Paytm યુઝર્સને મુશ્કેલી
ઓનલાઈન પેમેન્ટ પ્લેટફોર્મ Paytm યુઝર્સને બુધવારે સાંજે અચાનક મોટી સમસ્યાનો સામનો કરવો પડ્યો. ઘણા લોકોને વૉલેટમાંથી નાણાં ટ્રાન્સફર કરવામાં મુશ્કેલી પડી… તેઓ તેમના એકાઉન્ટ બેલેન્સ ચેક કરી શકતા ન હતા, ફંડ ઉમેરી શકતા ન હતા અથવા ટ્રાન્ઝેક્શન કરી શકતા ન હતા. યુઝર્સે સોશિયલ મીડિયા પર આ અંગે ફરિયાદ કરી… દરમિયાન, કંપનીએ ગ્રાહકોને કહ્યું કે તે “Paytm એપમાં ચાલી રહેલી ટેક્નિકલ સમસ્યાથી વાકેફ છે” અને તેને ઉકેલવા માટે કામ કરી રહી છે…
શ્રમિકો માટે ઓળખ કાર્ડ
કેન્દ્ર સરકાર પ્રવાસી શ્રમિકોના અધિકારોનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે દેશભરના તમામ મકાન અને બાંધકામ શ્રમિકો માટે એક વિશિષ્ટ ઓળખ કાર્ડ ફરજિયાત બનાવશે. આ ઓળખ કાર્ડ શ્રમિકના આધાર સાથે લિંક કરવામાં આવશે અને ઈ-શ્રમ ડેટાબેઝમાં પણ લિંક કરવામાં આવશે. આ માહિતી આપતાં શ્રમ સચિવ આરતી આહુજાએ જણાવ્યું હતું કે આ સુધારા અંગેની વિગતવાર માહિતી આવતા સપ્તાહે જાહેર કરવામાં આવી શકે છે. ઓલ ઈન્ડિયા એમ્પ્લોયર્સ ઓર્ગેનાઈઝેશન અને ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશનના સહયોગથી FICCI દ્વારા આયોજિત ‘ધ માઈગ્રેશન કોન્ક્લેવ’ને સંબોધિત કરતી વખતે તેમણે આ ટિપ્પણી કરી હતી….
એસિડ વેચાણના નિયમો કડક
સરકારે દેશમાં એસિડના વેચાણને લઈને ઓનલાઈન પ્લેટફોર્મ પર પોતાની પકડ વધુ મજબૂત કરી છે. હવે ઓનલાઈન એસિડ ખરીદતી વખતે પણ તમારે સરકાર દ્વારા ઇશ્યૂ કરાયેલો ફોટો આઈડી આપવું પડશે. ત્યારબાદ ઈ-કોમર્સ પ્લેટફોર્મ પરથી પણ એસિડ ખરીદવું સરળ રહેશે નહીં. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે CCPAએ તમામ ઈ-કોમર્સ કંપનીઓને આ આદેશનું ફરજિયાતપણે પાલન કરવાનો નિર્દેશ આપ્યો છે. સરકારી આદેશમાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ફોટો આઈડી ફરજિયાત હોવાથી 18 વર્ષથી ઓછી ઉંમરનો કોઈ પણ વ્યક્તિ એસિડ ખરીદી શકશે નહીં. ઉપરાંત, ઈ-કોમર્સ કંપનીઓને તેમના પ્લેટફોર્મ પર વેચાણ કરતા પહેલા એસિડ વેચતી કંપનીઓ પાસેથી લેખિત એફિડેવિટ લેવાની સૂચના પણ આપવામાં આવી છે. આદેશ મુજબ, ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મે પહેલાં એ જાણવું પડશે કે એસિડ ખરીદનાર વ્યક્તિ તેનો ઉપયોગ ક્યાં કરવા જઈ રહ્યો છે.
IT કંપનીઓમાં મંદી યથાવત રહશે
IT કંપનીઓમાં નવી ભરતીમાં જોવા મળી રહેલી મંદી આવતા વર્ષે પણ ચાલુ રહેશે… તેનું કારણ વૈશ્વિક અર્થવ્યવસ્થામાં મંદીનો સિલસિલો છે… જોબ પોર્ટલ ફાઉન્ડઇટે તેના અહેવાલમાં જણાવ્યું છે કે આગામી બે-ત્રણ ક્વાર્ટર સુધી આઇટી સેકટરમાં નવી ભરતીની ગતિ ધીમી રહેશે. ફાઉન્ડઇટનું કહેવું છે કે એઆઇ અને ચેટબોટ જેવી નવી ટેક્નોલોજી આવવાથી નવી ભરતીઓ પર અસર પડી છે. કારણ કે કંપનીઓ હવે ઓછી સંખ્યામાં ડિઝાઇનર્સ અને કન્ટેન્ટ રાઇટર્સની ભરતી કરી રહી છે. કારણ કે આ કામ હવે નવી ટેક્નોલોજી વધુ સારી રીતે કરી રહી છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો