Money9: જો તમારા શહેરમાં PVR-Inox સિનેમા હોલ છે, તો શક્ય છે કે થોડા દિવસોમાં અહીં તાળું જોવા મળે. સિનેમા હોલ ઓપરેટર PVR-Inox ખોટ કરતી લગભગ 50 સ્ક્રીનને બંધ કરવાની યોજના બનાવી રહી છે. PVR-Inox એ એમ પણ કહ્યું કે તે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં નવા 150 થી 175 સ્ક્રીન ખોલવાની યોજના ધરાવે છે.
PVR-Inox એ 31 માર્ચ, 2023 ના રોજ સમાપ્ત થતા નાણાકીય વર્ષ માટે રોકાણકારોને કરેલા ફાઇલિંગમાં જણાવ્યું છે કે “કંપની આગામી છ મહિનામાં 50 સિનેમા સ્ક્રીન બંધ કરવાની યોજના ધરાવે છે,” આ સિનેમા હોલ ખોટમાં છે અથવા શોપિંગ મોલમાં છે, જ્યાં તેમનું આયુષ્ય પૂર્ણ થવામાં છે. તેમને પાટા પર પાછા લાવવાની આશા ઘણી ઓછી છે.
મહત્વનું છે કે પીવીઆર-આઈનોક્સ લિ. બે મુખ્ય સિનેમા બ્રાન્ડ પીવીઆર લિ. અને આઇનોક્સ લેઝરના વિલીનીકરણ પછી અસ્તિત્વમાં આવ્યું છે. આ બન્ને કંપનીઓનું મર્જર 6, ફેબ્રુઆરી 2023માં થયું હતું. મર્જર બાદ અસ્તિત્વમાં આવેલી એન્ટિટી ભારત અને શ્રીલંકાના 115 શહેરોમાં 361 સિનેમા હોલનું સંચાલન કરી રહી છે જેમાં 1,698 સ્ક્રીન છે.
ઈલારા કેપિટલના સિનિયર વાઇસ પ્રેસિડેન્ટ કરણ તુરાનીએ જણાવ્યું હતું કે, “50 સ્ક્રીન બંધ થવાથી 10 કરોડની ટેક્સ પહેલાંની કમાણી પર અસર થશે.” આ સ્ક્રીન મોટા અને મધ્યમ શહેરોમાં છે. PVR Inox એ એમ પણ કહ્યું કે તે ચાલુ નાણાકીય વર્ષ 2023-24માં 150 થી 175 સ્ક્રીન ખોલવાની યોજના ધરાવે છે. કંપનીના જણાવ્યા અનુસાર, “આમાંથી 9 સ્ક્રીન અત્યાર સુધીમાં ખુલી ચૂક્યા છે. જ્યારે 15 સ્ક્રીનના કિસ્સામાં કોમર્શિયલ સંચાલન માટે લાયસન્સની રાહ જોવામાં આવી રહી છે. 152 સ્ક્રીન પર કામ વિવિધ તબક્કામાં છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો