નોન-બાસમતી ચોખાની નિકાસને મંજૂરી
Directorate General of Foreign Tradeએ નેશનલ કોઓપરેટિવ એક્સપોર્ટ્સ લિમિટેડ દ્વારા સંયુક્ત આરબ અમિરાતને 75,000 ટન નોન બાસમતી વ્હાઇટ રાઇસના એક્સપોર્ટને મંજૂરી આપી છે. ભારત,યૂએઇના ટોપ રાઇસ સપ્લાયર્સમાં ગણવામાં આવે છે. સરકાર નબળા દેશોની ખાદ્ય સુરક્ષા જરૂરિયાતોને પૂરી કરવા માટે નોન-બાસમતી ચોખા અને બીજા અનાજના એક્સપોર્ટને મંજૂરી આપી રહી છે. અગાઉ 20 જુલાઇના રોજ ભારતે વધતી ડોમેસ્ટીક કિંમતોને નિયંત્રિત કરવા માટે વધુ વપરાશવાળા નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ લગાવી દીધો હતો. આ પગલું ગયા વર્ષે બ્રોકન રાઇસના એક્સપોર્ટ પર પ્રતિબંધ બાદ ઉઠાવાયું હતું.
આ બેંકોને ભારે દંડ
RBIએ નિયમોના ભંગ બદલ SBI, Indian Bank અને Punjab & Sind Bank પર ભારે દંડ ફટકાર્યો છે. આરબીઆઇએ દિશાનિર્દેશો સાથે જોડાયેલી જોગવાઇઓનું પાલન નહીં કરવા બદલ આ દંડ ફટકાર્યો છે. આરબીઆઇના આ નિર્ણયથી બેંકના ગ્રાહકો પર કોઇ અસર નહીં પડે.
જીડીપી 6 ટકા રહેવાનો અંદાજ
S&P ગ્લોબલ રેટિંગ્સે ચાલુ નાણાકીય વર્ષ માટે ભારતના જીડીપી વૃદ્ધિ દરને 6 ટકાના તેના અગાઉના અંદાજ પર જાળવી રાખ્યો છે. એજન્સીએ વર્લ્ડ ઇકોનોમીમાં સ્લોડાઉન, ચોમાસામાં ઓછો વરસાદ અને વ્યાજ દરોમાં વધારાની વિલંબિત અસરને કારણે આ અનુમાન લગાવ્યું છે. અમેરિકન રેટિંગ એજન્સીએ ભારતમાં શાકભાજીની વધતી કિંમતો અને વૈશ્વિક બજારમાં ક્રૂડ ઓઇલની વધતી કિંમતોને ધ્યાનમાં રાખીને છૂટક ફુગાવાનો અંદાજ 5 ટકાથી વધારીને 5.5 ટકા કર્યો છે.
મૂડીઝની શંકાને સરકારે ફગાવી
આધાર કાર્ડની વિશ્વસનીયતા પર મૂડીઝ દ્વારા ઉઠાવવામાં આવેલા સવાલોને કેન્દ્ર સરકારે ફગાવી દીધા છે. સરકારનું કહેવું છે કે તે વિશ્વની સૌથી વિશ્વસનીય ડિજિટલ આઈડી છે, જેના પર છેલ્લા એક દાયકામાં 1 અબજથી વધુ ભારતીયોએ ભરોસો વ્યક્ત કર્યો છે અને 100 અબજથી વધુ વખત પોતાને પ્રમાણિત કર્યા છે…સાથે જ મોટાભાગના ભારતીયો તેનો ઉપયોગ કરી રહ્યા છે… હકીકતમાં, રેટિંગ એજન્સી મૂડીઝ ઇન્વેસ્ટર્સે આધારની બાયોમેટ્રિક્સની વિશ્વસનીયતા અંગે ચિંતા વ્યક્ત કરી છે. મૂડીઝે તેના રિપોર્ટમાં દાવો કર્યો છે કે આધાર સિસ્ટમમાં ખામીને કારણે આધાર બાયોમેટ્રિક્સ એવા સ્થળોએ કામ કરતું નથી જ્યાં હવામાન કે વાતાવરણ ગરમ હોય. આની પર કેન્દ્ર સરકારના આઈટી મંત્રાલયે કહ્યું છે કે આ રિપોર્ટ પાયાવિહોણો છે.
નોમિની દર્શાવવા માટે ફક્ત 5 દિવસ
ડીમેટ ખાતાધારકો અને મ્યુચ્યુઅલ ફંડ રોકાણકારો માટે આ સમાચાર ખૂબ જ મહત્વપૂર્ણ છે…. ડીમેટ અને મ્યુચ્યુઅલ ફંડ ફોલિયોમાં નોમિનીનું નામ જણાવવા માટે તમારી પાસે માત્ર 5 દિવસ બાકી છે..30મી સપ્ટેમ્બર સુધી નોમિનીનું નામ રજિસ્ટર નથી કરાવ્યું તો ડિમેટ ખાતા અને મ્યુચ્યુઅલ ફંડ ફોલિયો પર પ્રતિબંધ લાગી જશે. એટલે કે તે ફ્રીઝ થઇ જશે. અને રોકાણકાર ન તો રોકાણ કરી શકશે ન તો પોતાના પૈસા કાઢી શકશે. સેબીએ કહ્યું છે કે નવા અને હાલના બંને રોકાણકારો માટે નોમિનીનું નામ જાહેર કરવું જરૂરી છે. સેબીએ આ પગલું રોકાણકારોને તેમની સંપત્તિ સુરક્ષિત રાખવા અને તેમને તેમના કાનૂની વારસદારોને સોંપવામાં મદદ કરવા માટે ઉઠાવ્યું છે.
20 ડિફોલ્ટર્સે ચૂનો ચોપડ્યો
આરબીઆઈ ગવર્નરે જણાવ્યું છે કે પેન્ડિંગ લોનનો 60 ટકાથી વધુ હિસ્સો 20 વિલફુલ ડિફોલ્ટર્સનો છે. આના પર ધ્યાન કેન્દ્રિત કરવાથી કુલ NPA સુધારવામાં મદદ મળી શકે છે. જેવું કે તાજેતરના સમયમાં જોવા મળ્યું છે. તેમણે કહ્યું કે કોમર્શિયલ બેંકોની કુલ નોન-પર્ફોર્મિંગ એસેટ્સ માર્ચ 2023માં દશકના સૌથી શ્રેષ્ઠ સ્તર 3.9 ટકા પર હતી અને તેમાં વધુ સુધારો થવાની અપેક્ષા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો