Money9: જો તમારું જૂનું ઇનકમ ટેક્સ રિફંડ બાકી છે અને તમે હજુ સુધી તેની રાહ જોઈ રહ્યા છો, તો તમારા માટે એક સારા સમાચાર છે… નાણાકીય વર્ષ 2020-21 એટલે કે એસેસમેન્ટ યર 2021-22ના ટેક્સ રિફંડના અટકેલા નાણાં 30 એપ્રિલ 2024 સુધીમાં મળી શકે છે…સીબીડીટીએ આ બાબતે આ જ મહિને એક મહત્વપૂર્ણ આદેશ જાહેર કર્યો છે…આવકવેરા વિભાગ તરફથી એવા કરદાતાઓને અલગથી જાણ કરવામાં આવી રહી છે જેમને બાકી રિફંડ મળવાનું છે. જો તમારું ટેક્સ રિફંડ પણ બાકી છે, તો તમને પણ આવકવેરા વિભાગ તરફથી ઇન્ટિમેશન મળ્યું હશે. આના માટે તમે તમારા ઈમેલનું ઇનબોક્સ ચેક કરી શકો છો. જો હજુ પણ ઈમેલ નથી આવ્યો, તો જલ્દી આવી શકે છે.
RBIના ગવર્નર શક્તિકાંત દાસે કહ્યું છે કે Paytm વૉલેટનો ઉપયોગ કરનારા 80 થી 85 ટકા યૂઝર્સને RBIના નિયમનકારી પગલાંને કારણે કોઈપણ પ્રકારની સમસ્યાનો સામનો નહીં કરવો પડે. આરબીઆઈ ગવર્નરે બાકી રહેલા યુઝર્સને તેમની એપને અન્ય બેંકો સાથે લિંક કરવાની સલાહ આપી છે. તેમણે એમ પણ કહ્યું કે Paytm પેમેન્ટ્સ બેંક સાથે જોડાયેલા વોલેટને અન્ય બેંકો સાથે લિંક કરવાની છેલ્લી તારીખ 15 માર્ચ નક્કી કરવામાં આવી છે. અને આ સમયમર્યાદાને વધુ લંબાવવામાં નહીં આવે. તેમણે કહ્યું કે 15 માર્ચ સુધીનો સમય પૂરતો છે…
મજબૂત વૈશ્વિક સંકેતોને કારણે બુલિયન માર્કેટમાં સોનું ફરી નવી ઐતિહાસિક ઊંચાઈએ પહોંચ્યું છે. મંગળવારે દિલ્હી એનસીઆરના બુલિયન માર્કેટમાં સોનાની કિંમત 150 રૂપિયા વધીને 65,150 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરે પહોંચી ગઈ છે. અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે 2024માં સોનું 70,000 રૂપિયા પ્રતિ 10 ગ્રામના સ્તરને સ્પર્શી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં કોમેક્સ પર સોનું 12 ડોલર પ્રતિ ઔંસના વધારા સાથે 2122 ડોલર પ્રતિ ઔંસ પર ટ્રેડ કરી રહ્યું છે.
ભારતના ઉડ્ડયન ક્ષેત્રમાં એક નવા ખેલાડીનું આગમન થયું છે… નામ છે FLY91… DGCAએ આ નવી એરલાઇનને એર ઓપરેટરનું પ્રમાણપત્ર આપ્યું છે અને હવે ટૂંક સમયમાં જ ભારતની આ નવી એરલાઇન આકાશમાં ઉડતી જોવા મળશે. અગાઉ, ભારતીય બજારમાં કાર્યરત કિંગફિશર એરલાઇન્સના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ મનોજ ચાકોના વેન્ચર ‘જસ્ટ ઉડો એવિએશન પ્રાઇવેટ લિમિટેડ’ને એરલાઇન શરૂ કરવા માટે નાગરિક ઉડ્ડયન મંત્રાલયની મંજૂરી મળી હતી. Fly 91 ને ગયા વર્ષે એપ્રિલમાં FLY91 બ્રાન્ડ નામ હેઠળ આ પરવાનગી મળી હતી. અને હવે એક વર્ષ પછી કંપનીને DGCA તરફથી એર ઓપરેટર સર્ટિફિકેટ પણ મળી ગયું છે.
બેંક ખાતામાં જમા કરાયેલી દાવા વગરની રકમ તેમના કાનૂની વારસદારોને પરત કરવા માટે 30 બેંક આરબીઆઈના ઉદગમ પોર્ટલમાં જોડાઈ ચૂકી છે. બાકીની બેંકો પણ તેમાં જોડાવાની પ્રક્રિયામાં છે… ઉદગમ એક ઓનલાઈન પોર્ટલ છે, જે દાવા વગરની રકમ વિશે માહિતી આપે છે… અહીં રજિસ્ટર્ડ યૂઝર્સ એક જ જગ્યાએ અનેક બેંકોમાં દાવા વગરની ડિપોઝિટ એમાઉન્ટને શોધી શકે છે…બેંક ખાતામાં જમા દાવા વગરની રકમ માર્ચ 2023 સુધી 42,270 કરોડ રૂપિયા હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો