AIથી ભારતીય ઇકોનોમીને ફાયદો
એક તરફ એવી ચર્ચા થઈ રહી છે કે આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ એટલે કે AI દુનિયામાં નોકરીઓ માટે જોખમ છે… તો બીજી તરફ એક રિપોર્ટ છે જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે આવનારા દિવસોમાં AIથી ભારતીય ઇકોનોમીને ઘણો ફાયદો થવાનો છે. એકલું જનરેટિવ AI આગામી સાત વર્ષમાં ભારતીય અર્થતંત્રમાં અબજો ડોલરનું યોગદાન આપી શકે છે અને ભારતની જીડીપીમાં અબજો ડોલર આવી શકે છે…ભારતીય અર્થતંત્ર પર AI ની સંભવિત અસર અંગે EYએ એક રિપોર્ટ તૈયાર કર્યો છે.. EYનું કહેવું છે કે જેનરેટિવ એઆઇથી ભારતીય અર્થતંત્રને થનારા ફાયદાની આગેવાની એજ્યુકેશન અને અપ સ્કિલિંગ કરશે. આ જનરેટિવ AIથી આગામી સાત વર્ષમાં ભારતીય જીડીપીમાં 1.2 ટ્રિલિયનથી 1.5 ટ્રિલિયન ડૉલર સુધીનું યોગદાન આવી શકે છે… ડિજિટલ વિશ્વમાં ટેલેન્ટ ગમે ત્યાંથી નીકળીને બહાર આવી શકે છે. આવી સ્થિતિમાં, ડિજિટલ સ્કીલ ગેમ ચેન્જર સાબિત થશે અને ભારતના ડેમોગ્રાફિક ડિવિડન્ડનો લાભ લઇને કરોડો લોકોને વધુ સારી રીતે સમાન તકો પૂરી પાડશે…
બેરોજગારીનો દર ઘટ્યો
નાણામંત્રી નિર્મલા સીતારમણે કહ્યું કે દેશમાં બેરોજગારીનો દર ઘટ્યો છે. ડેટા અનુસાર, 2017-18માં બેરોજગારીનો દર 6 ટકા હતો, જે 2022-23માં ઘટીને 3.2 ટકા થઈ ગયો છે. નાણામંત્રીએ લોકસભામાં કહ્યું કે એક તરફ શ્રમબળ વધ્યું છે તો બીજી તરફ બેરોજગારીનો દર પણ ઘટ્યો છે. નોંધનીય છે કે 2017-18માં બેરોજગારીનો દર 6.1 ટકા હતો, જે 45 વર્ષમાં સૌથી વધુ હતો. NSSO એ તેના PLFS સર્વેમાં આ ડેટા જાહેર કર્યો હતો…
કરોડપતિ કરદાતા વધ્યા
ભારતમાં વાર્ષિક 1 કરોડ રૂપિયાથી વધુની કમાણી કરતા કરદાતાઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. આ સંખ્યા એસેસમેન્ટ યર 2023-24માં 2 લાખ 16 હજાર પર પહોંચી ગઈ છે. નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ સંસદમાં આ માહિતી આપી છે. તેમના મતે, 2019 થી ઉચ્ચ આવક મેળવનારાઓમાં એક પોઝિટિવ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે અને તે આવકવેરા રિટર્ન ફાઇલિંગના ડેટા પરથી સ્પષ્ટપણે જોઇ શકાય છે… ઉપરાંત, દેશમાં વાર્ષિક ધોરણે આવકવેરા રિટર્ન ફાઇલ કરનારાઓની સંખ્યામાં પણ નોંધપાત્ર વધારો જોવા મળી રહ્યો છે. આમાં પણ, 1 કરોડથી વધુની કમાણી કરનારા કરદાતાઓની સંખ્યામાં ઝડપી દરે વધારો થયો છે.
કેન્દ્રીય કર્મચારીઓને ઝટકો
8મા પગાર પંચની રચનાની રાહ જોઈ રહેલા કેન્દ્રીય કર્મચારીઓને સરકારે આંચકો આપ્યો છે. 8મા પગારપંચની રચના અંગે રાજ્યસભામાં પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં નાણા રાજ્ય મંત્રી પંકજ ચૌધરીએ કહ્યું કે સરકાર સમક્ષ આવી કોઈ દરખાસ્ત વિચારણા હેઠળ નથી. કેન્દ્રીય કેબિનેટે 7મા પગાર પંચના આધારે પગાર અને ભથ્થાંના સુધારાને મંજૂરી આપતી વખતે આ બાબત પર વિચાર કર્યો નથી… તમને જણાવી દઈએ કે 7મા પગાર પંચની રચના 2014માં કરવામાં આવી હતી અને તેની ભલામણોને 1 જાન્યુઆરી 2016 થીએ અંતિમ સ્વરૂપ આપવામાં આવ્યું હતું.
કાશ્મીરનો પ્લાન કરનારા ખાસ વાંચો
જો તમે કાશ્મીરની ખીણોની મજા લેવાનું વિચારી રહ્યા છો, તો IRCTC તમારા માટે એક સસ્તું ટૂર પેકેજ લઈને આવ્યું છે… આ એક ફ્લાઈટ પેકેજ છે જેમાં તમને ઈન્ડિગો ફ્લાઈટ દ્વારા નાગપુરથી દિલ્હી અને દિલ્હીથી જમ્મુ જવાનો મોકો મળી રહ્યો છે. . પરત ફરતી વખતે, તમને જમ્મુથી દિલ્હી અને પછી દિલ્હીથી નાગપુરની ફ્લાઈટ ટિકિટ મળી રહી છે… આ પેકેજમાં તમે જમ્મુમાં વૈષ્ણો દેવીના દર્શન કરી શકશો… ત્યારબાદ તમે શ્રીનગર, ગુલમર્ગ અને પહેલગામની વિઝિટ કરી શકશો. આખા ટૂર પેકેજમાં તમને કુલ 7 રાત માટે હોટેલમાં રહેવાની સુવિધા મળશે. આમાં તમે શ્રીનગરમાં હાઉસબોટમાં પણ એક રાત રોકાઈ શકો છો.. પ્રાઇસની વાત કરીએ તો, સિંગલ ઓક્યુપન્સી પર તમારે વ્યક્તિ દીઠ 55,100 રૂપિયા, બે લોકો માટે 46,000 રૂપિયા અને ટ્રિપલ ઓક્યુપન્સી પર 44,000 પર પર્સન ચૂકવવા પડશે.
Paytmના સીઇઓ હવે કોને મળ્યા?
પેટીએમ પર આરબીઆઈની કાર્યવાહી બાદ કંપનીના સીઈઓ વિજય શેખર શર્મા બુધવારે નાણામંત્રી નિર્મલા સીતારમણને મળ્યા અને આ અંગે તેમની મદદ માંગી. જોકે, નાણામંત્રીએ આરબીઆઈની કાર્યવાહીને રેગ્યુલેટરી મેટર ગણાવી છે અને પેટીએમના સીઈઓને આરબીઆઈ સાથે સીધી ડીલ કરવા જણાવ્યું છે. એક દિવસ પહેલા એટલે કે સોમવારે, કંપનીના CEO વિજય શેખર શર્માએ RBIના અધિકારીઓ સાથે મુલાકાત કરી હતી, જેમાં RBIને 29 ફેબ્રુઆરીથી Paytm પેમેન્ટ બેંક પર લાદવામાં આવેલા પ્રતિબંધની સમયમર્યાદા લંબાવવાની વિનંતી કરવામાં આવી હતી.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો