Ration Card Verification: કેન્દ્ર સરકાર ચોક્કસ આવક ધરાવતા વર્ગ માટે ફ્રી રાશન યોજના (Free Ration Scheme)નું સંચાલન કરે છે. આ યોજના હેઠળ, ગરીબોને દર મહિને મફતમાં રાશન આપવામાં આવે છે. આ યોજનાના લાભાર્થીની સંખ્યા લગભગ 80 કરોડ છે, એટલે કે, 80 કરોડ લોકો મફતમાં રાશનનો લાભ લે છે. જોકે, આ સ્કીમમાં ઘણી ખામી છે અને ઘણા લોકો તેનો ગેરલાભ પણ ઉઠાવી રહ્યાં છે. આ સ્કીમ સામે સવાલ ઉઠ્યા છે અને તેમાં ગેરરીતિ આચરવામાં આવતી હોવાની ફરિયાદો થઈ છે. આથી, કેન્દ્ર સરકારે લાલ આંખ કરી છે અને કડક પગલાં ભરવાનું શરૂ કર્યું છે. એટલે હવે રાશન કાર્ડ (Ration Card Latest News)ની ખરાઈ કરવાનું કામ હાથ ધરવામાં આવ્યું છે.
રાશન કાર્ડ (Ration Card Latest News) સાચું છે કે નહીં તે જાણવા માટે હાથ ધરવામાં આવેલી તપાસમાં બિહારમાં અત્યાર સુધીમાં 77,000થી પણ વધારે બોગસ રાશન કાર્ડધારકોની ઓળખ કરવામાં આવી છે. સરકારે આ તમામ કાર્ડ રદ કરી નાખ્યા છે. એટલે હવે આ કાર્ડધારકોને મફતમાં રાશનનો લાભ નહીં મળે. જો તમે પણ સરકારની ફ્રી રાશન સ્કીમના લાભાર્થી હોવ તો 30 જૂન સુધીમાં તમારા કાર્ડની ખરાઈ કરાવી લેજો. આ કામ માટે તમારે તમારા રાશન કાર્ડને આધાર કાર્ડ સાથે લિન્ક કરાવવું પડશે નહીંતર, સરકાર તમારા રાશન કાર્ડની માન્યતા રદ કરી નાખશે.
આધાર સાથે રાશન લિન્ક કેવી રીતે કરશો
વન નેશન-વન રાશનની જાહેરાત કરી ત્યારથી જ સરકાર તેને રાશન કાર્ડ સાથે જોડવા પર ભાર મૂકતી આવી છે. જો આધાર સાથે રાશન કાર્ડ લિન્ક કરવામાં આવે તો તેમાં થતી ગેરરીતિ અટકશે અને વાસ્તવિક લાભાર્થી સુધી રાશન પહોંચી શકશે. તમે તમારું રાશન કાર્ડ અને આધાર કાર્ડ બે રીતે લિન્ક કરાવી શકો છો – ઓનલાઈન અને ઓફલાઈન. તો ચાલો, જાણીએ સમગ્ર પ્રક્રિયા કેવી રીતે થાય છે.
ઑનલાઈન લિન્ક કરવા માટેઃ
– તેના માટે પોતાના રાજ્યની જાહેર વિતરણ વ્યવસ્થા (પબ્લિક ડિસ્ટ્રિબ્યુશન સિસ્ટમ – PDS)ની વેબસાઈટ ખોલો. – હવે પોતાના આધાર કાર્ડને રાશન કાર્ડ સાથે લિન્ક કરવાના વિકલ્પને પસંદ કરો. – ત્યારબાદ માંગવામાં આવેલા આધાર કાર્ડ નંબર, રાશન કાર્ડ નંબર તેમજ રજિસ્ટર્ડ મોબાઈલ ફોન નંબરની વિગતો ભરો. – ત્યારબાદ ‘continue/submit’ ના વિકલ્પ પર ક્લિક કરો. – હવે તમારા ફોન પર એક ઓટીપી આવશે, તે નોંધી લો. – હવે તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર કંફર્મ SMS આવશે.
ઑફલાઈન લિન્ક કરવા માટેઃ
– પોતાના ડૉક્યુમેન્ટ્સની અસલ તેમજ ઝેરોક્ષ લઈને જાહેર વિતરણ વ્યવસ્થાના સેન્ટર (PDS)ની મુલાકાત લો. – PDS કર્મચારી તમારા આધાર કાર્ડની ખરાઈ કરવા માટે તમારા ફિંગરપ્રિન્ટની ચકાસણી કરશે. – ત્યારબાદ તમારા રજિસ્ટર્ડ મોબાઈલ નંબર પર SMS એલર્ટ આવશે. – ત્યારબાદ તમારું આધાર કાર્ડ અને રાશન કાર્ડ યોગ્ય રીતે લિન્ક થઈ જશે. – હવે તમને કન્ફર્મેશનનો એક SMS મળશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો