કંપનીમાં એટ્રીશન રેટ વધશે
એક વૈશ્વિક રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે કુલ 8 દેશોની કંપનીઓમાં એટ્રિશન રેટ એટલે કે વર્તમાન કંપની છોડીને બીજી કંપનીમાં જવાની પ્રક્રિયા લગભગ 28 ટકા રહેશે. એટલે કે 28 ટકા કર્મચારીઓએ તેમની વર્તમાન નોકરી છોડીને અન્ય કંપનીઓમાં જવાનું નક્કી કર્યું છે. ભારતમાં પણ આવું થઈ શકે છે. બોસ્ટન કન્સલ્ટિંગ ગ્રુપ એટલે કે BCGના વૈશ્વિક રિપોર્ટમાં આ વાત સામે આવી છે. સર્વેમાં એક ચોંકાવનારી હકીકત એવી બહાર આવી છે કે લગભગ 28 ટકા કર્મચારીઓ એવા છે જે આગામી એક વર્ષમાં પોતાને તેમની વર્તમાન કંપનીમાં નથી જોતા. કંપનીઓએ એ વાતની ચિંતા કરવી જોઈએ કે તેમના કર્મચારીઓ ખુશ કેમ નથી અને શા માટે તેઓ તેમની નોકરી બદલવા માંગે છે. આશ્ચર્યની વાત એ છે કે આ કંપનીઓ માત્ર પગાર એટલે કે પૈસા અને પોઝિશન એટલે કે કંપનીમાં પદની દ્રષ્ટિએ જ નહીં પરંતુ અન્ય ઇમોશનલ જરૂરિયાતો પૂરી કરવામાં પણ શા માટે નિષ્ફળ રહી છે.
AIFમાં રોકાણ પર પ્રતિબંધ
ભારતીય રિઝર્વ બેંકે, બેંકો અને નોન-બેંકિંગ ફાઇનાન્શિયલ કંપનીઓને ઓલ્ટનેટિવ ઇન્વેસ્ટમેન્ટ ફંડ એટલે કે AIF ની કોઈપણ યોજનામાં રોકાણ કરવા પર પ્રતિબંધ મૂક્યો છે. બેંકો અને એનબીએફસી, જે આરબીઆઈ હેઠળ નિયમન થતી સંસ્થાઓ છે, તેઓ તેમની નિયમિત રોકાણ કામગીરીના ભાગરૂપે AIF ના એકમોમાં રોકાણ કરે છે.
5 કો.ઓપરેટિવ બેંકોને દંડ
સેન્ટ્રલ બેંકે ફરી એકવાર પાંચ સહકારી બેંકો પર લાખોનો દંડ ફટકાર્યો છે. જે બેંકો પર કાર્યવાહી કરવામાં આવી છે તેમાં મનમંદિર કો-ઓપરેટિવ બેંક, પુણેની સન્મિત્ર કો-ઓપરેટિવ બેંક, ગુજરાતની મહેસાણાની લાખાવાડ નાગરીક કો-ઓપરેટિવ બેંક, પશ્ચિમ બંગાળની કોંટાઈ કો-ઓપરેટિવ બેંક અને મુંબઇની સર્વોદય કો-ઓપરેટિવ બેંકના નામ સામેલ છે. રિઝર્વ બેંકે મનમંદિર કો ઓપરેટિવ બેંક પર 3 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. મહેસાણાની લાખાવાડ નાગરિક સહકારી બેંક પર 2 લાખ રૂપિયા, કોંટાઈ કોઓપરેટિવ બેંક, સર્વોદય કોઓપરેટિવ બેંક અને પુણેની સંમિત્રા કો ઓપરેટિવ બેંક પર 1-1 લાખ રૂપિયાનો દંડ ફટકારવામાં આવ્યો છે.
અનક્લેમ્ડ ડિપોઝિટમાં ઉછાળો
માર્ચ 2023 સુધીમાં બેંકોમાં અનક્લેમ્ડ ડિપોઝિટ્સ એટલે કે દાવા વગરની થાપણો વધીને 42,270 કરોડ રૂપિયા થઈ ગઈ છે. કેન્દ્ર સરકારે કહ્યું કે 31 માર્ચ, 2022 સુધીમાં બેંકોમાં દાવા વગરની થાપણો 32,934 કરોડ રૂપિયા હતી. પરંતુ એક વર્ષમાં 28 ટકાના ઉછાળા સાથે તે વધીને 42,272 કરોડ રૂપિયા થઈ ગઇ છે. નાણા રાજ્ય મંત્રીએ કહ્યું કે RBIએ અનક્લેમ્ડ ડિપોઝિટને ઘટાડવા માટે ઘણા પગલાં લીધા છે જેથી યોગ્ય વ્યક્તિની ઓળખ કરી અને તેમના નાણાં પરત કરી શકાય. તેમણે જણાવ્યું કે 10 વર્ષ કે તેથી વધુ સમય સુધી બેંક ખાતામાં અનક્લેમ્ડ ડિપોઝિટ્સ પડી રહે તો બેંક આ રકમ આરબીઆઈના ડિપોઝિટર એજ્યુકેશન એન્ડ અવેરનેસ ફંડમાં જમા કરે છે.
શું LPG સિલિન્ડર રૂ.450માં મળશે?
શું LPG સિલિન્ડર 450 રૂપિયામાં મળશે? રાજ્યસભામાં પ્રશ્નકાળમાં જ્યારે આ પ્રશ્ન પૂછવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં પેટ્રોલિયમ રાજ્ય મંત્રી રામેશ્વર તેલીએ કહ્યું કે સરકારનો 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાનો કોઈ ઈરાદો નથી. ભારત સરકાર દ્વારા 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપવાની કોઈ જાહેરાત કરવામાં નથી આવી… જો કે, એક વાત યાદ રાખવા જેવી છે કે અત્યાર સુધી રાજ્ય સરકારોએ આ અંગે કોઈ નિવેદન નથી આપ્યું. જો રાજ્ય સરકાર ઈચ્છે તો 450 રૂપિયામાં એલપીજી સિલિન્ડર આપી શકે છે. જો કે રાજ્ય સરકારે આના માટે પોતાના તરફથી સબસિડી વધારવી પડશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો