GDP 8 ટકા થશે?
મજબૂત આર્થિક પ્રવૃતિઓ, સકારાત્મક ધારણા અને વધતા ખાનગી રોકાણ સાથે, ઉદ્યોગ જગતને આશા છે કે ચાલુ નાણાકીય વર્ષમાં અર્થવ્યવસ્થા 7.5 થી 8 ટકાની ઝડપે વૃદ્ધિ કરશે. 2024-25માં જીડીપી વૃદ્ધિ દર 8 ટકા રહી શકે છે. જોકે, વૈશ્વિક કટોકટી પણ આર્થિક વૃદ્ધિ સામે પડકારો ઉભા કરે છે. ઇન્ડસ્ટ્રી બોડી FICCIના નવનિયુક્ત પ્રમુખ અનીશ શાહે સોમવારે જણાવ્યું કે, આપણે અત્યાર સુધીમાં 7.8 ટકા અને 7.6 ટકા વૃદ્ધિના સારા આંકડા જોયા છે. અમે જોઇ રહ્યાં છીએ કે ઘણી કંપનીઓ રોકાણ કરી રહી છે અને ક્ષમતા વધારી રહી છે. તેથી, એવો અંદાજ છે કે 2023-24માં આર્થિક વૃદ્ધિ દર 7.5 થી 8 ટકા રહેશે. તો આવતા નાણાકીય વર્ષમાં જીડીપીનો વૃદ્ધિ દર 8 ટકા અથવા તેનાથી વધુ હોઈ શકે છે.
વિમાન મુસાફરી માટે નિયમો આવ્યા
ઘણી વખત, વિવિધ કારણોસર ફ્લાઇટ્સ વિલંબિત અથવા રદ થાય છે. જેના કારણે મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે. આવી સ્થિતિમાં, ફ્લાઇટ કેન્સલ થવાના કિસ્સામાં તમારા અધિકારો વિશે જાણવું મહત્વપૂર્ણ છે… DGCAએ આના માટે કેટલાક નિયમો બનાવ્યા છે. ફ્લાઇટમાં વિલંબ અથવા રદ થવાના કિસ્સામાં, મુસાફરોને રિફંડ અને અન્ય ઘણી રાહતો મળે છે. નાગરિક ઉડ્ડયન મંત્રાલયે પોતે આ નિયમો વિશે માહિતી આપી છે… નાગરિક ઉડ્ડયન મંત્રાલયના નોટિફિકેશન મુજબ, જો એરલાઇન કંપની ફ્લાઇટ કેન્સલ કરે છે, તો આવી સ્થિતિમાં તેણે ક્યાં તો બીજી ફ્લાઇટની સુવિધા આપવી પડશે. અથવા પેસેન્જરને ટિકિટના પૂરા પૈસા રિફંડ કરવાની સાથે જ વધારાનું વળતર પણ ચૂકવવું પડશે…. એટલું જ નહીં, એરલાઈન્સે મુસાફરો માટે ખાવા-પીવાની વ્યવસ્થા પણ કરવી પડશે. જો પેસેન્જર એરપોર્ટ પર ચેક ઇન કરી ચૂક્યો છે તો તેના વૈકલ્પિક ફ્લાઇટમાં બેસવા સુધી ખાવા-પીવાનું ધ્યાન રાખવાની જવાબદારી એરલાઇન્સની રહેશે.
કોટક બેંકે FD રેટ વધાર્યા
કોટક મહિન્દ્રા બેંકે ફિક્સ ડિપોઝિટ પરના વ્યાજ દરમાં વધારો કર્યો છે. હવે કોટક બેંકમાં FD કરવા પર સામાન્ય નાગરિકોને 2.75 ટકાથી 7.25 ટકા સુધીનું વ્યાજ મળશે. જો આપણે વરિષ્ઠ નાગરિકોની વાત કરીએ તો તેમને હવે FD પર 3.25 ટકા થી 7.80 ટકા વ્યાજ મળશે. બેંકે 2 કરોડ રૂપિયાથી ઓછીની FD પર વ્યાજ દરમાં વધારો કર્યો છે. નવા વ્યાજ દરો 11 ડિસેમ્બરથી લાગુ થઈ ગયા છે.
RBIની OPS અંગે ચેતવણી
ઓલ્ડ પેન્શન સ્કીમને લાગુ કરવાને લઈને આરબીઆઇએ 16મા નાણાં પંચને ઘણા સૂચનો આપ્યા છે. RBIએ પોતાના રિપોર્ટમાં નવી પેન્શન સ્કીમને બદલે જૂની પેન્શન સ્કીમના વાયદાઓ પર ચિંતા વ્યક્ત કરી છે. RBIએ કહ્યું કે, જો તમામ રાજ્યો જૂની પેન્શન સ્કીમ એટલે કે OPS લાગુ કરે તો તિજોરી પર મોટો બોજ પડશે. OPS ને પાછી લાવવા સામે ચેતવણી આપતા RBIએ કહ્યું કે આનાથી રાજકોષીય બોજ 4.5 ગણો વધશે અને OPS સરકારી તિજોરી માટે ખૂબ જ નુકસાનકારક સાબિત થશે. આવતા વર્ષે દેશમાં સામાન્ય ચૂંટણી છે. આવી સ્થિતિમાં આરબીઆઈએ પોપ્યુલિસ્ટ વચનો દ્વારા ખર્ચ વધારવાને બદલે આવક વધારવાનું સૂચન કર્યું છે.
મોંઘવારી અંકુશમાં
નાણા પ્રધાન નિર્મલા સીતારમણે સોમવારે જણાવ્યું કે રિટેલ ફુગાવો હવે ‘સ્થિર’ છે અને કેટલાકવાર ફુગાવામાં કામચલાઉ વધારો વૈશ્વિક ઝટકાઓ અને પ્રતિકૂળ હવામાન પરિસ્થિતિઓને કારણે માંગ-પુરવઠામાં તફાવતને કારણે થયો છે. લોકસભામાં એક લેખિત જવાબમાં, સીતારમણે કહ્યું કે ભારતનો છૂટક ફુગાવો એપ્રિલ-ઓક્ટોબર 2022માં સરેરાશ 7.1 ટકાની એવરેજથી ઘટીને 2023ના સમાન સમયગાળામાં 5.4 ટકા થઇ ગયો છે.
ઘરોનું વેચાણ વધશે?
મકાનોની વધતી કિંમતો અને મોંઘી લોનના કારણે છેલ્લા બે વર્ષમાં દેશના સાત મોટા શહેરોમાં મકાન ખરીદવાની લોકોની ક્ષમતા પર અસર પડી છે….રિયલ એસ્ટેટ કન્સલ્ટન્ટ કંપની જેએલએલ ઈન્ડિયાએ આશા વ્યક્ત કરી છે કે….પોલીસી રેપો રેટમાં આવતા વર્ષે ઘટાડો થવાથી ઘર ખરીદનારાઓની ક્ષમતા વધશે… આનાથી ઘરના વેચાણને વધુ વેગ મળશે…જો કે રહેણાંક મકાનોના ભાવમાં વધારો… અને હોમ લોન પરના વ્યાજ દરોમાં વધારો થયો હોવા છતાં છેલ્લા બે વર્ષમાં ઘરનું વેચાણ વધ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો