ડુંગળીના ભાવ ઘટાડવા વધુ એક જાહેરાત
વાણિજ્ય અને ઉદ્યોગ પ્રધાન પીયૂષ ગોયલે કહ્યું છે કે સરકારે ‘બફર સ્ટોક’ માટે 2410 રૂપિયા પ્રતિ ક્વિન્ટલના દરે ડુંગળીની ખરીદી ફરી શરૂ કરી છે. પીયૂષ ગોયલે કહ્યું કે સરકાર બફર સ્ટોક માટે બે લાખ ટન ડુંગળી ખરીદશે… એશિયાના સૌથી મોટા ડુંગળીના બજાર લાસલગાંવની એગ્રીકલ્ચર પ્રોડ્યુસ માર્કેટ કમિટી એટલે કે APMC એ 40 ટકા એક્સપોર્ટ ડ્યુટી લાદવાના કેન્દ્ર સરકારના નિર્ણયનો વિરોધ કર્યો હતો. જેના પગલે સરકારે ખેડૂતોને આ પ્રકારનું આશ્વાસન આપ્યુ છે. પીયૂષ ગોયલે કહ્યું કે ખેડૂતો ચિંતા ન કરે.
ખેડૂતોની સહાય વધારાશે?
સરકાર પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ તરીકે ખેડૂતોને અપાતી વાર્ષિક 6 હજાર રૂપિયાની આર્થિક સહાયમાં વધારો કરી શકે છે. એક રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે આર્થિક સહાય 6 હજાર રૂપિયાથી વધારીને વાર્ષિક 9 હજાર રૂપિયા કરવામાં આવી શકે છે. 5 રાજ્યોમાં વિધાનસભા ચૂંટણી અને આવતા વર્ષે લોકસભાની ચૂંટણી પહેલા સરકાર દ્વારા આ પ્રકારની જાહેરાત કરવામાં આવી શકે છે. આ સિવાય સરકાર ખેડૂતો પાસેથી ટેકાના ભાવે પાકની ખરીદી વધારવાની પણ જાહેરાત કરી શકે છે.
DTH સેવા હવે સસ્તી થઈ શકે
DTH સેવા હવે સસ્તી થઈ શકે છે. હકીકતમાં, ભારતીય ટેલિકોમ ઓથોરિટી એટલે કે TRAI એ સરકારને DTH લાયસન્સ ફી નાબૂદ કરવાની ભલામણ કરી છે. કેબલ ટીવી જોનારા ગ્રાહકોને પણ આનો લાભ મળી શકે છે. OTT પ્લેટફોર્મને કારણે DTH સેવાને અસર થઇ રહી છે ત્યારે આવી સ્થિતિમાં લાંબા ગાળા માટે ઓપરેટરોની કામગીરી સુધારવા માટે લાયસન્સ ફી ધીમે-ધીમે નાબૂદ કરવામાં આવે તે દિશામાં સરકાર કામ કરી રહી છે.
નોન-બાસમતી ચોખાની નિકાસ પર પ્રતિબંધ નહીં
સરકારની હાલમાં નોન-બાસમતી સેલા ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂકવાની કોઈ યોજના નથી…. કેન્દ્રીય ખાદ્ય સચિવ સંજીવ ચોપરાએ આ વાત કહી છે. સરકારે 20 જુલાઈના રોજ નોન-બાસમતી સફેદ ચોખાની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો. સરકારે આ નિર્ણય આગામી તહેવારોની મોસમને ધ્યાનમાં રાખીને સ્થાનિક બજારમાં પુરવઠો વધારવા અને તેના છૂટક ભાવ નિયંત્રણમાં રાખવાના આશયથી લીધો હતો. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કણકી ચોખાની નિકાસ પણ બંધ કરી દેવામાં આવી હતી. સાથે જ સરકારની રશિયાથી ઘઉંની આયાત કરવાની હાલ કોઈ યોજના નથી. સરકારે ગયા વર્ષે મે મહિનામાં જ ઘઉંની નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો….
ગ્રાહકોને 278 કરોડ ચૂકવાશે
કેન્દ્ર સરકારે ઇલેક્ટ્રિક ટુ-વ્હીલર ઉત્પાદકો ઓલા ઇલેક્ટ્રિક, એથર એનર્જી, ટીવીએસ મોટર અને હીરો મોટોકોર્પને નવેમ્બરના અંત સુધીમાં લગભગ 2,00,000 ગ્રાહકોને કુલ મળીને રૂ. 278 કરોડની ચૂકવણી કરવાનો આદેશ આપ્યો છે. આ અંગે ચૂક કરનારી કંપનીઓને સત્તાવાર નોટિસ મોકલવામાં આવી રહી છે. ડિફોલ્ટિંગ કંપનીઓને નવેમ્બરના અંત સુધીમાં પૈસા પરત કરવા અથવા દંડનીય કાર્યવાહીનો સામનો કરવાનું કહેવામાં આવી રહ્યું છે.
ઉડાન યોજનાનું મૂલ્યાંકન થશે
કેન્દ્ર દ્વારા સામાન્ય નાગરિકોને સસ્તી હવાઈ સેવા આપવા માટે શરૂ કરવામાં આવેલી ઉડાન યોજના પર CAGનો રિપોર્ટ આવ્યો હતો.. ત્યાર બાદ કેન્દ્ર સરકારે આ યોજનાનું મૂલ્યાંકન કરવાનો નિર્ણય લીધો છે… હકીકતમાં ઉડાન અંગે CAGએ પોતાના રિપોર્ટમાં અનેક પ્રકારની સમસ્યાઓ જણાવી હતી. જેમ કે આ યોજના હેઠળ જેટલા એરપોર્ટ શરૂ થવાના હતા… તેમાંથી અડધા તો હજુ શરૂ થયા જ નથી… કેન્દ્ર સરકારે પણ આ યોજના હેઠળ વિમાન કંપનીઓને નાણાકીય સહાય તો આપી પરંતુ તેમનું ઓડિટ નથી કર્યું…
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો