ચોખાનું ઉત્પાદન ઘટશે
આ વર્ષે દેશમાં ચોખાના ઉત્પાદનમાં 5 ટકાનો ઘટાડો થવાની ધારણા છે… ચોખાના ઉત્પાદક રાજ્યો પશ્ચિમ બંગાળ, ઓડિશા, ઝારખંડ, છત્તીસગઢ, પૂર્વ ઉત્તર પ્રદેશ અને બિહારમાં ઓછા વરસાદને કારણે ઉત્પાદનમાં ઘટાડો થવાની ધારણા છે…. કૃષિ મંત્રાલયના ત્રીજા આગોતરા ઉત્પાદન અંદાજ મુજબ….. FY2023માં ખરીફ ચોખાનું ઉત્પાદન 11 કરોડ ટન હતું….જો ઉત્પાદનમાં 5 ટકાનો ઘટાડો થશે તો ઉત્પાદન લગભગ 55 લાખ ટન ઘટીને 10.45 કરોડ ટન થઈ જશે.
બાસમતી ચોખાની નિકાસ પર અંકુશ
સરકારે 1,200 ડોલર પ્રતિ ટનથી ઓછી કિંમતના બાસમતી ચોખાની નિકાસને મંજૂરી નહીં આપવાનો નિર્ણય કર્યો છે. આ નિર્ણય એટલા માટે લેવામાં આવ્યો છે કે પ્રીમિયમ બાસમતી ચોખાની આડમાં સફેદ નોન-બાસમતી ચોખાની ગેરકાયદે નિકાસ ન થઈ શકે. વાણિજ્ય મંત્રાલયે જણાવ્યું હતું કે વેપાર પ્રમોશન સંસ્થા એગ્રીકલ્ચરલ એન્ડ પ્રોસેસ્ડ ફૂડ પ્રોડક્ટ્સ એક્સપોર્ટ ડેવલપમેન્ટ ઓથોરિટી એટલે કે APEDAને 1,200 ડોલર પ્રતિ ટનથી નીચેના કોન્ટ્રાક્ટની નોંધણી ન કરવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે.
સટ્ટાબાજીની જાહેરાતો પર સખ્તાઇ
ટીવી પર સટ્ટાબાજીની જાહેરાતો દેખાડનારાઓનું હવે આવી બનશે. એશિયા કપ અને ક્રિકેટ વર્લ્ડ કપ જેવી મોટી રમતગમતની ઈવેન્ટ પહેલા કેન્દ્ર સરકારે ઓનલાઈન સટ્ટાબાજી એટલે કે બેટિંગની જાહેરાતો કે તેને પ્રકાશિત કરનાર સામે પગલાં લેવાની ચેતવણી આપી છે. માહિતી અને પ્રસારણ મંત્રાલયે ન્યૂઝ પેપર્સ, ટેલિવિઝન ચેનલો, ડિજિટલ મીડિયા અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મને આપેલી એડવાઇઝરીમાં જણાવ્યું છે કે સટ્ટાબાજી અને જુગાર સંબંધિત પ્લેટફોર્મની જાહેરાતોને પ્રદર્શિત કરવાથી બચવું જોઈએ.
જનધન યોજનામાં 50 કરોડ ખાતા
પીએમ જન ધન યોજના હેઠળ, છેલ્લા 9 વર્ષમાં 50.09 કરોડ ખાતા ખોલવામાં આવ્યા છે અને તેમાં 2.03 લાખ કરોડ રૂપિયા જમા થયા છે. પીએમ જન ધન યોજના હેઠળ ખાતું ઝીરો બેલેન્સ સાથે ખોલવામાં આવે છે અને ફ્રી ડેબિટ કાર્ડ સાથે ઓવરડ્રાફ્ટની સુવિધા પણ આપવામાં આવે છે. આ કેન્દ્ર સરકારની યોજના છે જે 28 ઓગસ્ટ 2014ના રોજ શરૂ કરવામાં આવી હતી.
Xનું બીટા વર્ઝન લોન્ચ
સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X એ હાયરિંગનું બીટા વર્ઝન લોન્ચ કર્યું છે. આના દ્વારા કંપનીઓ X પર જોબ વેકેન્સી મૂકી શકશે, જેનાથી લોકોને નોકરી મેળવવામાં સરળતા રહેશે અને કંપનીઓને યોગ્ય કર્મચારીઓ મળવામાં સરળતા રહેશે. Xનું આ નવું પગલું જોબ સર્ચ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ LinkedIn ને પડકાર આપી શકે છે.
ટૂર કંપનીઓ આઇટીના સ્કેનરમાં
6 વિદેશી ટૂર કંપનીઓ આવકવેરા વિભાગના સ્કેનર હેઠળ આવી ગઇ છે. આ કંપનીઓ પર ઓછી આવક દર્શાવવાનો, નિર્ધારિત કર કપાત ન કરવાનો અને હવાલા રેકેટ અથવા અનૌપચારિક ફંડ ટ્રાન્સફર દ્વારા વિદેશમાં નાણાં મોકલવામાં તેમની સંડોવણીનો આરોપ છે.
AIથી નોકરીઓ નહીં ઘટે
ટાટા સન્સના ચેરમેન એન ચંદ્રશેખરને જણાવ્યું છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ ભારતમાં વધુ નોકરીઓનું સર્જન કરશે…. ચંદ્રશેખરનનું માનવું છે કે ઓછી સ્કીલવાળા કે સ્કીલ વગરના લોકોને ઉચ્ચ સ્તરે વધુ સારું પ્રદર્શન કરવા માટે AI કાબેલ બનાવશે… તેમણે કહ્યું કે ભારતે ટેક્નિકલ-કાયદાકીય દ્રષ્ટિકોણ અપનાવીને ખાનગી માહિતીની ગોપનીયતા અને સુરક્ષામાં વધારો કર્યો છે. તેથી AI ના આગમનથી કોઈપણ પ્રકારનું જોખમ નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો