Money9: શાર્ક ટેન્ક શોથી લાઈમલાઈટમાં આવેલા ફિનટેક કંપની ભારત પેના કો-ફાઉન્ડર અશ્નીર ગ્રોવર ફરી એકવાર મુશ્કેલીમાં મૂકાયા છે. દિલ્હી પોલીસની ક્રાઈમ બ્રાન્ચે ભારત પેના પૂર્વ મેનેજિંગ ડિરેક્ટર અશ્નીર ગ્રોવર અને તેમની પત્ની માધુરી જૈન વિરુદ્ધ FIR નોંધી છે. અશ્નીર અને તેની પત્ની માધુરી જૈન પર 81 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, દંપતી પર નકલી ઈનવોઈસ બનાવીને કંપનીના ખાતામાંથી રૂ. 81 કરોડ તેમના પરિચિતો અને સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કરવાનો આરોપ છે. માધુરી જૈન ગ્રોવર ભારત પેના જોઈન્ટ ડાયરેક્ટર HR હતા જ્યારે તેમના પર આ નકલી ઈનવોઈસ બનાવીને પૈસા ઉપાડવાનો આરોપ લાગ્યો હતો. આ મામલે પોલીસ ટૂંક સમયમાં આ કપલની પૂછપરછ કરશે.
ભારત પેનું નિવેદન આવ્યું
અશ્નીર ગ્રોવરની ભૂતપૂર્વ કંપની ભારત પેએ આ મામલે સત્તાવાર નિવેદન જારી કર્યું છે. ભારત પે એ એક નિવેદનમાં જણાવ્યું કે તે ગ્રોવર, તેની પત્ની માધુરી જૈન અને પરિવારના અન્ય સભ્યો સામે દિલ્હી પોલીસની FIRનું સ્વાગત કરે છે. કંપનીના જણાવ્યા અનુસાર, ફોજદારી ગુનાઓ અંગે કંપનીની ફરિયાદ સંબંધમાં દિલ્હી પોલીસની આર્થિક અપરાધ શાખાએ આ FIR નોંધી છે. છેલ્લા 15 મહિનાથી, કંપની ગ્રોવર દ્વારા ભારત પે અને તેના બોર્ડ તેમજ તેના કર્મચારીઓ વિરુદ્ધ દ્વેષપૂર્ણ અને દૂષિત અભિયાનનો સામનો કરી રહી છે. દિલ્હી પોલીસની આ FIR ગ્રોવર પરિવાર દ્વારા તેમના અંગત આર્થિક લાભ માટે કરવામાં આવેલા વિવિધ શંકાસ્પદ વ્યવહારોનો પર્દાફાશ કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો