જીડીપી 6.5 ટકા રહેવાનો અંદાજ
આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસે જણાવ્યું છે કે વૈશ્વિક અનિશ્ચિતતાઓએ પોલિસીમેકર્સ અને ફાઇનાન્સિયલ સેક્ટર માટે પડકારો વધાર્યા છે. તેમણે વધુમાં જણાવ્યું કે વર્તમાન નાણાકીય વર્ષ 2023-24 અને આગામી નાણાકીય વર્ષ 2024-25માં વાસ્તવિક જીડીપી ગ્રોથ 6.5 ટકા રહેવાનો અંદાજ છે. આ સિવાય તેમણે કહ્યું કે આરબીઆઈનું ધ્યાન મોંઘવારી દરને 4 ટકા પર લાવવાનું છે. અમે અમારા ફુગાવાના લક્ષ્યાંક પર નજર રાખી રહ્યા છીએ. મોનેટરી પોલિસીમાં ફુગાવા પર નિયંત્રણ અમારી પ્રાથમિકતા રહેશે. પોલિસી પર નિર્ણય લેતી વખતે, ગ્રોથને બદલે મોંઘવારી નિયંત્રણને પ્રાથમિકતા આપવામાં આવશે. છૂટક મોંઘવારી ઘટાડવા માટે ઘણા પગલાં લેવામાં આવ્યા છે.
બેંકોએ માંગી મંજૂરી
બેંકો ટૂંક સમયમાં તેમની લોનને સુરક્ષિત બનાવવા માટે ગ્રાહકોની તપાસ કરવાની નવી પદ્ધતિ અપનાવી શકે છે. બેંકોએ લોન અરજીઓમાં કરાયેલા દાવાઓની સત્યતા ચકાસવા માટે નેશનલ સિક્યોરિટીઝ ડિપોઝિટરી લિમિટેડ એટલે કે NSDL દ્વારા લોન અરજદારોના આવકવેરા રિટર્નને ઍક્સેસ કરવા માટે સરકાર પાસે મંજૂરી માંગી છે. બેંકોએ એવા ઘણા કિસ્સાઓના ઉદાહરણો આપ્યા છે જેમાં અરજદારોએ નકલી દસ્તાવેજો વડે તેમની આવકને વધારીને દર્શાવી છે અથવા ખોટી રીતે દર્શાવી છે. જેના કારણે બેંકો સાથે છેતરપિંડીના કિસ્સાઓ વધી ગયા છે. આ છેતરપિંડી રોકવા માટે બેંકોએ આ પહેલ કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર, બેંકોએ ગયા મહિને આવકવેરા રિટર્નની ઓનલાઈન ચકાસણી માટે આવકવેરા વિભાગ સાથે અથવા એનએસડીએલ દ્વારા સીધા એકીકરણની માંગ કરી હતી.
પેન્શનર્સ રહેજો સાવધાન
પેન્શનરો માટે નવેમ્બર મહિનો ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો તમને પણ કેન્દ્ર સરકાર અથવા રાજ્ય સરકાર તરફથી પેન્શન મળે છે, તો 30 નવેમ્બર, 2023 સુધીમાં તમારું લાઇફ સર્ટિફિકેટ જરૂર સબમિટ કરી દો. જો તમે આ કામ પૂરું નહીં કરો તો તમને આવતા મહિનાથી પેન્શન નહીં મળે. નોંધનીય બાબત એ છે કે વર્ષમાં એકવાર દરેક પેન્શનધારકે પોતાના જીવિત હોવાનો પુરાવો આપવો પડે છે. નિયમો અનુસાર, સુપર સીનિયર સિટિઝન એટલે કે 80 વર્ષથી વધુ ઉંમરના લોકોને 1 ઓક્ટોબર, 2023 થી 30 નવેમ્બર, 2023 વચ્ચે લાઇફ સર્ટિફિકેટ સબમિટ કરવાની સુવિધા મળી રહી છે. તો 60 વર્ષથી વધુ વયના વરિષ્ઠ નાગરિકો 1 નવેમ્બરથી 30 નવેમ્બર, 2023 વચ્ચે આ કાર્ય પૂર્ણ કરી શકે છે. આ ઓનલાઈન અને ઓફલાઈન બંને રીતે કરી શકાય છે. આવી સ્થિતિમાં, જો તમે હજી સુધી લાઇફ સર્ટિફિકેટ જમા કરાવ્યું નથી, તો ઉતાવળ રાખજો.
ફેસલેસ સિસ્ટમમાં હજુ વાર લાગશે
GST હેઠળ ટેક્સ રિટર્નની આકારણી માટે ફેસલેસ તપાસ સિસ્ટમ શરૂ કરવામાં હજુ થોડો સમય લાગશે… ફેસલેસ સિસ્ટમમાં કરદાતા અને અધિકારી સામસામે આવ્યા વગર જ તપાસ પૂર્ણ કરવામાં આવે છે… ફેસલેસ એસેસમેન્ટની સિસ્ટમ સૌ પ્રથમ આવકવેરા વિભાગ દ્વારા શરૂ કરવામાં આવી હતી… બાદમાં તેને કસ્ટમ વિભાગ દ્વારા અપનાવવામાં આવી હતી… ફેસલેસ એસેસમેન્ટ તપાસમાં, ટેક્સ ઓફિસર અને કરદાતા સામસામે નથી આવતા..અને આમાં દસ્તાવેજોને ફિઝિકલ રીતે રજૂ કરવાની પણ કોઈ જરૂર નથી હોતી.
એર ઇન્ડિયાને 10 લાખનો દંડ
એવિએશન સેક્ટર રેગ્યુલેટર DGCA એ એર ઈન્ડિયા પર મુસાફરોને જરૂરી સુવિધાઓ પૂરી પાડવા સંબંધિત ધોરણોનું પાલન ન કરવા બદલ 10 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. ડીજીસીએએ કહ્યું કે દિલ્હી, કોચી અને બેંગલુરુ એરપોર્ટ પર એર ઈન્ડિયાના એકમોનું નિરીક્ષણ કર્યા બાદ જાણવા મળ્યું કે એરલાઈન સિવિલ એવિએશન પ્રોવિઝન એટલે કે CARનું યોગ્ય રીતે પાલન નથી કરી રહી. આ સંદર્ભમાં, નિયમનકાર દ્વારા એર ઈન્ડિયાને 3 નવેમ્બરના રોજ કારણદર્શક નોટિસ પણ ફટકારવામાં આવી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો