Money9: આપણા દેશમાં દરરોજ મોટી સંખ્યામાં લોકો ટ્રેનમાં મુસાફરી કરે છે. તેથી જ ભારતીય રેલ્વેને આપણા દેશની લાઈફલાઈન પણ કહેવામાં આવે છે. યાત્રીઓની મુસાફરી માટે રેલવેએ ટ્રેન ટિકિટ બુકિંગની વિવિધ શ્રેણીઓ બનાવીને રાખી છે, જેમ કે જનરલ, સ્લીપર, એસી-1, એસી-2, એસી-3 વગેરે. ટિકિટનું ભાડું આ શ્રેણીઓ અનુસાર નક્કી કરવામાં આવ્યું છે. આજકાલના એડવાન્સ યુગમાં, લોકો સ્ટેશન જવાને બદલે ઘરેથી IRCTC એપ પર ID બનાવીને તેમની ટિકિટ બુક કરાવે છે. પરંતુ શું તમે જાણો છો કે એક યુઝર આઈડી પર ટિકિટ બુક કરવા માટે પણ એક સમય મર્યાદા અથવા એક લિમિટ હોય છે, જેના વિશે બહુ ઓછા લોકો જાણે છે. શું તમે જાણો છો કે તમે એક યુઝર આઈડી વડે મહિનામાં કેટલી ટ્રેન ટિકિટ બુક કરાવી શકો છો? જો તમે નથી જાણતા તો વાંધો નહીં, આજે અમે તમને ભારતીય રેલવેના આ નિયમ વિશે જણાવીશું.
આટલી ટિકટો જ મળી શકે છે એક મહિનામાં
રેલ્વેના ઘણા એવા નિયમો છે અને એવા ઘણા ફેક્ટ છે જેનાથી ઘણા લોકો અજાણ છે. ઓનલાઈન ટ્રેન ટિકિટ બુકિંગ તેમાંથી એક છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે એક મહિનામાં એક યુઝર આઈડી સાથે ટ્રેનની ટિકિટ બુક કરવાની મર્યાદા છે. તો તમને જણાવી દઇએ કે જો તમારું આધાર કનેક્ટ છે (IRCTC ID કનેક્ટ છે) તો તમે એક મહિનામાં માત્ર 24 ટિકિટ બુક કરી શકો છો. જો તમારું આધાર લિંક નથી, તો તમે એક યુઝર આઈડી વડે મહિનામાં માત્ર 12 ટ્રેન ટિકિટ બુક કરી શકો છો.
બુકિંગ પહેલાં વેરિફિકેશન જરૂરી
આઈઆરસીટીના નિયમો અનુસાર, જો કોઈ વ્યક્તિએ લાંબા સમયથી ટ્રેનની ટિકિટ બુક કરાવી નથી, તો ટિકિટ બુક કરાવતા પહેલા યુઝરનો મોબાઈલ નંબર અને ઈ-મેલ આઈડી વેરિફાય કરવું જરૂરી રહેશે. ઈ-મેલ આઈડી અને મોબાઈલ નંબરના વેરિફિકેશન વગર તમે ઓનલાઈન ટિકિટ બુક કરી શકશો નહીં. જો કોઈએ લાંબા સમયથી ટિકિટ બુક કરાવી નથી તો પહેલા વેરિફિકેશન કરાવવું જરૂરી બન્યું છે. જો તમે પ્રવાસી છો અને ટ્રેનમાં મુસાફરી કરવાનું પસંદ કરો છો, તો આર્ટિકલમાં આપવામાં આવેલી આ માહિતી તમારા માટે ખૂબ જ ઉપયોગી થઈ શકે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો