Money9 Gujarati:
જો તમે પણ ટ્રેન (Indian Railways)માં મુસાફરી કરતા હોવ તો તમારા માટે એક મહત્ત્વનાં સમાચાર છે. હવે એક નાનકડી ભૂલ તમને ટિકિટ વગરનાં કરી શકે છે. રેલવે વિભાગે પ્રવાસીઓ માટેના નિયમમાં એક મોટો ફેરફાર (Indian Railways Ticket Rules) કર્યો છે. જો તમે ટ્રેન ઉપડ્યાની 10 મિનિટ બાદ તમારી સીટ પર હાજર નહીં થાવ તો તમારી ટિકિટ કેન્સલ થઈ શકે છે અને તમે કન્ફર્મ ટિકિટ હોવા છતાં ટ્રેનમાં મુસાફરી નહીં કરી શકો.
રેલવેએ બદલ્યો આ નિયમ મીડિયા રિપોર્ટ અનુસાર, રેલવેના એક અધિકારીએ જણાવ્યું છે કે જો તમે તમારી ટ્રેનમાં આરક્ષિત સીટ પર મોટા પહોંચશો તો તમારી ટિકિટને કેન્સલ ગણવામાં આવશે. નવા નિયમ હેઠળ, હવે ટીટીઈ તમારી હાજરી નોંધવા માટે માત્ર 10 મિનિટ સુધી રાહ જોશે અને આ સમગ્ર પ્રક્રિયા ઓનલાઈન થશે. આથી, તમારી પાસે સીટ પરત મેળવવા માટે પણ કોઈ અવકાશ નહીં રહે.
ટિકિટ ગણાશે કેન્સલ ઘણી વાર પ્રવાસીઓ અન્ય કોચમાં મિત્રો કે સગાસંબંધીઓ પાસે બેસી જતા હોય છે અને મુસાફરી દરમિયાન ગમે ત્યારે પોતાની સીટ પર જઈને ટીટીઈ સમક્ષ પોતાની હાજરી નોંધાવી દે છે. પ્રવાસી ઘણી વખત તો એક કે બે સ્ટેશન પછી પોતાની સીટ પર પહોંચીને હાજરી ભરાવતા હતા અને ટીટીઈ પણ તેમની હાજરી ભરી દેતા હતા, પરંતુ હવે આવું શક્ય નહીં બને. જો તમારી હાજરી નહીં હોય તો તમારી ટિકિટ કેન્સલ થઈ જશે અને આ ટિકિટ અન્ય પ્રવાસીને ફાળવી દેવામાં આવશે.
અત્યાર સુધી તો, ચેકિંગ સ્ટાફ દ્વારા ટિકિટ ચેક કરવા માટે હેન્ડ હેલ્ડ ટર્મિનલનો ઉપયોગ કરે છે અને પ્રવાસીની હાજરીની તાજી માહિતી નોંધે છે. અગાઉ આ સંપૂર્ણ વ્યવસ્થાની નોંધણી કાગળ પર થતી હતી, જેમાં ટીટીઈ આગળના સ્ટેશન સુધી રાહ પણ જોઈ લેતા હતા. પરંતુ હવે જે સ્ટેશનથી પ્રવાસ કરવાનો હોય તે સ્ટેશનથી જ સીટ પર તમારી હાજરી ફરજિયાતપણે હોવી જોઈએ. જો તમે બોર્ડિંગ સ્ટેશન પસાર થઈ ગયાના 10 મિનિટ બાદ પણ સીટ પર હાજર નહીં મળો તો તમારી ગેરહાજરી ગણવામાં આવશે.
તો હવે પ્રવાસીએ શું કરવું? ધારો કે, કોઈ કારણસર તમારે અન્ય સ્ટેશનથી રિઝર્વેશન લેવું પડે અને બોર્ડિંગ અન્ય સ્ટેશનથી લેવાની ઈચ્છા હોય તો, તમારે તેની માહિતી અગાઉથી જ આપી દેવી પડશે. જો તમે ટિકિટમાં તમારા બોર્ડિંગની સ્પષ્ટતા અગાઉથી જ કરી દેશો તો ટીટીઈ તમારી સીટ કેન્સલ નહીં કરે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો