(1) લોનના વ્યાજદરમાં થઇ શકે છે ઘટાડો ઊંચા વ્યાજ દરે લોન લેનાર લોકો માટે સારા સમાચાર છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા નાણાકીય વર્ષના ચોથા ક્વાર્ટરમાં તેના પોલિસી રેટમાં ઘટાડો કરી શકે છે. ઓક્સફર્ડ ઇકોનોમિકસએ તેનો આ અંદાજ વ્યક્ત કર્યો હતો. ફુગાવામાં નરમાઈ અને રિટેલ ફુગાવો વધુ નીચે આવતા મધ્યસ્થ બેન્ક વધુ અનુકૂળ વલણ અપનાવી શકે છે. રિટેલ ફુગાવો મધ્યસ્થ બેંક દ્વારા નિર્ધારિત લક્ષ્યાંકની નજીક છે… PMIના આંકડા અને GST કલેક્શન ભારતમાં મજબૂત આર્થિક પ્રવૃત્તિઓના સંકેતો આપે છે. એપ્રિલમાં રિઝર્વ બેંકે રેપો રેટને 6.5% પર રાખીને બધાને ચોંકાવી દીધા હતા. હવે રેપો રેટમાં ઘટાડાથી તમારી લોનના EMI ઘટી શકે છે.
(2) HDFC બેન્ક લઇને આવી વધુ વ્યાજ આપતી વિશેષ FD સ્કીમ ખાનગી ક્ષેત્રની અગ્રણી બેન્ક HDFC બેંકે મર્યાદિત સમયગાળા માટે બે વિશેષ FD જારી કરી છે. બેંક ઉંચા વ્યાજ દર ઓફર કરી રહી છે. બેંક 35 મહિનાની FD પર 7.20% વ્યાજ આપી રહી છે. 55 મહિનાની FD પર 7.25 ટકા વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને આ બંને FD પર વધારાના અડધા ટકા વધુ વ્યાજ મળશે. વરિષ્ઠ નાગરિકોને સામાન્ય ગ્રાહકો કરતાં 0.5 ટકા વધુ વ્યાજ મળશે.
(3) 2026-27 સુધીમાં થશે દૈનિક એક અબજ UPI ટ્રાન્ઝેક્શન દેશમાં UPI ટ્રાન્ઝેક્શન ખૂબ જ ઝડપથી વધી રહ્યા છે… PWC ઇન્ડિયાએ આગાહી કરી છે નાણાકીય વર્ષ 2026-27 સુધીમાં દરરોજ એક અબજ UPI ટ્રાન્ઝેક્શન થશે .. કુલ ડિજિટલ પેમેન્ટ્સમાં UPIનો હિસ્સો વધીને 90 ટકા થશે… ડિજિટલ પેમેન્ટ્સ ક્રાંતિ લઇને આવ્યું છે UPI.. ભારતીય ડિજિટલ પેમેન્ટ માર્કેટ વોલ્યુમની દ્રષ્ટિએ વાર્ષિક 50 ટકાના દરે વધી રહ્યું છે…. નાણાકીય વર્ષ 2022-23માં UPI દ્વારા 103 અબજ ટ્રાન્ઝેક્શન થયા હતા. નાણાકીય વર્ષ 2023માં રિટેલ સેગમેન્ટના ટ્રાન્ઝેક્શનમાં UPIનો હિસ્સો 75 ટકા હતો. આગામી પાંચ વર્ષમાં UPI ટ્રાન્ઝેક્શન 411 અબજ સુધી પહોંચવાની અપેક્ષા છે.
(4) ઓનલાઇન દવાના વેચાણ પર પ્રતિબંધની ફરી માગ ઓનલાઈન દવાના વેચાણ પર પ્રતિબંધ મૂકવાની માંગ ફરી ઉઠી. ઓલ ઈન્ડિયા ઓર્ગેનાઈઝેશન ઓફ કેમિસ્ટ એન્ડ ડ્રગિસ્ટે કેબિનેટ સેક્રેટરીને પત્ર લખ્યો છે. ઓનલાઈન ફાર્મસી પર નિયમોના ભંગના આક્ષેપો કરવામાં આવ્યા છે. એસોસિયેશનનું કહેવું છે કે ઓનલાઇન દવા વેચાણમાં હાઈકોર્ટના 2018ના આદેશનું પાલન થઈ રહ્યું નથી. હાઇકોર્ટે લાઇસન્સ વિનાની ઓનલાઈન ફાર્મસી બંધ કરવાનો આદેશ છે છતાં દેશમાં 4.5 વર્ષથી ગેરકાયદેસર રીતે ઈ-ફાર્મસી ચાલી રહી છે. દિલ્હી હાઈકોર્ટે સરકારને 6 અઠવાડિયામાં જવાબ આપવા કહ્યું હતું. સરકાર ઓનલાઈન ફાર્મસી માટે નિયમો બનાવી રહી છે.
(5) સાયબર સિક્યોરિટી પર જોખમ, સામે આવ્યો ‘ડેમ’નામનો નવો માલવેર ઝડપથી વધી રહેલા ડિજિટાઇઝેશન વચ્ચે સાયબર સુરક્ષા એક મોટો પડકાર બની ગયો છે. 2022માં માલવેર એટેકમાં 31 ટકાનો વધારો નોંધાયો છે. ગયા વર્ષની સરખામણીમાં ઘૂસણખોરીના પ્રયાસોમાં 10 ટકાનો વધારો થયો છે. રેન્સમવેર હુમલામાં 53 ટકાનો વધારો થયો છે. સરકારે એક નવા માલવેરની ઓળખ કરી છે. તેનું નામ છે ડેમ. ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમે એન્ડ્રોઈડ સ્માર્ટફોન યુઝર્સ માટે ચેતવણી જાહેર કરી છે. સાયબર હુમલાથી બચવા માટે સોફ્ટવેર સુરક્ષા વધારવી પડશે. ભારતમાં સાયબર ક્રાઈમ આ સમયે ચિંતાજનક સ્તરે છે.
(6) IT નોટિસનો જવાબ ન આપનારની થશે તપાસ ટેક્સ અધિકારીઓની નોટિસનો જવાબ ન આપનારા આવકવેરાદાતાઓની તપાસ કરવામાં આવશે. આવકવેરા વિભાગે સ્ક્રુટિની હેઠળ લેવાના કેસ માટે માર્ગદર્શિકા જારી કરી છે. નોટિસનો જવાબ ન આપનારા આવકવેરા ભરનારાઓના કેસની ફરજિયાતપણે તપાસ કરવામાં આવશે. સાથે સાથે તે કેસોની પણ તપાસ કરવામાં આવશે જ્યાં કોઈપણ એજન્સી દ્વારા કરચોરીની માહિતી આપવામાં આવી હોય. ટેક્સ અધિકારીઓ 30 જૂન સુધીમાં આવકમાં વિસંગતતા અંગે આવકવેરાદાતાઓને આવકવેરા કાયદા હેઠળ નોટિસ મોકલશે. આવકવેરાદાતાએ સંબંધિત દસ્તાવેજો રજૂ કરવાના રહેશે.
(7) ઘર ખરીદનારની મુશ્કેલી ઘટાડવા પ્રસ્તાવ હાઉસિંગ અને અર્બન અફેર્સ ડિપાર્ટમેન્ટે ઘર ખરીદનારાઓની મુશ્કેલી ઘટાડવા માટે એક પ્રસ્તાવ આપ્યો છે. હાઉસિંગ સેક્રેટરીએ કહ્યું કે, સારા અને ખરાબ રિયલ એસ્ટેટ ડેવલપર્સ વચ્ચે તફાવત કરવા માટે વિશ્વસનીય રેટિંગ સિસ્ટમની જરૂર છે. આ સાથે, રિયલ્ટી સેક્ટર પ્રોજેક્ટના નિર્માણ માટે બેંકો પાસેથી સરળતાથી લોન મેળવી શકશે. તેઓ ગ્રાહકોના પૈસા પર નિર્ભર રહેશે નહીં. રિયલ એસ્ટેટ પ્રોજેક્ટને મોટાભાગે ગ્રાહકો પાસેથી મળેલી એડવાન્સિસમાંથી નાણાં પૂરા પાડવામાં આવે છે. આ મોડલ બદલવાની જરૂર છે. તેનાથી સારા પ્રોજેક્ટ્સને બેંકો પાસેથી લોન મેળવવામાં મદદ મળશે.
વીડીયો જુઓ:
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો