UPIનો વ્યાપ વધ્યો
RBIએ લેવડદેવડ માટે બેંકો દ્વારા જારી કરાયેલ pre-sanctioned credit lineનો પણ UPI Systemમાં સમાવેશ કરવાની જાહેરાત કરી છે. અત્યાર સુધી, UPI સિસ્ટમ દ્વારા માત્ર જમા રકમના જ ટ્રાન્ઝેક્શન્સ થઈ શકતા હતા… સેન્ટ્રલ બેંકે એપ્રિલમાં UPIનો વ્યાપ વિસ્તારવાનો પ્રસ્તાવ મૂક્યો હતો. રિઝર્વ બેંકે કહ્યું છે કે આ સુવિધા હેઠળ individual customer ની સંપૂર્ણ સંમતિ સાથે શેડ્યૂઅલ્ડ કોમર્શિયલ બેંક દ્વારા વ્યક્તિઓને ઇશ્યૂ કરાયેલી પ્રી-એપ્રુવ્ડ ક્રેડિટ સુવિધા દ્વારા ચુકવણી કરી શકાશે. આમ થવાથી ખર્ચ ઘટી શકે છે અને ભારતીય બજારો માટે યૂનિક પ્રોડક્ટ્સના વિકાસમાં મદદ મળી શકે છે.
UPI દ્વારા ડિજિટલ રૂપિયાના ટ્રાન્ઝેક્શન્સ
દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ તેના ગ્રાહકોને UPI દ્વારા સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સી એટલે કે ડિજિટલ કરન્સી પેમેન્ટની સુવિધા પૂરી પાડી છે. SBIએ આના માટે UPI QR કોડ સ્કેન સેવાની શરૂઆત કરી છે. તેને UPI ઇન્ટર ઓપરેબિલિટી નામ આપવામાં આવ્યું છે. આ પહેલથી હવે કરોડો લોકો UPI દ્વારા સીધા જ ડિજિટલ રૂપિયાની લેવડદેવડ કરી શકશે. ભારતની સૌથી મોટી બેંકની આ નવી સેવાથી ડિજિટલ રૂપિયાનો ઉપયોગ વધવાની અપેક્ષા રાખવામાં આવી રહી છે.
આ કંપની આપશે 1 લાખને નોકરી
સ્થાનિક ઈ-કોમર્સ કંપની ફ્લિપકાર્ટે કહ્યું છે કે તેણે તહેવારોની સિઝન પહેલા 1 લાખથી વધુ સીઝનલ નોકરીઓ આપવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. કંપનીએ કહ્યું કે માંગને પહોંચી વળવા તેના સપ્લાય ચેઇનમાં આ ભરતી કરવામાં આવશે. ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટ એમ બંને પ્રકારની નોકરીઓમાં લોકલ કરિયાણા સપ્લાય પાર્ટનર અને મહિલાઓ સામેલ હશે. જેમાં દિવ્યાંગોને પણ રોજગારી આપવામાં આવશે.
બજેટની તૈયારીઓ શરૂ
સરકારે આગામી બજેટની તૈયારીઓ શરૂ કરી દીધી છે. નાણા મંત્રાલયે આ અંગે એક પરિપત્ર જાહેર કર્યો છે. નાણા મંત્રાલયે તમામ મંત્રાલયો પાસેથી કમાણી અને ખર્ચની વિગતો માંગી છે. બજેટની તૈયારીઓને લઈને પ્રથમ બેઠક 9 ઓક્ટોબરે મળશે. 5 ઓક્ટોબર સુધીમાં આગામી બજેટના અંદાજનું સ્ટેટમેન્ટ તૈયાર કરવાનું રહેશે. 5 ઓક્ટોબર સુધી 2023-24ના ખર્ચનો ટ્રેન્ડ બતાવવાનો છે.
ઝીરો ટેક્સ ભરનારાને નોટિસ
આવકવેરા વિભાગે ઝીરો કે તેથી ઓછો એડવાન્સ ટેક્સ ભરનારા 3 થી 5 લાખ કરદાતાઓને એપ્રિલથી ઓગસ્ટની વચ્ચે નોટિસ મોકલી છે. વિભાગે ગયા નાણાકીય વર્ષ અને ચાલુ નાણાકીય વર્ષના પ્રથમ ત્રિમાસિક ગાળામાં થયેલા જરૂરી ટ્રાન્ઝેક્શન્સના આંકડાને જોયા બાદ આ નોટિસ ઇશ્યૂ કરી છે. આવકવેરા વિભાગ દ્વારા કરવામાં આવેલા વિશ્લેષણમાં લગભગ 25 લાખ કેસ મળ્યા છે જેમાં નોંધપાત્ર આવક ધરાવતા કે કિંમતી સામાન ખરીદનારા કરદાતાઓએ એડવાન્સ ટેક્સ નથી ચૂક્વ્યો કે ગયા નાણાંકીય વર્ષમાં ઓછો ટેક્સ ભર્યો છે.
દિવાળી પર હવાઇ ભાડું વધશે
આ વખતે દિવાળી પર હવાઈ ભાડું વધી શકે છે….એરલાઈન્સ કંપનીઓએ એર ટીકીટના ભાવમાં વધારો કરવાનું શરૂ કરી દીધું છે….તાજેતરમાં એવિએશન ટર્બાઈન ફ્યૂઅલ 14 ટકા મોંઘું થયું છે….એરલાઈન્સની ઓપરેટિંગ કોસ્ટમાં ઈંધણની હિસ્સેદારી અંદાજે 40 ટકા છે. આવા સંજોગોમાં ઇંધણનો બોજ એરલાઈન્સ કંપનીઓ યાત્રીઓ પર નાંખવાની તૈયારીમાં છે. તો બીજી તરફ આ વખતે દિવાળી પર હવાઇ યાત્રીઓની સંખ્યા વધવાનું અનુમાન છે. આ કારણે પણ એરલાઇન્સ વધુ માંગના કારણે ભાડામાં વધારો કરી શકે છે.
પીએફના પૈસાનું શેરબજારમાં રોકાણ થશે
EPFO હવે પોતાના રોકાણથી થતી આવકને ફરીથી શેરબજારમાં લગાવી શકશે… સરકારે એમ્પ્લોઈઝ પ્રોવિડન્ટ ફંડ ઓર્ગેનાઈઝેશનને શેરબજારમાં રોકાણ કરવાની મંજૂરી આપી દીધી છે… જોકે, રોકાણ માટે ચોક્કસ મર્યાદાનું પાલન કરવું પડશે…. હાલમાં EPFO માત્ર એક્સચેન્જ ટ્રેડેડ ફંડ એટલે કે ETF દ્વારા જ રોકાણ કરે છે…. પરંતુ હવે EPFO શેરધારકોના પૈસાનું રોકાણ ઈક્વિટી અને તેની સાથે સંબંધિત અન્ય સાધનોમાં પણ કરી શકશે. આનાથી શેરહોલ્ડર્સને ઉંચા દરે વ્યાજ ચુકવણી સુનિશ્ચિત કરવામાં મદદ મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો