જૂનાગઢની જમીનમાં તેલ અને કુદરતી ગેસ છે કે નહીં તે જાણવા માટે ONGCએ સરવે હાથ ધર્યો છે. જૂનાગઢમાં ઓઇલ અને ગેસનો ભંડાર શોધવા માટે ONGC દ્વારા 500 ચોરસ કિલોમીટર વિસ્તારમાં સંશોધન હાથ ધરાયું છે. જેમાંથી 250 ચોરસ કિલોમીટરના વિસ્તારમાં સરવે થઈ ચૂક્યો છે. માણાવદરનાં જુદા-જુદા ગામડાંમાં સરવેની કામગીરી હાથ ધરાઈ છે. જેમાં 4 હજાર જેટલા સેન્સર પણ મૂકાયા છે અને ડ્રીલિંગ દ્વારા બોર કરીને ત્યાંથી નમૂના પણ લેવાયા છે.. આ નમૂનાને સંશોધન માટે વડોદરા અને દહેરાદૂન મોકલવામાં આવશે. સંશોધન કર્યા બાદ એ ખબર પડશે કે અહીં જમીનમાં તેલ અને કુદરતી ગેસ છે કે નહીં. જો ONGCને જૂનાગઢમાં ઓઈલ કે ગેસનો ભંડાર મળશે, તો તેનાથી ઉત્પાદનને વેગ મળશે અને સ્થાનિક સ્તરે રોજગારી વધારવામાં પણ મદદ મળશે. ભારત તેની 80 ટકાથી વધુ જરૂરિયાત પૂરી કરવા માટે ઓઈલ અને ગેસની આયાત કરે છે, જેના માટે જંગી ખર્ચ પણ કરવો પડે છે.
Published - April 25, 2023, 04:00 IST
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો