MONEY9: સરકારે તાજેતરમાં લીધેલાં બે નિર્ણયને કારણે સોનાના ઘરેણાં વેચતાં ઝવેરીઓની મુશ્કેલી વધી ગઈ છે. તાજેતરમાં મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગોલ્ડનો સપ્લાય કરવા માટે ઈ-વે બિલને મંજૂરી આપવામાં આવી હતી. ત્યારબાદ અન્ય એક નિર્ણયમાં સરકારે ગોલ્ડની આયાત પર લાગતી ઈમ્પોર્ટ ડ્યૂટી વધારી દીધી હતી.
ઝવેરીઓની માથાકૂટ વધી
જીએસટી કાઉન્સિલના નિર્ણયથી ઝવેરીઓની માથાકૂટ વધી ગઈ અને કાગળ પર કરવી પડતી કાર્યવાહી વધી ગઈ જ્યારે આયાત જકાતના નિર્ણયને કારણે ગોલ્ડના ભાવ ઊંચકાઈ ગયા. ઊંચા ભાવ ગોલ્ડના બિઝનેસ પર અસર પહોંચાડી શકે છે.
ઈમ્પૉર્ટ ડ઼્યૂટીમાં વધારો
ગોલ્ડ માટે અત્યાર સુધી જે કરમાળખું હતું, તેની હેઠળ 10.75 ટકાના દરે ઈમ્પોર્ટ ડ્યૂટી લાગતી હતી, ફિઝિકલ ખરીદી પર 3 ટકા જીએસટી લાગતો હતો અને જો સોનાનાં ઘરેણાંની ખરીદી કરી હોય તો, ગ્રાહકે મેકિંગ ચાર્જિસ અને આ મેકિંગ ચાર્જિસ પર 18 ટકા જીએસટી ચૂકવવો પડતો હતો. પરંતુ હવે ઈમ્પોર્ટ ડ્યૂટી 1.075 ટકાથી વધારીને 15 ટકા થઈ ગઈ છે. 1 જુલાઈએ સરકારે ઈમ્પોર્ટ ડ્યૂટી વધારવાનો નિર્ણય જાહેર કર્યો અને તે જ દિવસે સોનાનો હાજરભાવ 1,000 રૂપિયા વધી ગયો હતો.
માંગ પર અસર પડવાની બીક
વિદેશનાં બજારોમાં ભાવ ઘટ્યો છે, પરંતુ ભારતમાં ભાવ વધવાનું કારણ છે, ઈમ્પોર્ટ ડ્યૂટીમાં થયેલી વૃદ્ધિ. જ્વેલર્સને બીક છે કે, સોનાનો ભાવ વધશે તો જ્વેલરી કારોબાર પર અસર પડી શકે છે. ગોલ્ડ પર ઈ-વે બિલના નિયમને લઈને પણ જ્વેલરીનો ધંધો કરનારા પરેશાન છે.
નિષ્ણાતનો અભિપ્રાય
ધી બુલિયન એન્ડ જ્વેલરી એસોસિયેશના પ્રેસિડન્ટ યોગેશ સિંઘલનું માનવું છે કે, જે વેપારીઓનું વાર્ષિક ટર્નઓવર 20 કરોડ રૂપિયા હોય તેમના માટે તો ઈ-ઈનવોઈસ પહેલેથી જ જરૂરી હતું અને હવે નાના જ્વેલર્સે પણ ઈ-વે બિલની વ્યવસ્થા કરવી પડશે, પછી ભલે ને ટર્નઓવર ગમે તેટલું હોય. ઈ-વે બિલ માટે અત્યાર સુધી જે વ્યવસ્થા અમલમાં હતી, તે અંતર્ગત 50,000 રૂપિયાથી વધુ મૂલ્યના ગોલ્ડ સિવાયના તમામ સામાનના પરિવહન માટે ઈ-વે બિલ ફરજિયાત હતું. જોકે, ગોલ્ડને પણ આમાં સામેલ કરવાની માંગણી તો ઘણા સમયથી થઈ રહી હતી અને જૂનના અંતે મળેલી જીએસટી કાઉન્સિલની બેઠકમાં આ માંગણી માન્ય રાખવામાં આવી હતી. આમ, હવે ગોલ્ડને લઈને ટેક્સેશનનો વધુ એક નિયમ અમલમાં આવી ગયો છે. જોકે, કેટલી કિંમતના સોના પર ઈ-વે બિલનો નિયમ લાગુ થશે, તેનો નિર્ણય તો રાજ્યોએ લેવાનો છે.
માર્કેટમાં પારદર્શકતા વધશે
ઈ-વે બિલને કારણે જે જ્વેલર્સનું વાર્ષિક ટર્નઓવર 20 કરોડ રૂપિયાથી ઓછું હશે, તેમના ગોલ્ડ સોર્સની માહિતી મેળવવામાં સરળતા રહેશે. તેમના સોર્સની ખબર પડશે તો, જ્વેલરીના બિઝનેસમાં પારદર્શકતા આવશે, એટલે સરકારને ટેક્સ દ્વારા આવક વધારવામાં મદદ મળશે. નાના શહેરો અને નગરોમાં મોટા ભાગનાં ઝવેરીઓનું વાર્ષિક ટર્નઓવર 20 કરોડ રૂપિયાથી ઓછું હોય છે, એટલે ગોલ્ડ પર ઈ-વે બિલના નિયમથી નાના ઝવેરીઓના કારોબારમાં પારદર્શકતા આવી શકે છે અને કદાચ એટલા માટે જ આ નિયમ લાગુ કરવાની માંગણી થઈ રહી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો