હેલ્થ ઈન્સ્યૉરન્સના નિયમોમાં કેટલાક મહત્ત્વનાં ફેરફારની શક્યતા છે. જો તમે કોઈ સારવાર માટે હોસ્પિટલમાં 24 કલાકથી ઓછો સમય વીતાવો તો વીમો પાસ થતો નથી, પરંતુ હવે આવું નહીં થાય.
જો 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલાઈઝ થયા હશો તો વીમા કંપની તમારો ક્લેમ રિજેક્ટ નહીં કરી શકે. નવા નિયમ અંગે વિચારણા ચાલી રહી છે. નવા નિયમમાં ઘણી શરતો દૂર કરવામાં આવે તેવી શક્યતા છે. હવે મેડિકલ ટ્રીટમેન્ટ એડવાન્સ થઈ છે. થોડા કલાકોમાં સારવાર પૂરી થઈ જાય છે અને ઘણી સર્જરીઓ પણ પૂરી થઈ જાય છે. પરંતુ વર્તમાન નિયમો મુજબ, 24 કલાકથી ઓછા સમય માટે હોસ્પિટલમાં દાખલ થવા પર મેડિક્લેમ ઉપલબ્ધ નથી.
વીમા ઉદ્યોગના નિયમનકારે વીમો લેવાની મહત્તમ મર્યાદા પણ દૂર કરવાની વિચારણા હાથ ધરી છે. ઈન્સ્યોરન્સ રેગ્યુલેટરી એન્ડ ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઈન્ડિયા (IRDA)એ હેલ્થ પોલિસી લેવા માટેની મહત્તમ વય મર્યાદાને નાબૂદ કરવાનો પ્રસ્તાવ પણ મૂક્યો છે
ઈનકમ ટેક્સ રિટર્ન ફાઈલ કરવાના ફોર્મ જાહેર થઈ ગયા છે. દર વખત કરતાં આ વખતે ફોર્મનું નોટિફિકેશન એકાદ મહિનો વહેલો આવી ગયું છે ફેબ્રુઆરી કે માર્ચમાં ફોર્મ જાહેર થતા હોય છે, પરંતુ આ વખતે ડિસેમ્બરના અંતે જ જાહેર થઈ ગયા છે. ફોર્મ 1 (સરલ) અને ફોર્મ (સુગમ). એપ્રિલ 2023થી માર્ચ 2024 દરમિયાન થયેલી આવક માટે તમારે રિટર્ન ફાઈલ કરવું જરૂરી છે. વાર્ષિક આવક 50 લાખ સુધીની હશે અને આવકનો સ્રોત પગાર હોય તેમના માટે ITR ફોર્મ-1 છે અને વાર્ષિક આવક 50 લાખ હશે પરંતુ આવકનો સોર્સ બિઝનેસ કે વેપારધંધો હશે તેમના માટે ITR ફોર્મ-4 છે. બંને ફોર્મમાં કેટલાક ફેરફાર પણ કરવામાં આવ્યા
હવે કરદાતાઓએ આવકવેરા રિટર્ન ફોર્મમાં વધુ માહિતી આપવી પડશે. એકથી વધુ બેંક ખાતા હોય છે, તો ITR ફાઇલ કરતી વખતે તમામ ખાતાની વિગતો આપવી પડશે. ITR ફોર્મ-4 ભરનારા કરદાતાઓએ નવી કર વ્યવસ્થામાંથી બહાર નીકળવા માટે બીજું ફોર્મ ભરવાનું રહેશે. તેમણે ફોર્મ 10-IEA ભરવું પડશે
ભારતનું વિદેશી હુંડિયામણ (forex reserves) 9.11 અબજ ડૉલર વધીને 615.97 અબજ ડૉલરે પહોંચી છે. 15 ડિસેમ્બરે સમાપ્ત થયેલા સપ્તાહના અંતે ફોરેક્સ રિઝર્વ વધીને 20 મહિનાની ટોચે પહોંચી છે. રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) દ્વારા જાહેર થયેલા ડેટા અનુસાર, ગોલ્ડ રિઝર્વ 44.6 કરોડ ડૉલર વધીને 47.58 અબજ ડૉલર થઈ છે. ઈન્ટરનેશલ મોનેટરી ફંડ એટલે કે, IMFમાં રહેલી ભારતની રિઝર્વનો આંકડો 18.1 કરોડ ડૉલર વધીને 5.02 અબજ ડૉલર થયો છે.
ઓક્ટોબર 2021માં ફોરેક્સ રિઝર્વ 645 અબજ ડૉલરની સર્વોચ્ચ સપાટીએ હતી. પરંતુ RBIએ રૂપિયાનું ધોવાણ અટકાવવા માટે ડૉલર વેચ્યા હોવાથી રિઝર્વમાં ઘટાડો થયો હતો. ઉલ્લેખનીય છે કે, રૂપિયામાં ભારે અવમૂલ્યનને રોકવા માટે રિઝર્વ બેન્ક દ્વારા ડોલરના વેચાણ સહિતના પગલાં ભરવામાં આવે છે અને લિક્વિડિટી મેનેજમેન્ટ દ્વારા હસ્તક્ષેપ કરવામાં આવે છે. ફોરેન એક્સચેન્જ રિઝર્વ વધવાથી દેશનાં અર્થતંત્રને ટેકો મળશે અને જ્યારે પણ રૂપિયામાં વોલેટાલિટી વધશે કે વધારે પડતું ધોવાણ થશે ત્યારે RBIને દરમિયાનગીરી કરીને રૂપિયો સાચવવામાં મદદ મળશે
થર્ટી ફર્સ્ટની પાર્ટીનું પ્લાનિંગ ભલે કરો, પણ કેટલાક મહત્ત્વના કામ પતાવવાનું પણ ધ્યાન રાખજો. સિક્યૉરિટીઝ એન્ડ એક્સચેન્જ બૉર્ડ ઑફ ઈન્ડિયા (SEBI)એ ડિમેટ ખાતેધારકો માટે અને મ્યુચ્યુઅલ ફંડના વ્યક્તિગત રોકાણકારો માટે 31 ડિસેમ્બર સુધીમાં નોમિનેશન ડેક્લેરેશન પ્રોસેસ પૂરી કરવાનું અથવા opt-out of nominations પસંદ કરવાનું ફરજિયાત કર્યું છે. જો રોકાણકારો 31 ડિસેમ્બરની સમયમર્યાદા સુધીમાં નોમિનીની નિમણૂક નહીં કરે તો, સેબી તેમના ખાતાને ફ્રીઝ કરી દેશે. જે રોકાણકારો 31 ડિસેમ્બર સુધીમાં નોમિનેશન પ્રોસેસ પૂરી નહીં કરે તેઓ મ્યુચ્યુઅલ ફંડમાંથી પૈસા નહીં ઉપાડી શકે તેમજ શેરબજારમાં ટ્રેડિંગ માટે ડિમેટ એકાઉન્ટનો ઉપયોગ પણ નહીં કરી શકે. તમે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરી રહ્યાં હોવ અને અચાનક તમારું મૃત્યુ થઈ જાય તો તમારા ખાતામાં જમા થયેલી રકમ તમારા વારસદારને સરળતાથી મળી રહે તે માટે નોમિનીની નિમણૂક કરવી અત્યંત મહત્ત્વની છે. નોમિનેશન પ્રોસેસ એકદમ સરળ પ્રક્રિયા છે. તમારું મૃત્યુ થઈ જાય ત્યારે તમારી સિક્યોરિટીઝ કોને સોંપવી તે તમારે નક્કી કરવાનું છે. તમે ડિમેટ ખાતુ ખોલાવતી વખતે અથવા બાદમાં પણ નોમિનેશન પ્રોસેસ પૂર્ણ કરી શકો છો. જો નોમિનીની નિમણૂક નહીં કરી હોય, તો તમારા વારસદારે ખર્ચાળ અને લાંબી કાનૂની પ્રક્રિયાનું પાલન કરવાનો વારો આવશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો