ડાર્ક પેટર્નના ઉપયોગ પર પ્રતિબંધ
ગ્રાહકોને માર્કેટિંગના કૌભાંડોથી બચાવવા માટે સરકારે એક મોટો નિર્ણય લીધો છે. આ નિર્ણય અંતર્ગત ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર ડાર્ક પેટર્નના ઉપયોગ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. ગ્રાહકોની પસંદગીને ભ્રમિત થવાથી બચાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. આ અંગે ‘ ગાઇડલાઇન્સ ફોર પ્રીવેન્શન એન્ડ રેગ્યુલેશન ઓફ ડાર્ક પેટર્ન્સ’ નોટિફિકેશન જાહેર કરવામાં આવ્યું છે. સેન્ટ્રલ કન્ઝ્યુમર પ્રોટેક્શન ઓથોરિટી એટલે કે CCPAએ 30મી નવેમ્બરે આ નોટિફિકેશન બહાર પાડ્યું છે. આ ગેઝેટ નોટિફિકેશન ગુડ્સ એન્ડ સર્વિસવાળા બધા પ્લેટફોર્મ પર લાગુ થશે. ત્યાં સુધી કે એડવર્ટાઇજર અને સેલર પર પણ આ લાગુ પડે છે… ડાર્ક પેટર્નને વધુ સમજવા માટે, તમે Money 9ની યુટ્યુબ ચેનલ અથવા એપ્લિકેશનની મુલાકાત લઈ શકો છો.
ક્રિપ્ટો એક્સચેન્જો પર તવાઇ
નાણા રાજ્ય મંત્રીએ સંસદમાં જણાવ્યું કે ઑફશોર ક્રિપ્ટો એક્સચેન્જોએ દેશમાં રજિસ્ટર થવા ઉપરાંત PMLA હેઠળ એન્ટી મની લોન્ડરિંગ અને CFT ગાઇડલાઇન્સ એટલે કે આતંકવાદના ફંડિંગ સામેના નિયમોનું પાલન કરવું જરૂરી છે. જો ઓફશોર પ્લેટફોર્મ ગાઇડલાઇન્સનું પાલન નહીં કરે, તો તેમની સામે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ હેઠળ યોગ્ય પગલાં લેવામાં આવશે. નાણા મંત્રાલયે કહ્યું કે ભારતમાં 28 ક્રિપ્ટો એક્સચેન્જ અથવા વર્ચ્યુઅલ ડિજિટલ એસેટ સર્વિસ પ્રોવાઈડર્સે ફાઈનાન્સિયલ ઈન્ટેલિજન્સ યુનિટ-ઈન્ડિયાની સાથે નોંધણી કરાવી છે. તેમાં CoinX,યૂનોકોઇન, બિટબન્સ, જેબપે, વઝીરએક્સ, કોઇનસ્વિચ, અને રારિયો જેવી કંપનીઓના નામ સામેલ છે. બિનાન્સ, કોઇનબેઝ જેવા ક્રિપ્ટો એક્સચેન્જો પણ છે જે ક્રિપ્ટોકરન્સી યૂઝર્સને સર્વિસ આપી રહ્યા છે.
હવે આ કંપની ભાવ વધારશે
મારુતિ-ટાટા, મહિન્દ્રા, હોન્ડા બાદ હવે MGએ પણ કારની કિંમતો વધારવાની જાહેરાત કરી છે… આ વધારો સમગ્ર મોંઘવારી અને કોમોડિટીના વધતા ભાવને કારણે ખર્ચમાં થયેલા વધારાના કારણે કરવામાં આવી રહ્યો છે. જોકે MG મોટરે કિંમતમાં કેટલો મોટો વધારો થશે તેની કોઈ વિગતો શેર નથી કરી. નવી કિંમતો 1 જાન્યુઆરીથી લાગુ થશે.
આ બેંક સામે મોટી કાર્યવાહી
ભારતીય રિઝર્વ બેંકે મહારાષ્ટ્રના કોલ્હાપુર સ્થિત શંકરરાવ પૂજારી નૂતન નગરી સહકારી બેંક લિમિટેડ સામે મોટી કાર્યવાહી કરીને તેનું લાઇસન્સ રદ કર્યું છે… આરબીઆઈએ આ પગલું બેંક પાસે પૂરતી મૂડી અને કમાણીનાં સાધનો ન હોવાના કારણે ભર્યું છે. આરબીઆઈએ બેંકને 4 ડિસેમ્બર, 2023 થી તમામ પ્રકારના બિઝનેસ બંધ કરવાનો આદેશ આપ્યો છે.
ઇજાગ્રસ્તોને મળશે કેશલેસ સારવાર
રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવે મંત્રાલય માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને દેશભરમાં કેશલેસ સારવારની સુવિધા આપશે.આ યોજના આગામી ત્રણ-ચાર મહિનામાં શરૂ કરવામાં આવશે. રોડ ટ્રાન્સપોર્ટ સચિવ અનુરાગ જૈને જણાવ્યું કે ભારતમાં માર્ગ અકસ્માતોમાં જીવ ગુમાવનારા લોકોની સંખ્યા વિશ્વમાં સૌથી વધુ છે..આને ઘટાડવા માટે, સરકાર પીડિતોને તાત્કાલિક તબીબી સુવિધા પૂરી પાડવાનું આયોજન કરી રહી છે. માર્ગ અકસ્માતોમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને મફત અને કેશલેસ મેડિકલ સુવિધા પૂરી પાડવી સંશોધિત મોટર વાહન અધિનિયમ, 2019 નો એક ભાગ છે. કેટલાક રાજ્યોએ તેનો અમલ કર્યો છે. પરંતુ હવે આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયના સહયોગથી માર્ગ પરિવહન મંત્રાલય તેને દેશભરમાં લાગુ કરવા જઈ રહ્યું છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો