શું વ્યાજ દર વધશે? RBI ગર્વનરે કહ્યું- તેને વધતા રોકવો મારા હાથમાં નથી
સેન્ટ્રલ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદરમાં વધુ વધારો કરવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે વ્યાજદરમાં વધારો અટકાવવો મારા હાથમાં નથી. તે પરિસ્થિતિ પર આધાર રાખશે.
Money9: સેન્ટ્રલ રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે વ્યાજદરમાં વધુ વધારો કરવાનો સંકેત આપ્યો છે. તેમણે કહ્યું કે વ્યાજદરમાં વધારો અટકાવવો મારા હાથમાં નથી. તે પરિસ્થિતિ પર આધાર રાખશે. મહત્વનું છે કે એપ્રિલમાં રિઝર્વ બેંકે રેપો રેટમાં સતત થતો વધારો અટકાવી દીધો હતો. હાલમાં રેપો રેટ 6.5 ટકા છે. અગાઉ, રિઝર્વ બેંકે મે 2022 થી રેપો રેટમાં 250 બેસિસ પોઈન્ટનો વધારો કર્યો હતો.
તેમણે કહ્યું કે રિટેલ ફુગાવાના આગામી ડેટામાં ફુગાવાનો દર ઘટીને 4.7 ટકાથી નીચે આવવાની ધારણા છે. આરબીઆઈ ગવર્નરે સ્વીકાર્યું કે મોંઘવારી ઘટી છે પરંતુ ગાફેલ રહી શકાય નહીં. તેમણે કહ્યું- અર્થતંત્રની ઉત્પાદક જરૂરિયાતોને પહોંચી વળવા માટે રિઝર્વ બેંક પર્યાપ્ત લિક્વિડિટી સુનિશ્ચિત કરશે.
બેંકિંગ સિસ્ટમને મજબૂત :
બેંકિંગ સિસ્ટમમાં વિશ્વાસ વ્યક્ત કરતા, RBI ગવર્નરે કહ્યું કે લિક્વિડિટી અને કેપિટલની મજબૂત સ્થિતિ અને એસેટ ક્વોલિટીમાં સુધારા સાથે ભારતીય બેંકિંગ સિસ્ટમ સ્થિર અને મજબૂત છે. તેમણે કહ્યું કે રિઝર્વ બેંક નાણાકીય સ્થિરતા જાળવવા અર્થતંત્રને તમામ સહયોગ આપશે.
જીડીપી પર શું કહ્યું:
રિઝર્વ બેંકના ગવર્નરના જણાવ્યા મુજબ, ચાલુ વર્ષ 2022-23 માટે જીડીપી વૃદ્ધિ 7% અથવા તેનાથી વધુ રહેવાની ધારણા છે. શક્તિકાંત દાસે જણાવ્યું હતું કે લાંબા સમયથી ચાલી રહેલા ભૂ-રાજનીતિક સંઘર્ષ, દેશોમાંથી વધેલા ફુગાવાના દબાણ અને દુનિયાભરની મુખ્ય કેન્દ્રીય બેંકો દ્વારા નાણાકીય નીતિ સખત થવાને કારણે વૈશ્વિક અર્થતંત્ર મુશ્કેલીનો સામનો કરી રહ્યું છે.
Published - May 24, 2023, 02:22 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો