MONEY9 GUJARATI: “મેં અપની જાયદાદ સે તુમ્હે બેદખલ કરતા હૂં”
જો તમે હિન્દી ફિલ્મો જોશો, તો જૂની ફિલ્મોમાં તમે એક કરોડપતિ પિતાને તેના બળવાખોર પુત્ર માટે આ ડાયલોગ બોલતા અવારનવાર સાંભળ્યા હશે.. જો તમને હંમેશા એવું લાગતું હોય કે ફક્ત ખૂબ જ ધનિક લોકો જ વસિયત લખે છે અને તેમના વારસદાર નક્કી કરે છે, તો તેના વિશે ફરીથી વિચાર કરી લો… સરકારી ડેટા અનુસાર, ભારતમાં હાલમાં 1.5 લાખ કરોડ રૂપિયાની સંપત્તિ અનક્લેમ્ડ છે. મોટાભાગની અનક્લેમ્ડ એસેટ્સ,,ઈન્સ્યોરન્સ, બેંક ડિપોઝિટ છે જેને લોકો ભૂલી ગયા છે.
આ ઉપરાંત, 31 જાન્યુઆરી, 2023 સુધી Investor Education and Protection Fund એટલે કે IEPFમાં લગભગ 5,675 કરોડ રુપિયા પણ પડ્યા હતા. તમામ શેર્સ, ડિવિડન્ડ, ડિબેન્ચર અને જમા થયેલા વ્યાજના પૈસા 7 વર્ષથી વધુ સમયથી અનક્લેમ્ડ રહેવાથી તેને આ ફંડમાં ટ્રાન્સફર કરવામાં આવ્યા હતા. જેથી તમારી જીવનભરની કમાણી અને મિલકત આવા ફંડમાં ન જાય અને તમારા બાળકોને તમારી મહેનતનું ફળ મળે, તે માટે તમારે પોતાનું વિલ બનાવવું જોઈએ…
વિલ એક કાનૂની દસ્તાવેજ એટલે કે લિગલ ડૉક્યુમેન્ટ છે જેમાં તમે જણાવો છો કે તમે તમારી મિલકત કોના નામે ટ્રાન્સફર કરી રહ્યા છો. એ જાણી લો કે સંપત્તિ કેટલી મોટી છે તેનાથી કોઈ ફરક પડતો નથી. વસિયતનામા પર હસ્તાક્ષર કરતી વખતે તમારી પાસે બે સાક્ષીઓ હોવા આવશ્યક છે અને જ્યારે તમે કોઈ વ્યક્તિને નિમણૂંક કરી શકો છો જે તમે આ દુનિયામાં ના હોવ ત્યારે વિલને લાગુ કરે.. જો તમારી મિલકત વિવિધ અધિકારક્ષેત્રોમાં આવે છે, તો તમારે બહુવિધ વિલ્સ અને કાયદાકીય રજીસ્ટ્રેશન કરાવવાની જરૂર નથી.
GLC wealth advisor ના CEO અને Co-Founder સંચિત ગર્ગ કહે છે કે દરેક વ્યક્તિ જેની પાસે કોઈપણ રોકાણ હોય, પછી તે બેંક ખાતું હોય, એફડી હોય, મ્યુચ્યુઅલ ફંડ હોય, વીમા પોલિસી હોય, રિયલ એસ્ટેટ હોય કે અન્ય કોઈ સંપત્તિ હોય, તેણે જીવનમાં વસિયતનામું બનાવી પોતાના પરિવારના ભવિષ્ય માટે પ્લાનિંગ કરવું જોઈએ. તમારી વસિયતનું રિજીસ્ટ્રેશન કરાવાથી તમારા મૃત્યુ પછી વિવાદો અથવા પડકારોની શક્યતા ઓછી થઈ જાય છે.
AasaanWillના સ્થાપક અને CEO વિષ્ણુ ચુંડી કહે છે કે દરેક નાણાકીય શ્રેણીના લોકોએ એક વિલ બનાવવું જોઈએ જેઓ તેમની મિલકતના કાનૂની અધિકારો કોઈને આપવા માંગતા હોય. આ મહત્વપૂર્ણ છે કારણ કે તે સુનિશ્ચિત કરે છે કે લોકો પોતાની સંપત્તિ જેને આપવા માગે છે તેની પાસે જ જાય..જેથી પરિવારમાં કોઈ વિવાદ ના થાય અને કોઈ કાનૂની સમસ્યાઓ ઊભી ના થાય.
18 વર્ષથી ઉપરની કોઈપણ વ્યક્તિ તેની વસિયત બનાવી શકે છે. લગ્ન, બાળકોનો જન્મ, નવું ઘર ખરીદવા જેવા તમારા જીવનના જુદા જુદા પડાવ પર તમારે તમારી વસિયતને અપડેટ કરતા રહેવું જોઈએ.
વિલ બનાવવા માટેની ફી સામાન્ય રીતે શહેર અને મિલકત પર આધારિત હોય છે. મેટ્રો શહેરોમાં વકીલો 20,000 થી 50,000 રુપિયા સુધીની ફી વસૂલે છે. પરંતુ તમે ખૂબ જ ઓછી ફી ભરીને ઓનલાઈન પ્લેટફોર્મ પર પણ વસિયત બનાવી શકો છો. AasanWill, Yellow, WillStar જેવા ઓનલાઈન પ્લેટફોર્મમાં આ ફી 899 રૂપિયાથી શરૂ થાય છે. જો મિલકત તમારા અને તમારા જીવનસાથી બંનેના નામે છે, તો આ પ્લેટફોર્મ દ્વારા તમે તમારી જરૂરિયાત મુજબ વસિયતનામું બનાવી શકો છો.
છેલ્લે ચાલો સમજીએ કે વસિયત બનાવતી વખતે તમારે શું ધ્યાનમાં રાખવું જોઈએ. આ અંગે સંચિત ગર્ગ કહે છે કે તમારું નામ, સરનામું અને જે વ્યક્તિ તમારી ઇચ્છાને અમલમાં મૂકશે તેનું નામ વસિયતમાં નોંધવું જોઈએ. વિલનો અમલ કરનાર વ્યક્તિ પરિવારના કોઈપણ સભ્ય, કાનૂની વારસદાર, મિત્ર, CA અથવા વકીલ હોઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો