાસમતી ચોખા પર લગભગ 1,250 ડોલર પ્રતિ ટન MEP લાદવામાં આવી શકે છે. જોકે, આ નિર્ણય સ્થાનિક ચોખાના ભાવ સહિત અનેક પરિબળો પર નિર્ભર રહેશે.
ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાગશે
ઘઉં અને ચોખા બાદ હવે સરકાર ખાંડની નિકાસ પર પણ લગાવી શકે છે પ્રતિબંધ…. છેલ્લા સાત વર્ષમાં પહેલીવાર ખાંડની નિકાસ પર પ્રતિબંધ લાગી શકે છે… સરકારનું સમગ્ર ધ્યાન દેશની સ્થાનિક જરૂરિયાત પૂરી કરવા પર છે… આ સિવાય સરકાર શેરડીમાંથી ઇથેનોલનું ઉત્પાદન પણ વધારવા માંગે છે…. અગાઉ 2016માં સરકારે ખાંડની નિકાસ પર 20 ટકા ટેક્સ લગાવ્યો હતો….ત્યારે દેશમાં ખાંડની ઉપલબ્ધતા વધારવા માટે આવું કરવામાં આવ્યું હતું.
હોમ લોન સસ્તી થઇ શકે
તમે હોમ લોન પરના ઊંચા વ્યાજ દરથી રાહત મેળવી શકો છો… ઔદ્યોગિક સંસ્થા PHDCCI એ રિયલ એસ્ટેટ, બેન્કિંગ અને વિદેશ વેપાર સંબંધિત તેમની ભલામણો આરબીઆઈને સુપરત કરી છે..વૈશ્વિક આર્થિક પડકારો વચ્ચે વૃદ્ધિને પ્રોત્સાહિત કરવા માટે રિયલ એસ્ટેટ માટે વ્યાજ દરોને ઘટાડવાની અપીલ કરવામાં આવી છે. PHDCCIનું કહેવું છે કે નીચા વ્યાજ દરોથી રોકાણને પ્રોત્સાહન મળશે..સ્પર્ધા વધુ સારી રહેશે અને મંદીનો સામનો કરી રહેલા ઉદ્યોગોને મદદ મળશે.
AIથી નોકરીઓ નહીં જાય
ઇન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઇઝેશને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સને ફાયદાકારક ગણાવ્યું છે….સંસ્થાએ કહ્યું છે કે AI નોકરીઓ ખતમ કરવાને બદલે કેટલાક કાર્યોમાં મદદ કરી શકે છે…આવા સંજોગોમાં એઆઇના કારણે નોકરીઓના સમાપ્ત થવાના બદલે નોકરીઓના વધવાની સંભાવના છે. નાસકોમે એમ પણ કહ્યું છે કે દેશમાં નોકરીઓ પર જનરેટિવ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની અસર હજુ સ્પષ્ટ નથી. AI નોકરીઓ ઘટાડવાને બદલે ભૂમિકામાં પરિવર્તન લાવશે….
સોનાના ભાવમાં વધારો
આજે સપ્તાહના ચોથા દિવસે ગુરુવારે સોનાના ભાવમાં વધારો જોવા મળી રહ્યો છે. દેશભરમાં 10 ગ્રામ સોનાની કિંમતમાં 100 રૂપિયાથી વધીને 350 રૂપિયા સુધીની તેજી જોવા મળી છે. સોનાનો ભાવ 59,000 રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ચાંદીની કિંમતમાં 500 રૂપિયાનો વધારો થયો છે અને આજે ચાંદી 75,300 રૂપિયા પ્રતિ કિલો પર ટ્રેડ થઈ રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો