Money9: સંકટમાં ફસાયેલી ફિનટેક કંપની Paytmએ છેવટે 15 માર્ચની સમયમર્યાદા પહેલા તેની પાર્ટનર બેંકની પસંદગી કરી લીધી છે. Paytm ની પેરેન્ટ કંપની One97 Communications એ દેશની સૌથી મોટી બેંક સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા સાથે હાથ મિલાવ્યા છે. અત્યાર સુધી, Paytm નો UPI બિઝનેસ તેની પેટાકંપની Paytm Payments Bank સંભાળતી હતી. પરંતુ આરબીઆઈએ પેમેન્ટ બેંકો પર પ્રતિબંધ મૂક્યા બાદ પેટીએમ કોઇ પાર્ટનર બેંકની શોધમાં હતી. હવે SBIમાં જઈને તેની શોધ પૂરી થઈ ગઈ છે… SBI સાથે સહયોગ કરીને, Paytm થર્ડ પાર્ટી એપ પ્રોવાઈડર એટલે કે TPAP બની શકશે… જેનું લાઇસન્સ નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા એટલે કે NPCI 15 માર્ચ સુધીમાં આપી દેશે. લાયસન્સ મળી ગયા બાદ ગ્રાહકો Paytm UPI નો 15 માર્ચ બાદ પણ સરળતાથી ઉપયોગ કરી શકશે.
દેશમાં wholesale price index WPI based inflation વાર્ષિક ધોરણે ફેબ્રુઆરીમાં 0.20 ટકાની ચાર મહિનાના નીચી સપાટીએ આવી ગયો છે, જે જાન્યુઆરીમાં 0.27 ટકા હતો. વાણિજ્ય મંત્રાલયે ગુરુવારે તેના આંકડા જાહેર કર્યા. સમીક્ષા હેઠળના મહિનામાં, સિક્વેન્શિયલ પ્રાઇસ ઇન્ડેક્સમાં 0.07 ટકાનો વધારો નોંધાયો હતો જ્યારે એક મહિના પહેલા, તે માઇનસ 0.33 ટકા હતો. ફેબ્રુઆરી, 2024માં ફુગાવાનો સકારાત્મક દર મુખ્યત્વે ખાદ્ય ચીજવસ્તુઓ, ક્રૂડ પેટ્રોલિયમ અને કુદરતી ગેસ, વીજળી, મશીનરી અને સાધનો અને મોટર વાહનો, ટ્રેલરો અને સેમી-ટ્રેલરો વગેરેની કિંમતોમાં વધારો થવાને કારણે છે. ફેબ્રુઆરીમાં ખાદ્ય ચીજોનો ફુગાવો 6.95 ટકા હતો. પ્રાઇમરી આર્ટિકલ્સનો ફુગાવો ફેબ્રુઆરીમાં વધીને 4.49 ટકા થયો હતો જે તેની અગાઉના મહિનામાં 3.84 ટકા હતો.
કેન્દ્ર સરકારે બેંકિંગ ક્ષેત્રની નિયમનકાર રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને મોટી રાહત આપી છે. RBIએ હવે સોનાની આયાત પર સરકારને ઈમ્પોર્ટ ડ્યૂટી ચૂકવવી નહીં પડે. કેન્દ્ર સરકારે આ અંગે નોટિફિકેશન પણ બહાર પાડ્યું છે. સોનાની આયાત કરનારાઓએ કસ્ટમ ડ્યુટી ઉપરાંત સરકારને એગ્રીકલ્ચર ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ડેવલપમેન્ટ સેસ ચૂકવવો પડશે. સેન્ટ્રલ બોર્ડ ઓફ ઇનડાયરેક્ટ ટેક્સીસ એન્ડ કસ્ટમ્સ એટલે કે CBICના નોટિફિકેશન મુજબ હવે નિકાસ પર કસ્ટમ ટેરિફ સાથે એગ્રીકલ્ચર સેસ ચૂકવવો નહીં પડે…
હવે બેંકો, વીમા, મ્યુચ્યુઅલ ફંડ અને અન્ય નાણાકીય સેવાઓમાં માત્ર એક જ KYC લાગુ કરી શકે છે. આનાથી અલગ અલગ નાણાકીય ક્ષેત્રો સાથે જોડાતી વખતે વારંવાર KYC કરવાની જરૂર નહીં રહે. Financial Stability and Development Council એટલે કે FSDC એ નાણાકીય ક્ષેત્રમાં એક સમાન KYC સિસ્ટમ લાગુ કરવાની દરખાસ્ત કરી છે. હાલમાં, ગ્રાહકોએ બેંકમાં ખાતું ખોલાવતી વખતે, મ્યુચ્યુઅલ ફંડ અથવા શેરોમાં રોકાણ કરતી વખતે અથવા વીમા પૉલિસી ખરીદવી હોય ત્યારે વારંવાર KYC સબમિટ કરવી પડે છે. આનાથી સમય અને નાણા બંનેનો વ્યય થાય છે… એકવાર એકસરખી KYC સિસ્ટમ લાગુ થઈ જાય પછી આવું નહીં થાય… નવી પ્રક્રિયા હેઠળ એકવાર KYC ડોક્યુમેન્ટ્સ રજિસ્ટર્ડ થઇ જાય પછી તમને એક CKYC ઓળખ કાર્ડ મળશે. તેમાં આઈડી પ્રૂફ સાથે 14 આંકડાનો નંબર હશે. જ્યારે તમે ખાતું ખોલવા જશો ત્યારે આ નંબરનો ઉપયોગ કરીને સેન્ટ્રલ KYC રેકોર્ડ્સ રજિસ્ટ્રી એટલે કે CKYCRમાંથી તમારી KYC details લઇ લેવામાં આવશે.
રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ બે બેંકો પર કડકાઈ કરી છે… રિઝર્વ બેંકે નિયમનકારી ધોરણોનું પાલન ન કરવા બદલ બેંક ઓફ ઈન્ડિયા પર 1 કરોડ 40 લાખ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. આ સાથે રિઝર્વ બેંકે કેટલીક સૂચનાઓનું પાલન ન કરવા બદલ ખાનગી ક્ષેત્રની બંધન બેંક પર 29.55 લાખ રૂપિયાનો દંડ પણ લગાવ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો