Money9: Paytm અને IIFL પરની કાર્યવાહી બાદ રિઝર્વ બેંકે ગોલ્ડ લોન ફ્રોડ સંબંધિત કેસો પર કડકાઇ કરી છે.. આ માટે સેન્ટ્રલ બેંકે તમામ બેંકોને કેટલીક મહત્વપૂર્ણ માહિતી આપવા માટે કહ્યું છે. બેંકોએ ગોલ્ડ લોનમાં, રિપોર્ટ કરવામાં આવેલા ફ્રોડ, પોર્ટફોલિયોમાં ડિફોલ્ટ અને પૈસા રિકવર કરવાના પ્રયાસો વિશે માહિતી આપવી પડશે… આરબીઆઈને આશંકા છે કે બેંક કર્મચારીઓ ગોલ્ડ લોનના કિસ્સામાં સિસ્ટમ સાથે ચેડા કરી રહ્યા છે. રિઝર્વ બેંકે ગોલ્ડ લોન સંબંધિત માહિતી માંગવા ઉપરાંત બેંકોને ઘણી સૂચનાઓ પણ આપી છે. બેંકોને લોન આપવાની તેમની પ્રક્રિયાની સમીક્ષા કરવા પણ કહેવામાં આવ્યું છે, જેથી એ જાણી શકાય કે બેંકોની લોન આપવાની પ્રક્રિયા રિઝર્વ બેંક દ્વારા નિર્ધારિત માપદંડો અનુસાર છે કે નહીં. ગોલ્ડ લોનમાં છેતરપિંડીના કેટલાક કિસ્સાઓ પ્રકાશમાં આવી ચૂક્યા છે. તાજેતરમાં, બે સરકારી બેંકો સાથે સંબંધિત આવા કિસ્સાઓ પ્રકાશમાં આવ્યા હતા, જેમાં બેંક કર્મચારીઓએ ગોલ્ડ લોનના ટાર્ગેટને પૂરો કરવા માટે સિસ્ટમ સાથે ચેડા કર્યા હતા. બંને કિસ્સાને ધ્યાનમાં રાખીને રિઝર્વ બેંકે બેંકો પાસેથી ડેટા માંગ્યો છે.
કેન્દ્ર સરકાર દ્વારા ફાર્માસ્યુટિકલ કંપનીઓ માટે સખત ગાઇડલાઇન જાહેર કરવામાં આવી છે. ફાર્માસ્યુટિકલ કંપની અથવા તેમના એજન્ટ, કોઈપણ ડૉક્ટર અથવા તેમના પરિવારના સભ્યોને કોઈ ભેટ નહીં આપી શકે. આ ઉપરાંત વિદેશ પ્રવાસની ઓફર પણ ગુનાની કેટેગરીમાં આવશે. કેન્દ્ર સરકારે ફાર્માસ્યુટિકલ માર્કેટિંગ પ્રેક્ટિસ વિરુદ્ધ નોટિફિકેશન બહાર પાડ્યું છે. ગાઇડલાઇન્સમાં કહેવામાં આવ્યું છે કે ફાર્મા કંપનીઓ હેલ્થ પ્રોફેશનલ્સને રેલવે, વિમાન, ક્રુઝની ટિકિટ ઉપરાંત દેશની અંદર કે બહાર ટ્રાવેલ કરવા જેવી આકર્ષક ઓફર નહીં આપી શકે. સરકારે આ નિર્ણય ફાર્મા ઉદ્યોગમાં અનએથિકલ પ્રેક્ટિસિસને અંકુશમાં લેવા માટે લીધો છે. આ ઉપરાંત, દવાઓના ફ્રી સેમ્પલ કોઇ એવી વ્યક્તિને નહીં આપી શકાય જે આવી પ્રોડક્ટ્સને લખવા માટે યોગ્ય નથી. તો ફ્રી સેમ્પલની તમામ માહિતીની નોંધ કરીને રાખવી પડશે. ઉદાહરણ તરીકે, કેટલા સેમ્પલ આપવામાં આવ્યા, કયા ડૉક્ટરને આપવામાં આવ્યા, પ્રોડક્ટનું નામ શું છે, કુલ કિંમત શું છે, વગેરે વગેરે..
સરકારે ફ્રી આધાર ડિટેલ અપડેટ કરવાની ડેડલાઇન હાલની 14 માર્ચથી વધારીને 14 જૂન, 2024 સુધી કરી દીધી છે. એટલે કે હવે દેશના કરોડો લોકોને આધાર અપડેટ કરવા માટે વધુ 4 મહિનાનો સમય મળી ગયો છે. સોશિયલ મીડિયા પર UIDAIની પોસ્ટ અનુસાર, આ ફ્રી સર્વિસ ફક્ત માય આધાર પોર્ટલ પર ઉપલબ્ધ છે. જો તમારું આધાર 10 વર્ષથી વધુ જૂનું છે અને તેને ક્યારેય અપડેટ કરવામાં નથી આવ્યું… તો હવે તમે તેને ફ્રીમાં અપડેટ કરી શકો છો…
દેશમાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં વિશ્વમાં સૌથી વધુ નોકરીઓ મળવાની આશા છે. લગભગ 36 ટકા સ્થાનિક કંપનીઓ એપ્રિલ-જૂનમાં ભરતી કરી શકે છે. મેનપાવર ગ્રુપના સર્વે રિપોર્ટમાં આ વાત સામે આવી છે… આ સર્વે મુજબ અમેરિકામાં 34 ટકા કંપનીઓ અને ચીનમાં 32 ટકા કંપનીઓ કર્મચારીઓને નોકરી આપી શકે છે. જાપાનમાં 11 ટકા અને તાઈવાનમાં 12 ટકા ભરતી થઈ શકે છે. રોમાનિયા આ બાબતમાં સૌથી પાછળ છે, જ્યાં બે ટકા લોકોની છટણીની આશંકા છે. આ સમયગાળા દરમિયાન વૈશ્વિક સરેરાશ 22 ટકા રહેવાની ધારણા છે. આ સર્વે રિપોર્ટ 42 દેશોની 3,150 કંપનીઓમાં કરવામાં આવેલી રિક્રુટમેન્ટ એનાલિસિસ પર આધારિત છે. હેલ્થકેર અને લાઇફ સાયન્સ સેક્ટરમાં સૌથી વધુ 43 ટકા, ઇન્ફોર્મેશન ટેક્નોલોજીમાં 41 ટકા અને એનર્જી-યુટિલિટીમાં 20 ટકા ભરતીઓ થઈ શકે છે. રિપોર્ટ અનુસાર, ઉત્તર ભારતની કંપનીઓ 40 ટકા ભરતી કરશે, પશ્ચિમ ભારતની કંપનીઓ 35 ટકા ભરતી કરશે, દક્ષિણ ભારતની કંપનીઓ 33 ટકા અને પૂર્વ ભારતની કંપનીઓ 30 ટકા ભરતી કરશે.
ફેબ્રુઆરી મહિનામાં ડોમેસ્ટિક પેસેન્જર્સના સેલ્સમાં ગયા વર્ષના ફેબ્રુઆરી મહિનાની સરખામણીમાં 10.8 ટકાનો વધારો થયો છે. ડોમેસ્ટિક અને એક્સપોર્ટ્સની સાથે સાથે કુલ વેચાણ પણ ફેબ્રુઆરીમાં વધીને 23,03,322 યુનિટ્સ થઇ ગયું છે. ગયા વર્ષે ફેબ્રુઆરી 2023માં તે 17,72,012 યુનિટ્સ હતું. સોસાયટી ઓફ ઈન્ડિયન ઓટોમોબાઈલ મેન્યુફેક્ચરર્સ એટલે કે SIAM એ આંકડા જાહેર કરીને આ માહિતી આપી છે. SIAMના આંકડા અનુસાર, પેસેન્જર વ્હીકલ્સ, ટુ-વ્હીલર્સ અને થ્રી-વ્હીલર્સના વેચાણમાં ફેબ્રુઆરી 2023ની સરખામણીએ ફેબ્રુઆરી 2024માં વૃદ્ધિ જોવા મળી છે, જ્યારે કોમર્શિયલ વાહનોના વેચાણમાં ઘટાડો થયો છે…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો