જંતુનાશકોના ઉપયોગ પર અંકુશ આવશે
તાજા ફળો અને શાકભાજીમાં હાનિકારક જંતુનાશકો અને રસાયણોના વધુ પડતા ઉપયોગ પર હવે અંકુશ આવશે. ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા એટલે કે FSSAIએ રાજ્ય સરકારોના ફૂડ વિભાગોને તાજા ફળો અને શાકભાજીમાં જંતુનાશકો અને કેમિકલના વધારે પ્રમાણમાં ઉપયોગ કરવા પર નજર રાખવા માટે પત્ર લખ્યો છે. FSSAIએ કહ્યું કે દેશના ટોચના શહેરોમાં વેચવામાં આવતા શાકભાજી અને ફળોમાં ઉચ્ચ માત્રામાં જંતુનાશકો અને હાનિકારક કેમિકલ હોવા અંગેનો રિપોર્ટ મળી રહ્યો છે.
આ કંપની રુ.70માં વેચશે ટામેટા
હાયપરલોકલ ઇ-કોમર્સ સ્ટાર્ટઅપ મેજિકપિને NCCFની સાથે સમજૂતીમાં કેટલાક પસંદગીના ઓનલાઇન પ્લેટફોર્મના માધ્યમથી 70 રૂપિયા પ્રતિ કિલોગ્રામના ભાવે ટામેટા વેચવાનું શરૂ કર્યું છે. કંપનીએ જણાવ્યું કે આ સિલેક્ટેડ પ્લેટફોર્મ્સ સરકાર દ્વારા સમર્થિત ONDC પર રજિસ્ટર્ડ છે. આ વ્યવસ્થા હેઠળ દિલ્હી-એનસીઆર અને કેટલાક પસંદગીના શહેરોમાં મેજિકપિન એપ ઉપરાંત પેટીએમ, ફોનપેના પિનકોડ, માયસ્ટોર દ્વારા ટામેટા ઓર્ડર કરી શકાય છે.
લોન સસ્તી નહીં થાય
સસ્તી લોન માટે તમારે હવે વધુ લાંબી રાહ જોવી પડશે. અમેરિકા અને યૂરોપમાં 0.25 ટકા વ્યાજ દર વધવાથી હવે ભારતમાં પણ લોન મોંઘી થવાની શક્યતા વધી ગઇ છે. દેશમાં વ્યાજ દરોમાં ફેરફારના રિસ્કથી બચાવના ટૂલ ઓવરનાઇટ ઇન્ડેક્સ સ્વેપથી પણ આ પ્રકારના સંકેત મળી રહ્યા છે. જે અનુસાર આવતા એક વર્ષ સુધી ભારતમાં ધિરાણ સસ્તું નહીં થાય. રિઝર્વ બેંકની જૂન પોલિસી બાદથી જ ઓવરનાઇટ ઇન્ડેક્સ સ્વેપમાં તેજી જોવા મળી છે. DBS બેંક અને ICICI સિક્યુરિટીઝે પણ ક્રેડિટ પોલિસીમાં હાલ નરમી ન આવવાની વાત કરી છે.
ભારત બનશે ત્રીજી સૌથી મોટી ઇકોનોમી
ભારતીય ઇકોનોમીને લઇને એક મોટા સમાચાર સામે આવ્યા છે. ભારતીય સ્ટેટ બેંકના અર્થશાસ્ત્રીઓએ કહ્યું કે ભારત 2027 સુધી દુનિયાની ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બની જશે. SBIનું માનવું છે કે 2023-24માં ભારતનો GDP ગ્રોથ 6.5 ટકા રહેશે. SBI અર્થશાસ્ત્રીઓનું કહેવું છે કે સતત વિકાસના પંથે છે ભારતીય ઇકોનોમી..રિપોર્ટ અનુસાર 2022-27 દરમિયાન ઇકોનોમીના આકારમાં 1,800 અબજ ડોલરની વૃદ્ધિ થશે. વૈશ્વિક GDPમાં ભારતની હિસ્સેદારી 2027 સુધી ચાર ટકા અને આ સમયગાળા દરમિયાન ઇકોનોમીનો આકાર દર બે વર્ષમાં 750 ડોલર વધશે.
જલદી કરો! આ સ્કીમ થશે બંધ
જો તમે પણ અત્યાર સુધી એસબીઆઇની અમૃત કળશ ડિપોઝિટ સ્કીમમાં પૈસા નથી લગાવ્યા તો જલદી કરો. આ સ્કીમ બંધ થવાની તારીખ નજીક આવી રહી છે. અમૃત કળશ એક 400 દિવસની ખાસ ડિપોઝિટ સ્કીમ છે. જેની પર રોકાણકારોને ઉંચા વ્યાજ દર મળી રહ્યા છે. આ યોજનામાં રોકાણ કરવાની અંતિમ તારીખ 15 ઓગસ્ટ છે. આ યોજનામાં રોકાણકારોને માસિક, ત્રિમાસિક અને છમાસિક આધારે વ્યાજની ચુકવણી પ્રાપ્ત કરવાનો વિકલ્પ મળે છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો