Money9: ઘરેણાં જેવી મોંઘી વસ્તુઓને ચોરીથી બચાવવા માટે લોકો તેને લૉકરમાં રાખે છે. પરંતુ આ લૉકરોમાં ચોરી થવાની ઘટનાઓ વધી રહી છે. સુપ્રીમ કોર્ટે આ જ પ્રકારના કેસમાં એક ઓગસ્ટ, 2022ના રોજ દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઇને પીડિત ગ્રાહકોને 30 લાખ રૂપિયાનું વળતર ચૂકવવાનો આદેશ આપ્યો હતો. આ કેસ ઝારખંડના બોકારો સ્ટીલની એક શાખા સાથે જોડાયેલો છે. ગોપાલ પ્રસાદના બેંક લૉકરમાં રાખવામાં આવેલા ઘરેણાં ગાયબ થઇ ગયા હતા. ગોપાલ પ્રસાદને બેંક સામે કાયદાકીય લડાઇ લડવામાં પાંચ વર્ષ નીકળી ગયા.
બેંક લૉકરમાં ચોરી થવા સાથે જોડાયેલી આ કોઇ પહેલી ઘટના નથી. લૉકરમાંથી સામાન ગાયબ થઇ જવા, લૉકર કાપીને ચોરી થવા, વસ્તુઓ વેરવિખેર થઇ હોવાના સમાચાર અવારનવાર સામે આવે છે. આવી મોટાભાગની ઘટનાઓમાં બેંક પોતાના હાથ ખંખેરી નાંખતી હોય છે. ગોપાલ પ્રસાદને પણ એમ જ કહેવામાં આવ્યું કે લૉકરની અંદર રાખેલા સામાનની જવાબદારી બેંકની નથી હોતી. બેંકને તો એ પણ ખબર નથી હોતી કે તેમાં શું-શું રાખવામાં આવ્યું છે. આ પ્રકારના કિસ્સામાં જ્યારે બેંક જવાબદારી લેવાની ના પાડે તો ગ્રાહકની પાસે કાયદાકીય લડાઇ લડવા સિવાય કોઇ વિકલ્પ બચતો નથી.
નવા નિયમો
પરંતુ હવે બેંક લૉકરમાંથી સામાન ગાયબ કે ક્ષતિગ્રસ્ત થઇ જવાના કિસ્સામાં પોતાની જવાબદારીથી છટકી નહીં શકે. આ અંગે સુપ્રીમ કોર્ટના આદેશ બાદ આરબીઆઇએ નવા નિયમો બહાર પાડ્યા છે. જે 1 જાન્યુઆરી, 2022થી લાગુ છે. આ નિયમો અનુસાર આગ, ચોરી, બિલ્ડિંગ પડી જવા કે કર્મચારીઓ દ્વારા ગોટાળાના કિસ્સામાં બેંકોએ લૉકરના વાર્ષિક ભાડાના 100 ગણા સુધીના નુકસાનની ભરપાઇ કરવી પડશે. આરબીઆઇએ લૉકર મેનેજમેન્ટને લઇને બધી બેંકો માટે નિર્દેશ જાહેર કર્યા છે. નવા નિર્દેશ હાલના લૉકર અને બેંકોની પાસે વસ્તુઓની સેફ કસ્ટડી બન્ને પર લાગુ છે. તેમ છતાં બેંકો લૉકરમાંથી સામાન ચોરી થવાની ઘટનાઓની જવાબદારી લેવા તૈયાર નથી થતી. ન્યાય પ્રક્રિયા મોંઘી હોવાના કારણે દરેક વ્યક્તિ ગ્રાહક ફોરમથી લઇને સુપ્રીમ કોર્ટ સુધી કાયદાકીય લડાઇ લડવાની ક્ષમતા નથી રાખતો.
બેંકોની જવાબદારી
આરબીઆઇએ સ્પષ્ટ કર્યું છે કે બધી બેંકોએ પોતાના લૉકરની સંપૂર્ણ સુરક્ષા સુનિશ્ચિત કરવી જોઇએ. તેમછતાં લૉકરમાંથી સામાન ગાયબ થઇ જાય છે. પૂર્વ બેંક અધિકારી એસ.કે.બંસલ કહે છે કે બેંક લૉકરનો સ્ટ્રોંગ રૂમ આરબીઆઇના દિશા-નિર્દેશો અનુસાર બનાવાય છે. જેમાં રહેલા લૉકર સંપૂર્ણ રીતે સુરક્ષિત હોય છે. જો કોઇ હાઇવે પર દુર્ઘટના થાય તો તેનો અર્થ એ નથી કે તેની પર ગાડીઓ ચલાવવાની બંધ કરી દેવી જોઇએ. લૉકરમાંથી ચોરીની છુટીછવાઇ ઘટનાઓ બાદ એમ માની લેવાની જરૂર નથી કે બેંક લૉકર અસુરક્ષિત છે. સુરેશ બંસલ કહે છે કે આરબીઆઇના નવા દિશા-નિર્દેશોથી બેંક સચેત થશે. સ્ટ્રોંગ રૂમની સુરક્ષાને વધારે મજબૂત કરશે.
આજકાલ બેંક દરેક જોખમવાળા કાર્ય માટે વીમો ઉતરાવે છે. પરંતુ લૉકરના જોખમને કવર કરવા માટેની વીમાની પ્રક્રિયા શરૂ નથી થઇ શકી. પૂર્વ બેંકર બંસલ કહે છે કે બેંકની પાસે લૉકરનો માલિકી હક નથી હોતો. કોઇ વ્યક્તિના લૉકરમાં કેટલી કિંમતનો સામાન રાખ્યો છે, બેંકોને આ અંગે કંઇ ખબર નથી હોતી, બીજીબાજુ વીમાની ચુકવણી એક નિશ્ચિત રકમ સુધીના કવર માટે કરાવવામાં આવે છે. એટલે બેંક પોતાના સ્ટ્રોંગ રૂમમાં રાખેલા લૉકરનો વીમો નથી કરાવી શકતી.
સ્વાભાવિક છે કે બેંક લૉકરમાં રહેલો સામાન સંપૂર્ણ રીતે સુરક્ષિત નથી. લૉકરને સમયાંતરે ઑપરેટ કરતા રહો. તેમાં મૂકવામાં આવતા ઘરેણાંના જરૂરી બિલો સંભાળીને રાખો. જો તમે કોઇ નવી જ્વેલેરી ખરીદી છે તો તેના બિલને સુરક્ષિત રાખો. જે લોકોની જુની જ્વેલેરી છે તેમણે ઓથોરાઇઝ્ડ જ્વેલેરી શોપમાંથી વેલ્યૂએશન કરાવી લેવું જોઇએ. ત્યારબાદ જ જ્વેલેરીને લૉકરમાં રાખો. વેલ્યૂએશનની રસીદને સંભાળીને રાખો. જો તમારા લૉકરને કોઇ નુકસાન પહોંચે છે તો આ કાગળ તમને ક્લેમ અપાવવામાં ઉપયોગી સાબિત થશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો