Money9: સરકારે માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત થયેલા લોકોને કેશલેસ સારવાર આપવા માટે એક પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે. Ministry of Road and Transport and Highways દ્વારા આ પાયલોટ પ્રોજેક્ટની શરૂઆત ચંદીગઢથી કરવામાં આવી છે. સરકારના આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ માર્ગ અકસ્માતમાં ઇજાગ્રસ્ત લોકોને 1.5 લાખ રૂપિયા સુધીની કેશલેસ સારવાર આપવામાં આવશે. અકસ્માત બાદ 7 દિવસ સુધી સારવાર મળશે. સરકાર આ પાયલોટ પ્રોજેક્ટ હેઠળ કોઈપણ પ્રકારના વાહનને કારણે થતા અકસ્માતોને આવરી લેશે. હોસ્પિટલો દ્વારા ક્લેમ કરવામાં આવેલી રકમ મોટર વ્હીકલ એક્સિડન્ટ ફંડ દ્વારા ખર્ચવામાં આવશે. રોડ અકસ્માતના કેસમાં સમયસર સારવાર ન મળવાને કારણે અનેક લોકો જીવ ગુમાવે છે. જેને ધ્યાનમાં રાખીને સરકારે આ પાયલોટ પ્રોજેક્ટ શરૂ કર્યો છે…
Paytmની પેરેન્ટ કંપની ‘One 97 Communications Limited’ તેના લગભગ 20 ટકા કર્મચારીઓને નોકરીમાંથી કાઢી મૂકવાની તૈયારી કરી રહી છે. તાજેતરમાં કંપનીએ કોસ્ટ કટિંગ હેઠળ 1000 કર્મચારીઓને છૂટા કર્યા હતા. રિપોર્ટ્સ અનુસાર, કંપની વાર્ષિક પરફોર્મન્સ રિવ્યૂ હેઠળ અલગ-અલગ વિભાગોમાં આ છટણી કરવા જઈ રહી છે. આ ઉપરાંત, Paytm એઆઈ-સંચાલિત ઓટોમેશન એક્સરસાઇઝ પણ કરી રહી છે. જેના કારણે પણ નોકરીઓ ઘટી શકે છે. Paytmના પ્રવક્તાએ કહ્યું કે, ‘અમે અમારી એન્યુઅલ અપ્રેઝલ સાયકલની પ્રોસેસમાં છીએ. જે કંપનીઓમાં એક નોર્મલ પ્રેક્ટિસ છે.
RBI દ્વારા કરવામાં આવેલી કાર્યવાહી બાદ 16 માર્ચથી પેટીએમ પેમેન્ટ્સ બેંક સંબંધિત સેવાઓ પ્રભાવિત થશે, જોકે પેટીએમની ઘણી સેવાઓ પહેલાની જેમ જ ચાલુ રહેશે. Paytm તરફથી UPI પેમેન્ટ સેવાઓ ચાલુ રહેશે. આવી સ્થિતિમાં, Paytm નો ઉપયોગ કરીને, તમે પહેલાની જેમ રિચાર્જ કરી શકશો અને તમારા બિલની ચૂકવણી કરી શકશો. ઉપરાંત Paytm પેમેન્ટ્સ બેંક પર પ્રતિબંધ પછી પણ Paytmની QR અને Soundbox સંબંધિત સેવાઓ ચાલુ રહેશે. ફરક એટલો જ હશે કે Paytm અને તેના ગ્રાહકો આના માટે Paytm પેમેન્ટ બેંક વૉલેટનો ઉપયોગ કરી શકશે નહીં. તેઓએ તેમના ખાતા અન્ય કોઈ બેંકમાં ટ્રાન્સફર કરવા પડશે. પરંતુ ગ્રાહકો Paytm પેમેન્ટ્સ બેંક દ્વારા આપવામાં આવેલા Fastag અને NCMC કાર્ડનો ઉપયોગ નહીં કરી શકે. Paytm પેમેન્ટ્સ બેંક વૉલેટ દ્વારા કોઈ ચુકવણી શક્ય નહીં બને.
વર્ષ 2024માં સરેરાશ પગાર વધારો 9 ટકા રહેવાનો અંદાજ છે… જે ગયા વર્ષના 9.2 ટકા કરતા ઓછો છે… મેનેજમેન્ટ કન્સલ્ટિંગ ફર્મ ડેલોઈટ દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આ વાત સામે આવી છે… જોકે, ઓવરઓલ એવરેજ ઇન્ક્રીમેન્ટ ગયા વર્ષ કરતાં ઓછો છે પરંતુ કોવિડ પહેલાના લેવલની તુલનામાં વધુ સારી વૃદ્ધિની શક્યતા છે… અહેવાલ મુજબ, IT અને BPO/KPO સિવાયના તમામ ક્ષેત્રોમાં પગાર વધારાની શક્યતા છે.. Deloitte India Talent Outlook 2024 સર્વેક્ષણ એ પણ દર્શાવે છે કે દેશની ત્રણમાંથી એક સંસ્થા આ વર્ષે ડબલ ડિજિટ ઇન્ક્રીમેન્ટ આપવાની યોજના બનાવી રહી છે.
કેન્દ્ર સરકારે આરોગ્ય વીમા યોજના, આયુષ્માન ભારતનું મૂલ્યાંકન કરવા માટે એક પેનલની રચના કરી છે. નેશનલ હેલ્થ ઓથોરિટીએ યોજનાની “ડિઝાઇન, અમલીકરણ અને સૂચનો”ની સમીક્ષા કરવા નીતિ આયોગના સભ્ય ડૉ. વી.કે. પૉલની અધ્યક્ષતામાં નિષ્ણાત સમિતિની રચના કરી છે. આ પૅનલ છેતરપિંડી, એબ્યુઝ કે મિસયુઝને અટકાવવાના ઉપાયો સૂચવવા ઉપરાંત સ્કીમના લાભાર્થીના આધારના વિસ્તારની સાથે સાથે ઘણાં મહત્વપૂર્ણ મુદ્દાઓ પર ચર્ચા કરશે અને 45 દિવસમાં તેનો રિપોર્ટ સબમિટ કરશે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો