Money9: લંચબોક્સમાં અત્યાર સુધીના સૌથી મહત્વના સમાચારો પર કરીએ નજર..
2000ની નોટ બંધ થવા પર શું કહ્યું RBI ગર્વનરે
રિઝર્વ બેંકના ગર્વનર શક્તિકાંતા દાસે કહ્યું કે 2000 રૂપિયાની નોટ બદલવા માટે 4 મહિનાનો સમય પર્યાપ્ત છે. તેમણે કહ્યું કે લોકોએ પેનિક થવાની જરૂર નથી. નોટ બદલવાનો ડેટા તૈયાર કરવો પડશે. તેમણે કહ્યું કે હું સ્પષ્ટ કરું છું અને ફરીથી ભાર મુકું છું કે નોટ બંધ કરવાનો નિર્ણય રિઝર્વ બેંકના મેનેજમેન્ટ સંચાલનનો એક હિસ્સો છે. લાંબા સમયથી રિઝર્વ બેંક એક સ્વચ્છ નોટ નીતિનું પાલન કરી રહી છે. સમયાંતરે આરબીઆઇ એક ખાસ શ્રેણીની નોટોને પાછી ખેંચી લે છે અને નવી નોટ ફરીથી બહાર પાડે છે. અમે 2000 રૂપિયાની નોટોને ઓપરેશનમાંથી પાછી ખેંચી રહ્યા છીએ પરંતુ આ નોટ લિગલ ટેન્ડર તરીકે ચાલુ છે. એટલે કે તમે 30 સપ્ટેમ્બર સુધી તેનો ઉપયોગ કરી શકો છો.
SBI: 2000ની નોટ બદલવા કોઇ ફોર્મ ભરવાની જરૂર નથી
મંગળવાર એટલે કે 23 મેથી શરૂ થઇ રહી છે દેશમાં 2000 રૂપિયાની જુની નોટ બદલવાની પ્રક્રિયા..આ નોટોને બદલવા માટે કોઇપણ પ્રકારનું ફોર્મ ભરવાની જરૂર નહીં પડે..સાથે જ ઓળખ માટે કોઇ પૂરાવો કે આઇડી પ્રૂફ આપવાની પણ જરૂર નથી. દેશની સૌથી મોટી સરકારી બેંક SBIએ પોતાની બધી શાખાઓમાં એક સર્ક્યુલર જાહેર કરીને કહ્યું છે કે 2000 રૂપિયાની 10 નોટ એટલે કે 20 હજાર રૂપિયાની રકમ બદલવા માટે કોઇપણ પ્રકારનું ફોર્મ ભરવાની જરૂર નથી..લોકોએ આટલી નોટ બદલવા માટે કોઇ ઓળખપત્ર આપવાની પણ જરૂર નથી.
સેબીનો IPOના લિસ્ટિંગના નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ
માર્કેટ રેગ્યુલેટર સેબીએ IPOના લિસ્ટિંગને લઇને નિયમોમાં ફેરફારનો પ્રસ્તાવ રજૂ કર્યો છે..આ પ્રસ્તાવ હેઠળ 3 દિવસમાં જ IPOનું લિસ્ટિંગ કરવામાં આવશે. અત્યાર સુધી આ કામ માટે કંપનીઓને 6 દિવસનો સમય મળતો હતો. આ પગલાથી આઇપીઓ રજૂ કરનારી કંપની અને રોકાણકાર એમ બન્નેને ફાયદો થશે. સેબીના જણાવ્યા અનુસાર આ પ્રસ્તાવ આઇપીઓ લિસ્ટ કરાવનારી કંપનીને ઝડપથી મૂડી પ્રાપ્ત કરવા અને બિઝનેસને આગળ વધારવામાં મદદ કરશે. જે રોકાણકારોને શેર નથી લાગતા તેમને જલદી રિફંડ આપવામાં આવશે. જેમને શેર લાગ્યા છે તે તરત તેની લેવડ-દેવડ શરૂ કરી શકશે.
રેલવેની નવી એપથી હોટલ બુકિંગ પણ કરી શકાશે
ભારતીય રેલવેએ એક નવી એપ રજૂ કરી છે. ઇ-ટિકિટની સાથે તેમાં હોટલ બુકિંગની સુવિધા પણ મળશે. રેલટેલ અને ભારત નેટવર્કે મળીને એક નવી એપ PIPOnet (પીપોનેટ)ને વિકસિત કરી છે. આ એપ પર નેટફ્લિક્સ, ઉબર અને ઓલાની સર્વિસને પણ ઇન્ટીગ્રેટ કરવામાં આવી છે. એપ પર રેલવે યાત્રીઓ ટ્રેન ટિકિટ, પ્લેટફોર્મ ટિકિટ, રિટાયરિંગ રૂમ બુકિંગ અને ફૂડ ડિલીવરી જેવી સેવાઓનો લાભ લઇ શકશે. જો કે આ બધી સર્વિસ માટે યાત્રીઓએ પૈસા ખર્ચવા પડશે. કન્ફર્મ ટિકિટની સાથે યાત્રીઓને મુસાફરી દરમિયાન નેટફ્લિક્સની મજા પણ મળશે.
PNBએ FDના વ્યાજ દરમાં કર્યો ઘટાડો
સરકારી સેક્ટરની અગ્રણી બેંક પીએનબીએ કેટલીક મુદતની ફિકસ્ડ ડિપોઝિટ એટલે કે FD પરના વ્યાજના દરમાં ઘટાડો કર્યો છે. આ નવા વ્યાજ દરો 18 મેથી લાગુ થશે. 444 દિવસની એફડીના વ્યાજદરોમાં 45 બેઝિસ પોઇન્ટનો ઘટાડો થયો છે. સામાન્ય નાગરિકોને હવે 7.25ના બદલે 6.80 ટકા વ્યાજ મળશે. તો બીજી તરફ 666 દિવસની FD પર વ્યાજનો દર 7.25 ટકાથી ઘટીને 7.05 ટકા થયો છે. સીનિયર સટિઝન્સને 444 દિવસની FD પર વધુ વ્યાજ મળશે. સુપર સીનિયર સિટિઝન્સને 666 દિવસની એફડી પર 8.05%નું રિટર્ન મળશે.
મે મહિનામાં ઘઉં થયા મોંઘા
વધતી મોંઘવારીએ ફરી સરકારનું ટેન્શન વધાર્યું છે. મે મહિનામાં ઘઉંનો ભાવ 4 થી 5 ટકા વધી ચૂક્યો છે. ઘઉં મોંઘા થવાથી લોટ, સોજીના ભાવ પણ વધવાની આશંકા છે. બ્રેડ અને બિસ્કિટની કિંમતો પણ વધવાની આશંકા છે. ખાંડ અને શાકભાજીની કિંમતોમાં પણ વધારો થઇ રહ્યો છે. આ વર્ષે ખાંડના ઉત્પાદનમાં 8 ટકાનો ઘટાડો થવાનું અનુમાન છે.
સરકારે એરલાઇન્સને ટિકિટોના ભાવ પર અંકુશ રાખવા કહ્યું
હવાઇ ભાડામાં વધારા વચ્ચે સરકારે એરલાઇન્સને ટિકિટોની કિંમતમાં નિર્ધારણ કરતી વખતે સંયમ રાખવા અને હવાઇ ટિકિટોની કિંમતોમાં સંતુલન જાળવી રાખવાનું કહ્યું છે. ગોફર્સ્ટના બંધ થઇ જવાના કારણે હવાઇ ભાડામાં અચાનક વૃદ્ધિ જોવા મળી છે. સરકારે કહ્યું કે એરલાઇનની ટિકિટોના ઉપલા અને નીચલા મૂલ્યની વચ્ચે મોટું અંતર ન હોવું જોઇએ. સરકારે એ પણ સ્પષ્ટ કર્યું કે હવાઇ ભાડાને રેગ્યુલેટ કરવાની તેની કોઇ યોજના નથી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો