દંડ પર વ્યાજ અંગે RBIના નિયમો
બેંક લોન ડિફોલ્ટ પર વસૂલવામાં આવેલા દંડના વ્યાજ અને દંડની રકમ પર વસૂલવામાં આવેલા વ્યાજના કેસોને ધ્યાનમાં લેતા, આરબીઆઈએ નવા નિયમો બહાર પાડ્યા છે.. ભારતીય રિઝર્વ બેંકે કહ્યું છે કે બેંકો, એનબીએફસી અથવા અન્ય ધિરાણકર્તાઓ લોન એકાઉન્ટ્સના નોન કમ્પ્લાયન્સ પર દંડાત્મક વ્યાજ એટલે કે Penal Interest નહીં લઇ શકે. આરબીઆઈએ તેના સર્ક્યુલરમાં કહ્યું છે કે આવા દંડ પર કોઈ વ્યાજ વસૂલવામાં નહીં આવે… સાથે જ સલાહ આપી છે કે બેંકોએ પીનલ ઇન્ટરેસ્ટને વ્યાજમાંથી કમાણીનું માધ્યમ ન બનાવવું જોઈએ… નવા નિયમો 1 જાન્યુઆરી, 2024થી લાગુ થશે.
દવાની કિંમત ઘટાડવા વાતચીત
સરકાર rare diseasesની સારવારમાં વપરાતી કેટલીક ઊંચી કિંમતની દવાઓની કિંમતો નક્કી કરવા માટે ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે વાતચીત કરી રહી છે.. સનોફી, સરેપ્ટા અને રોશે તેમજ કેટલીક ફાર્માસ્યુટિકલ કંપનીઓ સાથે સક્રિય રીતે વાતચીત કરી રહી છે જેથી એવા દર્દીઓને રાહત મળશે જે દવાઓના બેફામ ભાવને કારણે સારવાર કરાવવામાં મુશ્કેલીનો સામનો કરે છે.
Finfluencers માટે કડક નિયમો
ગ્રાહકોના હિતોને ધ્યાનમાં રાખીને, એડવર્ટાઈઝિંગ સ્ટાન્ડર્ડ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા એટલે કે ASCI એ ફાઇનાસ્યિલ સોશિયલ મીડિયા ઇન્ફ્લુઅન્સર્સ એટલે કે ફિનફ્લુઅન્સર માટે દિશા નિર્દેશ કડક બનાવ્યા છે. ASCIએ તેની સુધારેલી માર્ગદર્શિકામાં જણાવ્યું છે કે ‘Finfluencers’ હવે સેબીમાં નોંધણી કરાવ્યા પછી જ રોકાણની સલાહ આપી શકે છે. તેઓએ નામ અને લાયકાત સાથે તેમનો નોંધણી નંબર સ્પષ્ટપણે દર્શાવવો પડશે. તો અન્ય નાણાકીય સલાહ માટે, influencers પાસે IRDAI તરફથી લાઇસન્સ, ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ તરીકેની લાયકાત, કંપની સેક્રેટરી જેવા credentials હોવા આવશ્યક છે.
દાવા વગરના દાવેદારોની શોધ
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ દાવા વગરના કાયદેસર દાવેદારોની શોધ શરૂ કરી છે…જેના માટે આરબીઆઈએ ઉદગમ નામનું પોર્ટલ શરૂ કર્યું છે… આ પોર્ટલ પર દાવા વગરની રકમ શોધી શકાય છે… દેશભરની બેંકોમાં આવી 35 હજાર કરોડ રૂપિયા જેટલી રકમ પડી છે. જેનો કોઈ દાવેદાર નથી… આ રકમને તેના યોગ્ય દાવેદાર સુધી પહોંચાડવા માટે આરબીઆઈએ ઉદગમ પોર્ટલ શરૂ કર્યું છે…
સિમ કાર્ડ ડિલરોનું વેરિફિકેશન થશે
સિમ કાર્ડ વેચનારા ડીલરનું પોલીસ વેરિફિકેશન હવે ફરજિયાત થશે…… દેશમાં લગભગ 10 લાખ સિમ ડીલર્સ છે જેમનું પોલીસ વેરિફિકેશન થશે. નિયમોનું ઉલ્લંઘન કરનારા ડીલર પાસેથી 10 લાખ રૂપિયાનો દંડ વસૂલવામાં આવશે. ટેલિકોમ વિભાગે સ્પામ કોલ અને ટેલીમાર્કેટિંગ રોકવા માટે આ પગલું ભર્યું છે… સાથે જ બલ્ક કનેક્શન આપવાની સેવા પણ બંધ કરી દેવામાં આવી છે…. આ સાથે હવે એક વ્યક્તિને 9ની જગ્યાએ વધુમાં વધુ 4 સિમ જ આપવામાં આવશે. આના બદલે હવે બિઝનેસ કનેક્શનની નવી સિસ્ટમ દાખલ કરવામાં આવશે….જેમાં બિઝનેસ અને સિમ લેનાર વ્યક્તિ બંનેનું KYC કરવામાં આવશે….
એરઇન્ડિયાનો સસ્તી ટિકિટોનો સેલ
જો તમે હવાઈ મુસાફરી કરવાનું વિચારી રહ્યા છો… તો આ સમાચાર તમારા માટે ખૂબ ફાયદાકારક છે… એર ઈન્ડિયાએ તેના તમામ સ્થાનિક અને આંતરરાષ્ટ્રીય રૂટ માટે 96 કલાકના સેલની જાહેરાત કરી છે. આ સેલ દ્વારા ગ્રાહકોને ટિકિટ પર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ વેચાણ ગુરુવારથી જ શરૂ થઈ ગયું છે…. સેલ અંતર્ગત, સૌથી ઓછી કિંમતની એર ટિકિટ 1,470 રૂપિયાની ખરીદી શકાય છે… એરલાઈને કહ્યું છે કે ઈકોનોમી ક્લાસ માટે એક તરફી ડોમેસ્ટિક ભાડું રૂ. 1,470 અને બિઝનેસ ક્લાસ માટે 10,130 રૂપિયાથી શરૂ થશે….
સોનાના ભાવ તૂટ્યા
આંતરરાષ્ટ્રીય બજારોમાં ઓછી માંગના કારણે સોનાના ભાવ તૂટ્યા છે… દિલ્હી બુલિયન માર્કેટમાં સોનું રૂ. 300 ઘટીને રૂ. 59,300 પ્રતિ 10 ગ્રામ થયું છે… ચાંદી પણ રૂ. 300 ઘટીને રૂ. 72,800 પ્રતિ કિલો પર આવી ગઇ છે…યુએસ બોન્ડ યીલ્ડમાં તેજીને કારણે, રોકાણકારો હવે સોનાને બદલે બોન્ડમાં વધુ નાણાંનું રોકાણ કરી રહ્યા છે…. સોનાની નબળી માંગને કારણે તેની કિંમતો સતત ઘટી રહી છે….
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો