Money9 Gujarati: અમનને પેટમાં દુખાવો હતો. હોસ્પિટલમાં જવાનું ટાળવા માટે તેણે તે વિસ્તારના નાના ક્લિનિકમાંથી દવા લઈ લીધી.. દુખાવો તો ના મટ્યો, ઊલટું એટલો વધી ગયો કે તેમને એક અઠવાડિયા માટે હોસ્પિટલમાં દાખલ થવું પડ્યું. સારવારમાં પણ હજારો રૂપિયાનો ખર્ચ થયો ગયો. રોકાણ (investment)માં પણ આવું જ જોખમ હોય છે. જો તમે રોકાણની ગૂંચવણોને સમજી શકતા નથી, તો તમે અન્યની સલાહ પર વિશ્વાસ કરશો. મફત સલાહ આપવાવાળા લોકોની કોઈ કમી નથી… ખોટી સલાહ તમારા પૈસા ડૂબાડશે (economic loss) અને પછી તમે વધુ રોકાણ કરતા અચકાશો.. એટલા માટે જ યોગ્ય ફાઈનાન્શિયલ પ્લાનર (Financial Planner) પસંદ કરવું જરૂરી છે…કઈ એ બાબતો છે જે સારા ફાઈનાન્શિયલ પ્લાનરમાં હોવી જોઈએ? ચાલો સમજીએ…
જ્યારે તમે ફાઈનાન્શિયલ પ્લાનરની સેવાઓ લો છો, ત્યારે તમારા ફાઈનાન્શિયલ ગોલ તેના પર નિર્ભર થઈ જાય છે…તેથી પ્લાનર પસંદ કરતા પહેલા હોમવર્ક જરૂરી છે. સૌ પ્રથમ તમારે એ શોધવું જોઈએ કે તમે જે ફાઈનાન્શિયલ પ્લાનર પસંદ કરી રહ્યા છો તે કેટલો યોગ્ય છે… તેણે કેટલું શિક્ષણ મેળવ્યું છે… તે સેબીમાં નોંધાયેલ છે કે નહીં, જો છે તો તેની પાસે કેટલા વર્ષનો અનુભવ છે… આ પછી તેની કુશળતા વિશે જાણો… કેટલાક પ્લાનર માત્ર મોટા રોકાણકારો એટલે કે HNIsને જ સેવાઓ પૂરી પાડે છે. જેમ આપણે ડોક્ટરની સેવાઓ માત્ર ડિગ્રી જોઈને જ નહીં પણ લોકો સાથે પૂછપરછ કરીને લઈએ છીએ. તે જ રીતે ફાઈનાન્શિયલ પ્લાનરનો ટ્રેક રેકોર્ડ જાણવો જરૂરી છે…જો તમે કોઈ રેફરન્સથી પ્લાનરની સેવાઓ લઈ રહ્યા છો તો તે સારો વિકલ્પ સાબિત થઈ શકે છે… તેની ફી વિશે પણ અગાઉથી જાણી લો.
એક રિપોર્ટ અનુસાર, દેશમાં માત્ર 14 ટકા લોકો જ ફાઇનાન્શિયલ પ્લાનર્સની સેવાઓ લે છે.. આની પાછળનું એક મોટું કારણ ફાઇનાન્શિયલ પ્લાનર્સનો અભાવ છે. સેબીએ માર્ચ 2013માં એક આદેશ જારી કર્યો હતો…તેમાં કહેવામાં આવ્યું હતું કે જે લોકો નાણાકીય ઉત્પાદનોના ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલા છે તેઓ રોકાણની સલાહ આપી શકતા નથી.. માત્ર સ્વતંત્ર રીતે સલાહ આપવાવાળા લાયકાત ધરાવતા લોકો જ રોકાણની સલાહ આપી શકે છે. આ સલાહકારોને સેબીમાં રજીસ્ટ્રેશન કરાવવું પડશે.. રજિસ્ટર્ડ રોકાણ સલાહકારો એટલે કે RIAs માટે સેબીએ કડક નિયમો લાગુ કર્યા છે. આ કારણે દેશમાં માર્ચ 2023 સુધીમાં માત્ર 1299 સલાહકારોએ સેબીમાં નોંધણી કરાવી છે. જો આપણે કોર્પોરેટ્સ સાથે સંકળાયેલા અને સ્ટોક ટિપ્સ આપતા સલાહકારોને બાકાત રાખીએ તો દેશમાં માત્ર 700 RIAએ સ્વતંત્ર રીતે રોકાણ સલાહ આપી રહ્યા છે. આ રીતે, દેશની 140 કરોડની વસ્તીમાં દર 20 લાખ લોકો માટે એક RIA છે.
સેબીના રજિસ્ટર્ડ ઈન્વેસ્ટમેન્ટ એડવાઈઝર જીતેન્દ્ર સોલંકી કહે છે કે મજબૂત પોર્ટફોલિયો બનાવવા માટે તેમાં તમામ પ્રકારના ફાઈનાન્શિયલ પ્રોડક્ટનો સમાવેશ થવો જોઈએ. આ તમારા માટે તમારા ફાઈનાન્શિયલ ગોલ્સને પ્રાપ્ત કરવાનું સરળ બનાવશે. એક સારો નાણાકીય સલાહકાર આ બાબતમાં ખૂબ મદદરૂપ સાબિત થઈ શકે છે. જો તમારો નાણાકીય સલાહકાર મ્યુચ્યુઅલ ફંડના ડિસ્ટ્રીબ્યુશન સાથે સંકળાયેલો છે, તો શક્ય છે કે તે તેના બિઝનેસ પર વધુ ધ્યાન આપે.. એ પણ શક્ય છે કે તે ફક્ત મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવા પર જ ફોકસ કરે… તેથી, ફાઈનાન્શિયલ પ્લાનર પસંદ કરવા માટેની પ્રથમ શરત એ હોવી જોઈએ કે તે RIA હોવો જોઈએ. આ પછી તેની રોકાણ શૈલી વિશે પૂછો. તેના કેટલાક જૂના ક્લાયન્ટ્સ સાથે વાત કરો. સંતોષકારક ફીડબેક મળ્યા પછી જ અંતિમ નિર્ણય લો.
ફાઇનાન્શિયલ પ્લાનર રોકાણ સંબંધિત બધી બાબતોને સારી રીતે સમજે છે. બજારમાં ક્યારે શું થયું અને આગળ શું થઈ શકે છે.આ વિષયમાં તેને અનુભવ હોવો જોઈએ.. ત્યાર બાદ તેઓ આવી સલાહ આપવા માટે અધિકૃત બને છે. આ પ્લાનર્સ સેબીની દેખરેખ હેઠળ કામ કરે છે. જો કોઈ પ્લાનર ખોટી સલાહ આપે તો તેને દંડ થઈ શકે છે. જો તે ફરીથી ભૂલ કરે તો તેનું લાઇસન્સ પણ રદ થઈ શકે છે. તેમ છતાં, ફાઈનાન્શિયલ પ્લાનર પસંદ કરતા પહેલા તમારું હોમવર્ક જરૂર કરો,, કારણ કે મામલો પૈસાનો છે જેમાં તમે કોઈપણ પ્રકારની બેદરકારી નહીં રાખવા માંગો.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો