કર્મચારીઓને બોનસ મળશે
મોદી સરકારે નવરાત્રી દરમિયાન કેન્દ્રીય કર્મચારીઓને મોટી ભેટ આપી છે. કેન્દ્ર સરકારે વર્ષ 2022-23 માટે તેના એક ખાસ વર્ગના કર્મચારીઓ અને નોન-ગેઝેટેડ કર્મચારીઓને નોન-પ્રોડક્ટિવિટી લિંક્ડ બોનસ આપવાની જાહેરાત કરી છે. આ બોનસ ગ્રૂપ-Cમાં કેન્દ્ર સરકારના કર્મચારીઓ અને ગ્રુપ-Bમાં તમામ નોન-ગેઝેટેડ કર્મચારીઓને ચૂકવવામાં આવશે, જેઓ કોઈપણ પ્રોડક્ટિવિટી-લિંક્ડ બોનસ યોજનામાં સામેલ નથી. તેની ચુકવણી કેન્દ્રીય અર્ધલશ્કરી દળો અને સશસ્ત્ર દળોના લાયક કર્મચારીઓને કરવામાં આવશે. તેની ચૂકવણી માટે ગણતરી મર્યાદા 7,000 રૂપિયા નક્કી કરવામાં આવી છે.
NPSમાં થઇ શકે છે ફેરફાર
સરકારી કર્મચારીઓ લાંબા સમયથી જૂની પેન્શન સ્કીમને લાગુ કરવાની માંગ કરી રહ્યા છે. દરમિયાન સમાચાર મળ્યા છે કે કેન્દ્ર સરકાર આ વર્ષના અંત સુધીમાં નેશનલ પેન્શન સ્કીમ એટલે કે NPSમાં ફેરફાર કરી શકે છે. આ સુધારા પછી એ સુનિશ્ચિત કરવામાં આવશે કે કર્મચારીઓને નિવૃત્તિ પછીના અંતિમ દિવસોમાં મળવાપાત્ર પગારના 40 થી 45 ટકા પેન્શન તરીકે આપી શકાય. આ અંગે એક ઉચ્ચ સ્તરીય પેનલ દ્વારા ભલામણ કરવામાં આવી છે.
SIP એકાઉન્ટ્સની સંખ્યા વધી
સપ્ટેમ્બર મહિનામાં SIP એકાઉન્ટ્સમાં 37 લાખની એડિશન વૃદ્ધિ જોવા મળી છે. AMFIના ડેટા અનુસાર, મ્યુચ્યુઅલ ફંડ્સની SIP કેટેગરીમાં ગ્રોસ એકાઉન્ટ રજિસ્ટ્રેશન સપ્ટેમ્બર 2023માં રેકોર્ડ 3.7 મિલિયન સુધી પહોંચી ગયું છે. શેરબજારમાં ભારે વધઘટ હોવા છતાં, નવા ખાતા ખોલવાની સંખ્યા સતત ત્રીજા મહિને 30 લાખથી વધુ રહી, જેના કારણે SIPની કુલ સંખ્યા 71.3 મિલિયન થઈ ગઈ છે જે સૌથી વધુ છે.
ડાબરને 320 કરોડની નોટિસ
હાજમોલા, ચ્યવનપ્રાશ, મધ, હેર ઓઈલ વગેરે જેવી અનેક પ્રોડક્ટ્સ બનાવનારી દેશની સૌથી મોટી FMCG કંપનીઓમાંની એક ડાબરને તગડો ઝટકો લાગ્યો છે. રોજિંદા વપરાશની વસ્તુઓનું ઉત્પાદન કરતી આ કંપનીને GSTની નોટિસ મળી છે. આ નોટિસ 320 કરોડ રૂપિયાથી વધુની છે. ડાબર ઈન્ડિયાએ આ પ્રકારની માહિતી શેરબજારને આપી છે. ડાબર ઈન્ડિયાએ સ્ટોક એક્સચેન્જને જણાવ્યું છે કે તે આ નોટિસને સંબંધિત ઓથોરિટીમાં પડકારશે.
તહેવારોમાં મોંઘવારી વધશે
તહેવારો દરમિયાન મોંઘવારી વધી શકે છે… કારણ કે ઘઉંના ભાવ 8 મહિનાની ટોચે પહોંચી ગયા છે… તહેવારો દરમિયાન વધતી માંગને કારણે ઘઉંના ભાવમાં વધારો થયો છે. ઘઉંના લિમિટેડ સપ્લાય અને ઇમ્પોર્ટ ડ્યુટીના કારણે ફ્લોર મિલ માટે વિદેશી ખરીદી અવ્યવહારુ બનતા સ્થાનિક બજારમાં ઘઉંની કિમતોમાં વધારો થયો છે. નવી દિલ્હીમાં મંગળવારે ઘઉંના ભાવ 1.6 ટકા વધીને રૂ. 27,390 પ્રતિ ટન થયા.. રોલર ફ્લોર મિલરોનું કહેવું છે કે તહેવારોમાં માંગ વધવાને કારણે ઘઉંના ભાવ વધી રહ્યા છે. મિલર્સ સરકારને ડ્યુટી ફ્રી ઘઉંની આયાતની છૂટ આપવાની માંગ કરી રહ્યા છે.
પર્સનલ ફાઇનાન્સ અંગે લેટેસ્ટ અપડેટ મેળવવા માટે Money9 App ડાઉનલોડ કરો