સૂત્રોના જણાવ્યા અનુસાર રૂ. 2000 ની નોટો માટે એક્સચેન્જની સુવિધા માત્ર બેંક શાખાઓમાં જ ઉપલબ્ધ હશે અને પોસ્ટ ઓફિસ દ્વારા કરી શકાશે નહીં. “એક્સચેન્જની સુવિધા માત્ર બેંકોમાં જ ઉપલબ્ધ છે. રૂ. 2000ની નોટ લીગલ ટેન્ડર હોવાથી ગ્રાહકો જમા કરાવી શકે છે,” સૂત્રોએ જણાવ્યું હતું.
લોકો આજથી તેમના રૂ. 2000ની નોટ બદલી અથવા જમા કરાવવાનું શરૂ કરી શકે છે, એમ RBIએ ગયા અઠવાડિયે રૂ. 2000ની નોટોને ચલણમાંથી પાછી ખેંચવાના નિર્ણયની જાહેરાત કરતી વખતે જણાવ્યું હતું.
ભારતીય રિઝર્વ બેંક (RBI) એ શુક્રવારે રૂ. 2000 મૂલ્યની ચલણી નોટો ચલણમાંથી પાછી ખેંચી લેવાનો નિર્ણય કર્યો હતો, પરંતુ ઉમેર્યું હતું કે તેઓ લિગલ ટેન્ડર તરીકે ચાલુ રહેશે. આરબીઆઈએ બેંકોને તાત્કાલિક અસરથી રૂ. 2000 મૂલ્યની નોટ જારી કરવાનું બંધ કરવાની પણ સલાહ આપી હતી.
Published - May 23, 2023, 03:15 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો