પગારદારો માટે ગૂડ ન્યૂઝ
પગારદારો માટે ઇનકમ ટેક્સ ડિપાર્ટમેન્ટ તરફથી ગુડ ન્યૂઝ આવ્યા છે. કેન્દ્રીય પ્રત્યક્ષ કર બોર્ડે રેન્ટ ફ્રી હોમ સાથે જોડાયેલા નિયમોમાં કેટલાક ફેરફારને લઇને નોટિફિકેશન જાહેર કર્યું છે. નવા નિયમ લાગૂ થઇ ગયા બાદ કર્મચારીઓની take home એટલે કે in-hand salaryમાં વધારો થશે. CBDTના જણાવ્યા અનુસાર, કેન્દ્ર કે રાજ્ય સરકારના કર્મચારીઓ ઉપરાંત બાકીના કર્મચારી, જે કંપનીની માલિકીના ઘરમાં રહે છે. તેના વેલ્યૂએશનના કેલ્ક્યુલેશનમાં હવે ફેરફાર કરવામાં આવ્યો છે. નવા નિયમ અનુસાર જ્યાં કર્મચારીને કંપની તરફથી અન-ફર્નિશ્ડ ઘર આપવામાં આવતું હોય અને આવા ઘરનો માલિકી હક કંપની પાસે હોય તો તેનું વેલ્યુએશન હવે અલગ રીતે થશે. હવે એવા શહેરી ક્ષેત્ર જેની વસતી 2011ની વસતી ગણતરી અનુસાર 40 લાખથી વધુ છે તો ત્યાં HRA પગારના 10 ટકા હશે. આ અગાઉ આવુ એચઆરએ 2001ની વસતીગણતરી અનુસાર 25 લાખની વસતીવાળા શહેરમાં સેલેરીના 15 ટકા જેટલું હતું.
ચોખા બજારમાં હલચલ
ચોખાની નિકાસ પર ભારતના પ્રતિબંધે વિશ્વમાં હલચલ મચાવી દીધી છે… વિશ્વના અન્ય મોટા ચોખા ઉત્પાદક દેશોએ ગ્રાહકોને ચોખાનો સપ્લાય પૂરતો આશ્વાસન હોવાનું આપવાનો પ્રયાસ કર્યો છે, પરંતુ તેના કારણે વિશ્વ ચોખાના બજારમાં મચેલી હલચલ શાંત થવાનું નામ નથી લઇ રહી. ગયા અઠવાડિયે ‘ટાઈમ્સ ઑફ ઈન્ડિયા’ના એક અહેવાલ અનુસાર, ભારતે ઉકળા ચોખા અને બાસમતીની નિકાસ પર પ્રતિબંધ મૂક્યા પછી એશિયામાં ચોખાના ભાવ લગભગ 15 વર્ષમાં સૌથી ઊંચા સ્તરે પહોંચી ગયા છે. સૌથી મોટી ચિંતા એ છે કે શું થાઈલેન્ડ અને વિયેતનામ પણ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાના ભારતના પગલાને અપનાવશે અને પોતાની ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકશે. જો આવું થશે, તો વિશ્વમાં ચોખાના ભાવ ટન દીઠ 1,000 ડોલર પ્રતિ ટનને વટાવી જશે. વિશ્વના ચોખા બજારમાં ભાવ હાલમાં 646 ડોલર પ્રતિ ટન છે અને શુષ્ક હવામાનની અસર બજારને વધુ હલાવી શકે છે.
PM મોદીને શેની ચિંતા?
ભારતમાં G20 નેતાઓની સમિટ યોજાય તે પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ મોંઘવારીને વિશ્વ માટે એક ગંભીર પડકાર ગણાવ્યો છે. પીએમ મોદીએ રાજ્યો માટે રાજકોષીય અનુશાસનની જરૂરિયાત પર ભાર મૂક્યો. તેમણે આશા વ્યક્ત કરી કે 2047 સુધીમાં ભારત એક વિકસિત રાષ્ટ્ર બની જશે, જેમાં ભ્રષ્ટાચાર, જાતિવાદ અને સાંપ્રદાયિકતાને કોઈ સ્થાન નહીં હોય.
સમયસર નોટ બદલી નાંખજો
થોડા મહિના પહેલા આરબીઆઈએ એક પરિપત્ર બહાર પાડીને 2000 રૂપિયાની નોટને ચલણમાંથી પાછી ખેંચવાની જાહેરાત કરી હતી. તેમજ લોકોને તેમની 2,000 રૂપિયાની નોટો બદલાવવા માટે 30 સપ્ટેમ્બર સુધીનો સમય આપવામાં આવ્યો હતો, જેથી લોકોને નોટ બદલવામાં કોઈ મુશ્કેલી ન પડે અને નોટો બદલવાનો સમય પણ મળે. RBIએ કહ્યું હતું કે 2000 રૂપિયાની નોટ 30 સપ્ટેમ્બર સુધી માન્ય રહેશે. એટલે કે આ નોટોનો ઉપયોગ કરવા માટે માત્ર 30 સપ્ટેમ્બર સુધીનો સમય છે. સપ્ટેમ્બરમાં બેંકોની રજાઓને ધ્યાનમાં રાખીને જો લોકો સમયસર રૂ. 2,000ની નોટ બદલી નાખે તો સારું રહેશે.
મેચની ટિકિટો મિનિટોમાં બુક લઇ
આગામી ICC ODI ક્રિકેટ વર્લ્ડ કપ દરમિયાન મેદાન પર ટીમ ઈન્ડિયાની ઝલક જોવાની આશા રાખતા ઘણા ક્રિકેટ ચાહકો નિરાશ થયા છે કારણ કે મેચની ટિકિટો મિનિટોમાં વેચાઈ ગઈ છે. સામાન્ય લોકો માટે ભારતની મેચોનું બુકિંગ 30 ઓગસ્ટથી તબક્કાવાર રીતે શરૂ થયું હતું. જો કે ઘણા ક્રિકેટ ચાહકો સત્તાવાર બુકિંગ પ્લેટફોર્મ, BookMyShow પર લાંબો વેઇટિંગ પીરિયડ અને ટિકિટો વેચાઈ જવાની ફરિયાદ કરી રહ્યા છે. બીજી તરફ અન્ય ટીમોની મેચોની ટિકિટો હજુ પણ મળી રહી છે..પરંતુ ભારતીય દર્શકોને ખરો રસ ભારતીય મેચોમાં છે. Bookmyshowમાં ભારતની બધી મેચોની ટિકિટો સોલ્ડ આઉટ બતાવી રહી છે.
ફેસબુક, ઇન્સ્ટાની નવી એડિશન
મેટા ફેસબુક અને ઇન્સ્ટાગ્રામના એક નવા એડિશન પર વિચાર કરી રહી છે, જે હેઠળ કેટલીક ચૂકવણીઓ કર્યા બાદ યૂઝર્સને ઇન્ટરફેસ પર જાહેરાતો નહીં જોવા મળે. આ નવું અપડેટ સૌ પ્રથમ યુરોપિયન યુનિયનમાં લોન્ચ કરવામાં આવે તેવી શક્યતા છે. કંપનીના પ્લાનની જાણકારી ધરાવતા લોકોએ કહ્યું, “જે લોકો Facebook અને Instagram સબ્સ્ક્રિપ્શન માટે ચૂકવણી કરે છે તેઓને એપ્સમાં જાહેરાતો દેખાશે નહીં. આનાથી મેટા યૂઝર્સને કંપનીની જાહેરાત-આધારિત સેવાઓનો વિકલ્પ આપીને યૂરોપીય સંઘના નિયમનકારો પાસેથી ગોપનીયતા સંબંધી ચિંતાઓ અને અન્ય તપાસથી બચવામાં મદદ મળી શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો