આ બેંકોના ગ્રાહકોને ઝટકો
દિવાળી પહેલા ICICI બેંક અને બેંક ઓફ ઈન્ડિયાએ ગ્રાહકોને મોટો ઝટકો આપ્યો છે. બંને બેંકોએ તેમની લોનના દરમાં વધારો કર્યો છે. બંને બેંકોએ 1 નવેમ્બરથી MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે. આ પગલાથી હોમ લોન, કાર લોન, પર્સનલ લોન અને બેંકોની અન્ય લોન મોંઘી થઈ જશે. આનાથી વર્તમાન ગ્રાહકો તેમજ ફ્લોટિંગ રેટ પર લોન લેનારા નવા ગ્રાહકોને અસર થશે. બંને બેંકોએ MCLRમાં 0.05 ટકાનો વધારો કર્યો છે.
મોબાઇલ ટેરિફ મોંઘા થશે?
મોબાઈલ ટેરિફ ટૂંક સમયમાં ફરી એકવાર વધી શકે છે..દેશની બીજી સૌથી મોટી ટેલિકોમ કંપની ભારતી એરટેલનું કહેવું છે કે દેશમાં ટેલિકોમ ટેરિફ હજુ પણ ખૂબ જ ઓછા છે અને તેમાં વધારો કરવાની જરૂર છે. એરટેલના સીઈઓ ગોપાલ વિટ્ટલે કહ્યું કે ઈન્ડસ્ટ્રીને વ્યવહારિક બનાવવા માટે ટેરિફ રેટ વધારવાની જરૂર છે. એરટેલના આ નિવેદન બાદ હવે આશંકા વધી ગઈ છે કે આગામી દિવસોમાં ટેલિકોમ ટેરિફના દરો મોંઘા થઈ શકે છે. જોકે, રિલાયન્સ જિયોએ ટેરિફ વધારવાની યોજનાને નકારી છે.
UPI હવે શ્રીલંકામાં પણ
ભારતમાં સફળ થયા બાદ હવે યુપીઆઈ શ્રીલંકામાં લોન્ચ થવા જઈ રહ્યું છે…નાણામંત્રી નિર્મલા સીતારમણે તેમની ત્રણ દિવસીય શ્રીલંકાના પ્રવાસ પર કહ્યું કે ટૂંક સમયમાં શ્રીલંકામાં યુનિફાઈડ પેમેન્ટ્સ ઈન્ટરફેસ લોન્ચ કરવામાં આવશે..મહત્વનું છે કે ભારતની ડિજિટલ પેમેન્ટ પ્રણાલી યુપીઆઇનો વ્યાપ વિદેશોમાં પણ સતત વધી રહ્યો છે. ઘણા એવા દેશો છે જે આ પેમેન્ટ સિસ્ટમ અપનાવી રહ્યા છે. ત્યારે હવે આ લિસ્ટમાં શ્રીલંકાનું નામ પણ ઉમેરાવાનું છે.
આ છે ભારતના સૌથી મોટા દાનવીર
દેશની અગ્રણી IT કંપની HCL Technologiesના સ્થાપક અને અધ્યક્ષ શિવ નાદર સૌથી મોટા દાનવીર તરીકે ઉભરી આવ્યા છે. નાણાકીય વર્ષ 2023-23 દરમિયાન, શિવ નાદરે રૂ. 2042 કરોડનું દાન કર્યું છે, જે પાછલા નાણાકીય વર્ષ કરતાં 76 ટકા વધુ છે…. હુરુન ઇન્ડિયા ફિલાન્થ્રોપી લિસ્ટ 2023 મુજબ, દરરોજ સરેરાશ રૂ. 5.6 કરોડ દાન તરીકે આપવામાં આવ્યા છે. દાન કરવામાં શિવ નાદર પછી વિપ્રોના અઝીમ પ્રેમજી બીજા સ્થાને છે. તેમણે 2022-23માં કુલ 1774 કરોડ રૂપિયાનું દાન કર્યું છે. જે નાણાકીય વર્ષ 2021-22 કરતા 267 ટકા વધુ છે.
ઘઉંના ભાવ અંકુશમાં આવશે?
તહેવારોની સિઝનમાં ઘઉં અને લોટના ભાવમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. આવી સ્થિતિમાં, કિંમતોને નિયંત્રિત કરવા માટે, સરકારે નાણાકીય વર્ષ 2023-24માં ઈ-ઓક્શનના 19મા રાઉન્ડ દ્વારા ઘઉંની હરાજી કરી છે. આ ઈ-ઓક્શનમાં, સરકારે તેના બફર સ્ટોકમાંથી 2.87 લાખ ટન ઘઉંનું વેચાણ કર્યું છે જેથી કરીને તહેવારોની સીઝનમાં વધતા ભાવને નિયંત્રિત કરી શકાય.. એફસીઆઇ એટલે કે ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયાએ ઓપન માર્કેટમાં ઘઉંની ઉપલબ્ધતા વધારવા માટે ઘઉંની હરાજી કરી છે. ખુલ્લા બજારમાં ઘઉંની ઉપલબ્ધતા વધારવા માટે, દર અઠવાડિયે હરાજી માટે ઓફર કરવામાં આવતા ઘઉંના જથ્થાને વધારીને 3 લાખ ટન કરવામાં આવ્યો છે… FCI એ 1 નવેમ્બર, 2023 થી OMSS હેઠળ બિડનો જથ્થો વધારીને 200 ટન કર્યો છે.
સોનાની બમ્પર ખરીદી
કમરતોડ મોંઘવારી, વૈશ્વિક રાજકીય અનિશ્ચિતતા અને ડોલરની સતત મજબૂતાઈને કારણે તેની પર નિર્ભરતા ઘટાડવા માટે, વિશ્વભરના દેશોની સેન્ટ્રલ બેંકોએ ચાલુ વર્ષ 2023ના પ્રથમ 9 મહિનામાં રેકોર્ડ 800 ટન સોનાની ખરીદી કરી છે. જેમાં ભારતીય રિઝર્વ બેંક પણ સામેલ છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના ડેટા અનુસાર, સેન્ટ્રલ બેંકોએ 2022ની સરખામણીએ 2023ના પ્રથમ 9 મહિનામાં 14 ટકા વધુ સોનું ખરીદ્યું છે. યુએસ બોન્ડ યીલ્ડમાં ઉછાળો અને મજબૂત ડૉલર હોવા છતાં ખરીદી વધવાથી સોનાની ભારે માંગ છે. જેના કારણે સોનાની કિંમતોમાં જોરદાર ઉછાળો જોવા મળ્યો છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો