SBI ગ્રાહકોને ફાયદો
જો તમે SBI બેંકના ગ્રાહક છો અને તમે PPF એકાઉન્ટ ખોલવાનું વિચારી રહ્યા છો તો હવે તમારે ચિંતા કરવાની જરૂર નથી. હકીકતમાં SBI એક એવી સુવિધા આપી રહી છે જેનાથી ગ્રાહકો PPF એટલે કે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ ઘરે બેઠા ખોલી શકે છે. બસ આના માટે તમારા બચત ખાતાની કેવાયસી હોવી જરૂરી છે..એટલે કે તમારું આધાર..બચત ખાતા સાથે લિંક થયેલું હોવું જોઈએ..અને મોબાઈલ નંબર આધાર નંબર સાથે લિંક થયેલો હોવો જોઈએ..એસબીઆઈ ઈન્ટરનેટ બેન્કિંગ દ્વારા લોગ ઇન કરીને તમે આ ખાતું ખોલી શકો છો.
આ કંપની ફરી કરશે છટણી
માઈક્રોસોફ્ટની સોશિયલ મીડિયા કંપની LinkedIn ફરી એકવાર છટણી કરશે. આ વર્ષે આવું બીજી વખત થશે જ્યારે LinkedInએ છટણી કરવાનો નિર્ણય લીધો છે. કંપનીએ સોમવારે એક નિવેદનમાં જણાવ્યું કે તે કુલ 668 કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મુકવા જઈ રહી છે. આમાં એન્જિનિયરિંગથી લઈને ટેલેન્ટ અને ફાઇનાન્સ ટીમમાં કામ કરનારા કર્મચારીઓનો સમાવેશ થાય છે. કંપની આજકાલ રેવન્યૂ ગ્રોથમાં મંદીનો સામનો કરી રહી છે. કંપનીમાં કુલ 20,000 કર્મચારીઓ છે અને આ છટણીના પ્રભાવમાં 3 ટકાથી વધુ કર્મચારીઓ આવવાના છે. અગાઉ મે મહિનામાં, LinkedInએ 716 લોકોને નોકરીમાંથી છૂટા કર્યા હતા.
Jio ફાઇનાન્સનો નફો વધ્યો
લિસ્ટિંગ પછી પ્રથમ વખત, જિયો ફાઇનાન્સિયલ સર્વિસિઝે તેના ત્રિમાસિક પરિણામો જાહેર કર્યા છે. 101 ટકાના ઉછાળા સાથે, કંપનીએ રૂ. 668.18 કરોડનો નફો કર્યો છે, જે અગાઉના ક્વાર્ટરમાં રૂ. 331.92 કરોડ હતો. Jio ફાયનાન્સિયલ સર્વિસિસની ઓપરેશનથી ઇનકમ 47 ટકા વધીને રૂ. 608 કરોડ થઈ છે. જ્યારે કંપનીએ વ્યાજમાંથી કુલ રૂ. 186 કરોડની કમાણી થઇ છે. એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં કંપનીએ વ્યાજમાંથી રૂ. 202 કરોડનો નફો કર્યો હતો. કંપનીએ ડિવિડન્ડમાંથી કુલ રૂ. 217 કરોડની આવક કરી છે. કંપની 21 ઓગસ્ટ, 2023ના રોજ સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થઈ હતી.
ફ્લેટોનું વેચાણ વધ્યું
દેશના સાત મોટા શહેરોમાં આ વર્ષે જાન્યુઆરી-સપ્ટેમ્બર દરમિયાન એપાર્ટમેન્ટનું વેચાણ વાર્ષિક ધોરણે 21 ટકા વધીને એક લાખ 96 હજાર 227 યુનિટ થયું છે. પ્રોપર્ટી કન્સલ્ટન્ટ જેએલએલ ઈન્ડિયાના જણાવ્યા અનુસાર આ વર્ષે જાન્યુઆરી-સપ્ટેમ્બરમાં એપાર્ટમેન્ટનું વેચાણ વર્ષ 2022ના કુલ વેચાણના 91 ટકા સુધી પહોંચી ગયું છે. તમામ સાત શહેરોમાં બ્રાન્ડેડ ડેવલપર્સનું વેચાણ સારું રહ્યું છે.. વધુમાં, રિઝર્વ બેંક રેપો રેટ સતત ચોથી વખત યથાવત રાખ્યો હોવાથી ઘરોના વેચાણ પર સકારાત્મક અસર પડશે.
આ બેંકની એફડી પર વધુ વ્યાજ
યુનિટી સ્મોલ ફાઇનાન્સ બેંકે તહેવારોની સિઝનમાં ગ્રાહકોની ખુશીઓમાં વધારો કર્યો… બેંકે ફિક્સ ડિપોઝિટ પર વ્યાજ દર વધારવાની જાહેરાત કરી છે… હવે તમને રૂ. 2 કરોડથી ઓછી FD પર પહેલા કરતા વધુ વ્યાજ મળશે… 701 દિવસની એફડી પર સામાન્ય સામાન્ય ગ્રાહકોને બેંક 8.95 ટકા વ્યાજ આપી રહી છે… અને વરિષ્ઠ નાગરિકોને 9.45 ટકા વ્યાજ આપી રહી છે… 1001 દિવસની FD પર, બેંક વરિષ્ઠ નાગરિકોને 9.50 ટકા વ્યાજ આપી રહી છે… જ્યારે સામાન્ય ગ્રાહકોને આ FD પર 9 ટકા વ્યાજ મળશે…
વેપારીઓને સરકારની ચેતવણી
તહેવારોની સિઝનમાં ખાંડનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકારે એક મોટું પગલું ભર્યું છે… સરકારે ખાંડના વેપારીઓને તેમનો ખાંડનો સ્ટોક જાહેર કરવા માટે અંતિમ ચેતવણી આપી છે… તેની સીમા મંગળવારે સમાપ્ત થઇ રહી છે. આમ નહીં કરનારા સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. સરકારના ધ્યાનમાં આવ્યું છે કે ઘણા વેપારીઓ પાસે અઘોષિત ખાંડનો સ્ટોક છે અને આ વેપારીઓ નિયમિતપણે તેમનો સ્ટોક જાહેર નથી કરતા. જેનાથી ખાંડ બજારના સંતુલનને અસર થઇ રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો