રેપો રેટ યથાવત
સતત ત્રીજી વખત રિઝર્વ બેંકે રેપો રેટમાં કોઈ ફેરફાર નથી કર્યો. મોનેટરી પોલિસી કમિટીની બેઠકમાં રેપો રેટને 6.5% પર સ્થિર રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ સાથે, લોન લેનારાઓને ઘણી રાહત મળશે કારણ કે તેમના પર EMIનો બોજ વધશે નહીં. રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું કે ખાદ્ય ફુગાવાના કારણે ફુગાવાના લક્ષ્યાંકને હાંસલ કરવામાં મુશ્કેલીઓ આવી રહી છે. પરંતુ અમારો ભાર રિટેલ ફુગાવાને 4 ટકાના લક્ષ્યની અંદર રાખવા પર છે. આ સાથે જ આરબીઆઈ ફ્લોટિંગ રેટ લોનને રીસેટ કરવા માટે ટૂંક સમયમાં નવા નિયમો લાવશે.
ચોખાના ભાવમાં ઘટાડો
ઘઉં અને ચોખાના વધતા ભાવને રોકવા માટે સરકારે આજે એક મોટું પગલું ભર્યું છે… સરકારે કેન્દ્રીય પૂલમાંથી ઓપન માર્કેટ સ્કીમ હેઠળ વેચાતા ચોખાના ભાવમાં ઘટાડો કર્યો છે. સરકારે ચોખાના ભાવમાં પ્રતિ કિલો 2 રૂપિયાનો ઘટાડો કરીને 29 રૂપિયા પ્રતિ કિલો કરી દીધો છે… ખાદ્યપદાર્થોના વધતા ભાવને રોકવા માટે સરકારે કેન્દ્રીય પૂલમાંથી વધારાના 50 લાખ ટન ઘઉં અને 25 લાખ ટન ચોખાનું વેચાણ કરવાની પણ જાહેરાત કરી છે. આ વેચાણ થોડાક મહિના પહેલા જાહેર કરવામાં આવેલા 15 લાખ લાખ ટન ઘઉં અને પાંચ લાખ ટન ચોખાના વેચાણ ઉપરાંતનું હશે.
કાળી મરી થઇ મોંઘી
જીરું અને હળદર બાદ હવે કાળી મરી પણ મોંઘી થઈ ગઈ છે.. છેલ્લા એક મહિનામાં મરીના જથ્થાબંધ ભાવમાં લગભગ 28 ટકાનો વધારો થયો છે. એક મહિના પહેલા કેરળના કન્નુર માર્કેટમાં મરીનો ભાવ 47,000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતો. જે હવે વધીને રૂ. 60,000 પ્રતિ ક્વિન્ટલ થયો છે… જથ્થાબંધ ભાવમાં વધારાને કારણે છૂટકમાં મરીના ભાવમાં વધુ વધારો થવાની શક્યતા છે….. મરીના મુખ્ય ઉત્પાદક પ્રદેશો કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદને કારણે પાક મોડો આવવાની સંભાવના છે….જેના કારણે કાળા મરીની ખરીદીમાં ઝડપથી વધારો થયો છે.
હવે કોફી થશે મોંઘી
ઘઉં, ચોખા, કઠોળ, શાકભાજી અને મસાલાની સાથે સાથે હવામાને કોફીને પણ ફટકો માર્યો છે…વૈશ્વિક સ્તરે કોફી બીન્સની અછત થઇ ગઇ છે….. ભારતમાં અતિવૃષ્ટિને કારણે તેના ઉત્પાદનને અસર થઈ છે…. આવી સ્થિતિમાં કોફી પ્રેમીઓને તેની વધુ કિંમત ચૂકવવી પડી રહી છે…..ભારત સિવાય બ્રાઝિલ અને વિયેતનામમાં આ વખતે કોફી બીન્સનું ઉત્પાદન ઓછું થવાને કારણે સ્થાનિક બજારમાં તેના ભાવમાં વધારો થયો છે. ….સામાન્ય બ્લેન્ડેડ કોફી રોબસ્ટાના ભાવમાં વધારો થયો છે….જુલાઈમાં તમામ વેરાયટીની કોફીના ભાવમાં પ્રતિ કિલો રૂ.50નો વધારો થયો છે…
IPO નિયમોમાં થયા ફેરફાર
માર્કેટ રેગ્યુલેટર સેબીએ IPO સંબંધિત નિયમોમાં મોટો ફેરફાર કર્યો છે…. SEBIએ IPO પૂરો થયા બાદ સ્ટોક એક્સચેન્જમાં શેરના લિસ્ટિંગનો સમય અડધો કરીને હવે ત્રણ દિવસનો કરી દીધો છે. આનાથી રોકાણકારો અને કંપનીઓ બન્નેને ફાયદો થશે….અત્યારે એક્સચેન્જ પર શેર લિસ્ટિંગ કરવાનો સમયગાળો 6 દિવસનો છે… નવા લિસ્ટિંગ નિયમો 1 સપ્ટેમ્બર અને ત્યારબાદ આવનારા IPO માટે સ્વૈચ્છિક રહેશે…. પરંતુ 1 ડિસેમ્બર પછી આવતા તમામ IPO માટે ફરજીયાત રહેશે.
શું ટુ વ્હીલર સસ્તા થશે?
ટુ-વ્હીલર સસ્તા થઈ શકે છે… વ્હીકલ ડીલર્સ એસોસિએશન ફાડાએ ટુ-વ્હીલર્સ પરનો જીએસટી દર 28 ટકાથી ઘટાડીને 18 ટકા કરવાની માંગ કરી છે… FADAએ રોડ ટ્રાન્સપોર્ટ અને હાઈવે મિનિસ્ટર નીતિન ગડકરીને આ પત્ર સોંપ્યો છે… FADA દેશભરમાં 15,000 ડીલરોનું પ્રતિનિધિત્વ કરે છે…. FADA કહે છે કે કુલ વેચાણમાં ટુ-વ્હીલર્સનો હિસ્સો 75 ટકા છે… એન્ટ્રી લેવલના વાહનોનો પણ હિસ્સો 70 ટકા છે… ટુ વ્હીલરના વેચાણમાં 20 ટકાથી વધુના ઘટાડાને ધ્યાનમાં રાખીને જીએસટી દર ઘટાડવો જરૂરી છે…. કારણ કે આ વાહનોનો ઉપયોગ મધ્યમ વર્ગ અને ગરીબ લોકો સૌથી વધુ કરે છે…
બેંકોએ કરી તગડી કમાણી
વર્ષ 2018 બાદ બેંકોએ વિવિધ ચાર્જિસ, પેનલ્ટી અને સર્વિસિસ માટે ગ્રાહકો પાસેથી રૂ. 35,000 કરોડથી વધુની વસૂલાત કરી છે. ખાતામાં મિનિમમ બેલેન્સ ન રાખવા, ATM અને SMS સેવાઓ દ્વારા એડિશનલ ટ્રાન્ઝેક્શન અને એસએમએસ સર્વિસિઝ પેટે જુદાજુદા ચાર્જિસ બેન્કોએ વસૂલ્યા છે. કેન્દ્ર સરકારે સંસદમાં આ માહિતી આપી હતી. સરકાર દ્વારા જારી કરવામાં આવેલા આંકડા મુજબ છેલ્લા 5 વર્ષમાં સરકારી અને ખાનગી બેંકોને આટલી મોટી રકમ મળી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો