Money9: સમાચારોના લંચબોક્સમાં વાંચો અત્યાર સુધીના મહત્વના સમાચાર
બજારમાં નકલી નોટોની સંખ્યા વધી
જો તમે રોકાડમાં લેવડ-દેવડ કરો છો તો નકલી નોટોથી સાવધાન રહેજો. કારણ કે બજારમાં નકલી નોટોની સંખ્યા વધી રહી છે. તેમાં પણ 500 રૂપિયાની નકલી નોટોની સંખ્યા ઝડપથી વધી છે. રિઝર્વ બેંકે તેના હાલના રિપોર્ટમાં જણાવ્યું છે કે બજારમાં 500ની નકલી નોટોની સંખ્યા વધી છે. વર્ષ 2022-23માં વાર્ષિક આધારે 500ની નકલી નોટોની સંખ્યા 14 ટકાથી વધુ વધી છે. વર્ષ 2022-23માં કુલ નકલી નોટોમાં RBIએ 4.6 ટકા નકલી નોટો પકડી છે. જ્યારે અન્ય બેંકોએ 95.4 ટકા નકલી નોટો પકડી પાડી છે. આ સમયગાળા દરમિયાન 500 રૂપિયાની 91,110 નકલી નોટો પકડી પાડવામાં આવી છે.
UPIથી પણ એડવાન્સ હશે નવી પેમેન્ટ સિસ્ટમ
રિઝર્વ બેંક નવી પેમેન્ટ સિસ્ટમ પર કામ કરી રહ્યું છે. ડિજિટલ એટેક, કુદરતી આપત્તિઓ અને યુદ્ધ જેવી ઘટનાઓ દરમિયાન મહત્વપૂર્ણ લેવડદેવડ માટે આ નવી પેમેન્ટ સિસ્ટમ કામ કરશે. એટલું જ નહીં કોઇપણ પરિસ્થિતિમાં આ સિસ્ટમ કામમાં આવશે. પ્રસ્તાવિત લાઇટ વેઇટ એન્ડ પોર્ટેબલ પેમેન્ટ સિસ્ટમ પરંપરાગત ટેક્નોલોજીથી અલગ હશે. આ સિસ્ટમને ઘણાં ઓછા કર્મચારીઓ કોઇપણ જગ્યાએથી સંચાલિત કરી શકશે. RTGS, NEFT, અને UPIથી આ પેમેન્ટ સિસ્ટમ અલગ હશે. આ સિસ્ટમથી આપત્તિઓ અને યુદ્ધ દરમિયાન મહત્વના ટ્રાન્ઝેક્શન્સ સરળતાથી થઇ શકશે.
બેંકિંગ સેક્ટરમાં છેતરપિંડીના કિસ્સા વધ્યા
બેંકિંગ સેક્ટરમાં છેતરપિંડીના કિસ્સા ઝડપથી વધી રહ્યા છે. નાણાકીય વર્ષ 2022-23માં 13,530 કેસો નોંધવામાં આવ્યા છે… RBIના જણાવ્યા અનુસાર આવા છેતરપિંડીના કેસોમાં કુલ 30,252 કરોડ રૂપિયા સામેલ છે….કાર્ડ અને ઇન્ટનેટ દ્વારા થતી ડિજિટલ ચુકવણીમાં સૌથી વધુ છેતરપિંડી થઇ રહી છે. પ્રાઇવેટ બેંકોમાં છેતરપિંડીની સૌથી વધુ ઘટના બની છે….
મળી રહ્યું છે 1 રૂપિયા સસ્તુ પેટ્રોલ
જિયો-બીપી બાદ હવે નાયરા એનર્જીએ પણ સસ્તા પેટ્રોલ-ડીઝલ વેચવાનું શરૂ કર્યું છે. નાયરા એનર્જી સરકારી ઓઇલ કંપનીઓની સરખામણીએ એક રૂપિયા ઓછી કિંમતે પેટ્રોલ અને ડીઝલ વેચી રહી છે. નાયરા એનર્જી સ્થાનિક માંગને પ્રોત્સાહન આપવા અને સ્થાનિક ગ્રાહકોને સારી સેવા આપવા માટે જૂન 2023ના અંત સુધી એક રૂપિયાની છૂટ આપશે. આગામી 30 જૂન સુધી આ છૂટ ચાલુ રહેશે. નાયરા એનર્જી ગુજરાત, મહારાષ્ટ્ર, રાજસ્થાન સહિત 10 રાજ્યોમાં એક રૂપિયા સસ્તું પેટ્રોલ અને ડીઝલ વેચી રહી છે. દેશભરમાં કુલ પેટ્રોલ પંપોની સંખ્યા 86,925 છે.
કર વિવાદને ઉકેલવા ઇ-અપીલ યોજના
સીબીડીટીએ ઇ-અપીલ યોજનાને નોટીફાઇ કરી છે. આ યોજનાથી આવકવેરા સાથે જોડાયેલી અપીલોને ઇલેક્ટ્રોનિક રીતે દાખલ કરવી અને તેના નિકાલ કરવાનું સુનિશ્ચિત થશે. ઇ-અપીલ યોજના 2023 અન્વયે જોઇન્ટ કમિશ્નર અપીલોનો નિકાલ કરશે. કર અધિકારીની સામે આવકવેરાની અપીલ પર વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા સુનાવણી થઇ શકશે. ઇ-અપીલનો અમલ એક પ્રગતિશીલ પગલું છે. જેનાથી વધારે કાર્યક્ષમ, સુલભ અને જવાબદાર કર પ્રણાલીને સુનિશ્ચિત કરશે. આ પ્રક્રિયાથી કરદાતાઓના વિવાદને એક નિશ્ચિત સમયમાં ઉકેલવામાં મદદ મળશે.
RBI ડિજિટલ કરન્સીનું કરશે વિસ્તરણ
RBI સેન્ટ્રલ બેંક ડિજિટલ કરન્સીનું વિસ્તરણ કરશે. જેમાં વધારે બેંક અને શહેરોને સામેલ કરવામાં આવશે. RBI CBDC એક ઇલેક્ટ્રોનિક કરન્સી છે. રિઝર્વ બેંકે રૂપિયાને જથ્થાબંધ અને રિટેલ એમ બે વર્ઝનમાં લોન્ચ કર્યો છે. CBDC રિટેલનો ઉપયોગ પ્રાઇવેટ સેક્ટર, બિન નાણાકીય ગ્રાહકો અને વેપારીઓ ઉપયોગ કરી શકે છે. જથ્થાબંધ ડિજિટલ મુદ્રાનો ઉપયોગ કેટલી નાણાકીય સંસ્થાઓ સુધી સીમિત છે. CBDC પાયલોટ પ્રોજેક્ટમાં વધારે બેંકો અને શહેરોનો સમાવેશ કરવામાં આવશે. 2023-24 દરમિયાન RBI CBDC માં નવા ફિચર્સ જોડશે.
સસ્તુ ઇ-સ્કૂટર ખરીદવાનો આજે છેલ્લો દિવસ
ઇલેક્ટ્રોનિક સ્કૂટરમાં ખરીદવું હોય તો હવે ફક્ત 1 દિવસ જ બચ્યો છે. કારણ કે 1 જૂનથી ઇલેક્ટ્રોનિક ટુ-વ્હીલર 32,500 રૂપિયા સુધી મોંઘા થઇ શકે છે. સરકારે ફેમ-2 હેઠળ સબસિડીમાં ઘટાડો કર્યો છે. એક જૂન બાદ ઇલેક્ટ્રિક ટૂ વ્હીલર પર 10,000 રૂપિયા પ્રતિ કિલોવોટની સબસિડી મળશે. વાહનની એક્સ ફેક્ટરી પ્રાઇસ પર સરકાર હવે 15 ટકા ઇન્સેન્ટિવ આપશે. પહેલા આ સીમા 40 ટકા હતી. આ લાભો પૂરા થતા 32,500 રૂપિયા સુધી ઇવી ટૂ વ્હીલરની કિંમત વધી જશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો