Money9: આ વર્ષે, કામ કરતા લોકોના પગારમાં સરેરાશ 10 ટકાનો વધારો થઈ શકે છે… કન્સલ્ટન્સી ફર્મ મર્સરના ટોટલ રેમ્યુનરેશન સર્વે નામના રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સર્વેમાં મર્સરે કહ્યું છે કે 2024માં કોર્પોરેટ જગતમાં સરેરાશ પગારમાં 10 ટકાનો વધારો થઈ શકે છે, જ્યારે 2023માં 9.5 ટકાનો પગાર વધારો થયો હતો. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક મોરચે ભારતના મજબૂત પ્રદર્શનને કારણે આ ટ્રેન્ડ દેખાઈ રહ્યો છે. સર્વે અનુસાર, ભારતમાં ઓટોમોબાઈલ, મેન્યુફેક્ચરિંગ, એન્જિનિયરિંગ અને લાઈફ સાયન્સમાં કામ કરતા કર્મચારીઓના પગારમાં સૌથી વધુ વધારો જોવા મળી શકે છે. આ સર્વે મે થી ઓગસ્ટ 2023 વચ્ચે કરવામાં આવ્યો હતો, જેમાં 21 લાખ કર્મચારીઓનું પ્રતિનિધિત્વ કરતી 6000 જોબ રોલ્સ અંગે 1474 કંપનીઓ પાસેથી ડેટા એકત્રિત કરવામાં આવ્યો હતો. સર્વેમાં વિવિધ ઉદ્યોગોમાં સેલેરીના ટ્રેન્ડ્સ પર ફોકસ કેન્દ્રિત કરવામાં આવ્યું જેમાં એમ્પ્લોઇઝ પર્ફોર્મન્સ, ઓર્ગેનાઇઝેશન પર્ફોર્મન્સ અને પોઝિશન જેવા 3 સ્ટાન્ડર્ડ હતા જેના આધારે ઇન્સ્ક્રીમેન્ટની રેન્જ નક્કી કરવામાં આવી છે.
મહિન્દ્રા એન્ડ મહિન્દ્રાએ 27 ફેબ્રુઆરીએ મહિન્દ્રા થારની અર્થ એડિશન લોન્ચ કરી છે. કંપનીનું કહેવું છે કે ઓફરોડિંગ એસયુવીની, અર્થ એડિશન થાર ડેઝર્ટથી પ્રેરિત છે. તે 4-વ્હીલ ડ્રાઇવ ઓપ્શનની સાથે પેટ્રોલ અને ડીઝલ બંને એન્જિન સાથે લોન્ચ કરવામાં આવી છે. થારનું સ્પેશિયલ એડિશન ટોપ વેરિઅન્ટ LX, હાર્ડ ટોપ પર આધારિત છે. નવી થાર સ્પેશિયલ ડેઝર્ટ, ફ્યુરી સાટિન મેટ કલરની સાથે ચાર વેરિઅન્ટમાં લોન્ચ કરવામાં આવી છે. તેની એક્સ-શોરૂમ કિંમત 15.40 લાખ રૂપિયાથી 17.60 લાખ રૂપિયાની વચ્ચે છે. ભારતમાં તેની સ્પર્ધા ફોર્સની ગુરખા અને મારુતિ સુઝુકી જિમ્ની સાથે થશે.
સ્મોલકેપ અને મિડકેપ ફંડ્સમાં રોકાણ સાથે સંકળાયેલા જોખમોને લઇને સ્ટોક માર્કેટ રેગ્યુલેટર સેબીએ મ્યુચ્યુઅલ ફંડ્સને કહ્યું છે કે તે આ ફંડ્સમાં રોકાણ સાથે સંકળાયેલા જોખમો અંગે રોકાણકારો સાથે શક્ય તેટલી વધુ માહિતી શેર કરે. વાસ્તવમાં, તાજેતરના વર્ષોમાં, સ્મોલકેપ અને મિડકેપ ફંડ્સમાં રોકાણકારો દ્વારા ભારે રોકાણ જોવા મળ્યું છે… અને આ જ સેબીની ચિંતાનું કારણ બન્યું છે… સેબીને ડર છે કે જો શેરબજારમાં તીવ્ર ઘટાડો થશે, તો સ્મોલકેપ અને મિડકેપ ફંડ્સ કેવું બિહેવ કરશે?
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો